20 માર્ચના રોજ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવાની ફરજ ઉભી થઈ!


  • Published By :
  • Published Date : 2023-03-20 16:51:31

સમગ્ર દેશમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. નેચર ફોર એવર સોસાયટી અને ઈકો-સીસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે પૃથ્વી પરની સામાન્ય પ્રજાતિ ગણાતિ ચકલી હાલ લુપ્ત થવાને આરે છે.  


20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ  

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફ ડે, વર્લ્ડ વુમન્સ ડે, વર્લ્ડ મેન્સ ડે સહિતના દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. 


ચકલીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો   

જેમ જેમ આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે અનેક વસ્તુઓ તેમજ જાતિઓ લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે ચકલીઓના અવાજથી લોકોની સવાર પડતી હતી પરંતુ આજ કાલ ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. એક સમયે સૌથી વધારે દેખાતી ચકલી આજે શોધવા પર પણ નથી મળતી. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 


લોકો ચકલીને લઈ જાગૃત થાય તે બન્યુ જરૂરી 

ત્યારે ચકલીના સંરક્ષણને લઈ લોકો જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પહેલા એવો સમય હતો કે કોઈના ઘરમાં ચકલીનો  માળો જોવા મળતો હતો. પરંતુ હવે તો ચકલીઓ જ ઓછી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ચકલીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યો છે. ત્યારે જે ચકલીઓ બચી છે તેને બચાવી રાખવું મહત્વનું છે. જો આપણે હમણાં આ પરિસ્થિતિને લઈ જાગૃત નહીં થાય તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આવનારી પેઢીને ફોટામાં ચકલી શું હોય તે બતાવવું પડશે.   


અનેક કારણોસર લુપ્ત થઈ રહી છે ચકલી 

નાનકડી દેખાતી ચકલી વિશ્વના અનેક જગ્યાઓ પર જોવા મળતી હોય છે. પરંતુ આ ચકલી જંગલમાં નહીં પરંતુ ફોટોમાં સચવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ચકલીની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જો ઘટતી ચકલીઓના કારણોની વાત કરીએ તો શહેરીકરણ થવાને કારણે વૃક્ષો કપાઈ રહ્યા છે. જેને કારણે પક્ષીઓ માળો બનાવી શકતા નથી. ઉપરાંત મકાનો પણ કોંક્રિટના થઈ રહ્યા છે. જેને કારણે ચકલીઓને ધાબું મળતું નથી. ત્યારે આપણે જે ચકલીઓ બચી છે તેની રક્ષા કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરવી પડશે.        




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.