સરકારી સ્કૂલના નળ ચોરતા મંત્રીથી લઇને જગત જમાદારોની બેઠકો સુધી, સંક્ષિપ્તમાં જુઓ દુનિયાના તમામ સમાચાર


  • Published By :
  • Published Date : 2023-05-22 21:00:09

1.PM મોદીને ફિજીનું સર્વોચ્ચ સન્માન એનાયત


ફિજીના વડાપ્રધાને PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી એનાયત થયો છે.. જાપાનમાં G-7સમિટ અને ક્વાડ બેઠકમાં હાજરી આપ્યા બાદ પાપુઆ ન્યુ  ગીની પહોંચ્યા હતા..જે બાદ પેસિફિક ક્ષેત્રો એટલે કે પ્રશાંત મહાસાગરમાં જેટલા દેશો આવેલા છે તેમના પ્રતિનિધિઓને મળ્યા..અને વિદેશનીતિના ભાગરૂપે તેમની સાથે મિત્રતા વધારવા મુદ્દે ચર્ચા કરી.. એક વૈશ્વિક  નેતા તરીકે PM મોદીના આ પગલાને બિરદાવવા માટે તેમને ફિજી દેશનું આ સર્વોચ્ચ ખિતાબ  અપાયો છે.. 


2.  આગમાં 20 વિદ્યાર્થિનીઓના મોત


દક્ષિણ અમેરિકાના દેશ ગયાનાના મહિદા શહેરમાં એક ગર્લ્સ હોસ્ટેલમાં આગની  દુર્ઘટના  સર્જાઇ  છે.. આ દુર્ઘટનામાં  20 વિદ્યાર્થીનીઓના મોત થયા છે.. આગ  લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ જ્યારે આગ  લાગી  ત્યારે વિદ્યાર્થીનીઓ ઉંઘી રહી  હતી..જેથી અનેક વિદ્યાર્થીનીઓને ઇજા પહોંચી છે..  અને મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ છે.. ગયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ તેને ભયાનક અને દર્દનાક અકસ્માત ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે 'ખરાબ હવામાનને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. અમે હોસ્ટેલમાં ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'


3. અફઘાનિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટના મોત


અફઘાનિસ્તાનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઇ છે... અફઘાનિસ્તાનના સમંગાન પ્રાંતમાં વાયુસેનાનું હેલિકોપ્ટર પેટ્રોલિંગ કરી રહ્યું હતું..તે દરમિયાન ટેક્નીકલ ખામી સર્જાઇ હતી..જેને કારણે તે ક્રેશ થઇને તૂટી પડ્યું હતું..  આ દુર્ઘટનામાં બંને પાઇલટના મૃત્યુ થયા છે.. હેલિકોપ્ટરમાં શેને લીધે ટેક્નિકલ ખામી સર્જાઇ તેનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી..પરંતુ અફઘાનીસ્તાનમાં જ્યારથી તાલિબાનોએ કબજો મેળવ્યો ત્યારથી વાયુસેનાના હેલિકોપ્ટરોના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાઓ વધી છે.. 


 4.ઈટાલીમાં વિનાશક પૂર, 36 હજાર લોકોનું સ્થળાંતર 


ઇટાલીમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધી 14 લોકોના મોત થયા છે..  ઇટાલીના પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જીયા મેલોનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહતકાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.. ઇટાલીના એમિલીયા રોમાગ્નામાંથી આશરે 36 હજાર લોકોનું સ્થળાંતર  કરવામાં આવ્યું છે..ઇટાલીના હવામાન નિષ્ણાતો કહીરહ્યા છે કે ચોમાસાના 6 મહિનામાં જેટલો વરસાદ પડતો હોય છે તે ફક્ત 36 કલાકની અંદર પડી ગયો છે.. અતિવૃષ્ટિથી ઇટાલીમાં પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.. ઇટાલીમાં મુખ્યત્વે ફળોની અને અનાજની ખેતી થાય  છે જે પૂરના કારણે સંપૂર્ણપણે ધોવાઇ ગયો છે..  


5. લેટ પડ્યા તો મીટિંગ કેન્સલ


જાપાનના હીરોશીમામાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી મોડા  પડ્યા  તો બ્રાઝિલના રાષ્ટ્ર્પતિએ તેમની સાથેની બેઠક રદ કરી દીધી.. બ્રાઝિલના  રાષ્ટ્ર્પતિ લુલા ડી સિલ્વાએ મીડિયાને જણાવ્યું કે બપોરે 3 વાગે તેમની વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને મુલાકાત હતી..  જેમાં તેમણે ઝેલેન્સ્કીની રાહ  જોઇ અને તેમને પછીથી માહિતી મળી કે તેઓ મોડા પડ્યા  છે..  આ ઘટના બાદ બ્રાઝિલના રાષ્ટ્ર્પતિએ પોતે ખૂબ જ નાારાજ થયા હોવાનું નિવેદન  આપ્યું હતું


6. બાખમુત કબજામાં લેવાયાનો રશિયાનો દાવો, યુક્રેનનો નનૈયો


વર્ષ 2022થી ચાલીરહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અત્યાર  સુધીમાં રશિયાએ યુક્રેનના 7 શહેરો પર કબજો મેળવી લીધો છે.. અને હવે રશિયાની ખાનગી સેના- વેગનર ગ્રુપે દાવો કર્યો છે કે તેમણે યુક્રેનના બાખ્મુત શહેર પર કબજો કરી લીધો છે... બીબીસીના અહેવાલ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને અભિનંદન પાઠવ્યા છે. યુક્રેને પહેલા આ દાવાને ફગાવી દીધો હતો.. અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપ્યું છે કે બાખ્મુત શહેરમાં કંઈ બચ્યું નથી, શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું છે...


7. મંદીગ્રસ્ત અમેરિકા યુક્રેનને કરશે મદદ!


યુએસના પ્રમુખ જો બાઈડને યુક્રેન માટે નવા સહાય પેકેજની જાહેરાત કરી છે... જે અંતર્ગત અમેરિકા યુક્રેનને 375 મિલિયન ડોલરની સહાય  રકમ ચૂકવશે.. જો બાઇડને નિવેદન આપ્યું હતું કે રશિયા સામેના યુદ્ધ દરમિયાન યુક્રેનને મજબૂત કરવા માટે અમેરિકા જરૂરી તમામ  પગલા લેશે.. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જો બાઇડનનો આભાર માન્યો હતો..


8. ઇર્ષ્યાની આગમાં ભડકે બળતું પાકિસ્તાન!


જમ્મુ કાશ્મીરમાં યોજાયેલી G-20 બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે..  પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ  G-20ના બહાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બિલાવલ ભુટ્ટોએ વિવાદિત નિવેદન આપ્યું છે કે જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યો છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. આ બેઠક યોજીને કાશ્મીરના અવાજને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો.. યુએનના ઠરાવોને નકારીને ભારત વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવી શકે નહીં..


9.અરેરે.. બીજું કંઇ નહિને સ્કૂલના નળ ચોર્યા?


વાત પાકિસ્તાનની જો થઇ રહી છે તો ત્યાના એક સમાચાર પર પણ નજર ફેરવી લઇએ.. પાકિસ્તાનમાં પૂર્વ કેબીનેટ મંત્રી ફવાદ ચૌધરી આમતો પહેલેથી જ પાકિસ્તાનમાં હિંસા ભડકાવવાના આરોપને કારણે ચર્ચામાં છે.. ત્યાં તેમની સામે વધુ એક વિચિત્ર આરોપ લાગ્યો છે..  સ્કૂલોમાંથી નળ અને વીજળીના વાયરો ચોરી કરવાનો..પાકિસ્તાનના મુલતાનની એક સરકારી શાળામાં પાણીની પાઇપ અને નળ ચોરવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.. આ કેસની લાહોર  હાઇકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરાશે.


10. કયા દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત?


સિંગાપોરના વડાપ્રધાન લી શેન લૂંગ કોરોનાગ્રસ્ત થયા છે.. તેમણે સોશિયલ  મીડિયામાં પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.. ડોક્ટરોએ તેમને આઇસોલેટ થવાની સલાહ આપી હોવાનું પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું..  તેઓ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા હતા..જ્યાંથી પરત ફરતી વખતે તેમની તબિયત બગડી હતી.. અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ  પોઝિટિવ  આવ્યો હતો..



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?