20 માર્ચના રોજ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવાની ફરજ ઉભી થઈ!


  • Published By :
  • Published Date : 2023-03-20 16:51:31

સમગ્ર દેશમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. નેચર ફોર એવર સોસાયટી અને ઈકો-સીસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે પૃથ્વી પરની સામાન્ય પ્રજાતિ ગણાતિ ચકલી હાલ લુપ્ત થવાને આરે છે.  


20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ  

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફ ડે, વર્લ્ડ વુમન્સ ડે, વર્લ્ડ મેન્સ ડે સહિતના દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. 


ચકલીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો   

જેમ જેમ આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે અનેક વસ્તુઓ તેમજ જાતિઓ લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે ચકલીઓના અવાજથી લોકોની સવાર પડતી હતી પરંતુ આજ કાલ ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. એક સમયે સૌથી વધારે દેખાતી ચકલી આજે શોધવા પર પણ નથી મળતી. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 


લોકો ચકલીને લઈ જાગૃત થાય તે બન્યુ જરૂરી 

ત્યારે ચકલીના સંરક્ષણને લઈ લોકો જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પહેલા એવો સમય હતો કે કોઈના ઘરમાં ચકલીનો  માળો જોવા મળતો હતો. પરંતુ હવે તો ચકલીઓ જ ઓછી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ચકલીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યો છે. ત્યારે જે ચકલીઓ બચી છે તેને બચાવી રાખવું મહત્વનું છે. જો આપણે હમણાં આ પરિસ્થિતિને લઈ જાગૃત નહીં થાય તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આવનારી પેઢીને ફોટામાં ચકલી શું હોય તે બતાવવું પડશે.   


અનેક કારણોસર લુપ્ત થઈ રહી છે ચકલી 

નાનકડી દેખાતી ચકલી વિશ્વના અનેક જગ્યાઓ પર જોવા મળતી હોય છે. પરંતુ આ ચકલી જંગલમાં નહીં પરંતુ ફોટોમાં સચવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ચકલીની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જો ઘટતી ચકલીઓના કારણોની વાત કરીએ તો શહેરીકરણ થવાને કારણે વૃક્ષો કપાઈ રહ્યા છે. જેને કારણે પક્ષીઓ માળો બનાવી શકતા નથી. ઉપરાંત મકાનો પણ કોંક્રિટના થઈ રહ્યા છે. જેને કારણે ચકલીઓને ધાબું મળતું નથી. ત્યારે આપણે જે ચકલીઓ બચી છે તેની રક્ષા કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરવી પડશે.        




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.