20 માર્ચના રોજ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવાની ફરજ ઉભી થઈ!


  • Published By :
  • Published Date : 2023-03-20 16:51:31

સમગ્ર દેશમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. નેચર ફોર એવર સોસાયટી અને ઈકો-સીસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે પૃથ્વી પરની સામાન્ય પ્રજાતિ ગણાતિ ચકલી હાલ લુપ્ત થવાને આરે છે.  


20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ  

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફ ડે, વર્લ્ડ વુમન્સ ડે, વર્લ્ડ મેન્સ ડે સહિતના દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. 


ચકલીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો   

જેમ જેમ આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે અનેક વસ્તુઓ તેમજ જાતિઓ લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે ચકલીઓના અવાજથી લોકોની સવાર પડતી હતી પરંતુ આજ કાલ ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. એક સમયે સૌથી વધારે દેખાતી ચકલી આજે શોધવા પર પણ નથી મળતી. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 


લોકો ચકલીને લઈ જાગૃત થાય તે બન્યુ જરૂરી 

ત્યારે ચકલીના સંરક્ષણને લઈ લોકો જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પહેલા એવો સમય હતો કે કોઈના ઘરમાં ચકલીનો  માળો જોવા મળતો હતો. પરંતુ હવે તો ચકલીઓ જ ઓછી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ચકલીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યો છે. ત્યારે જે ચકલીઓ બચી છે તેને બચાવી રાખવું મહત્વનું છે. જો આપણે હમણાં આ પરિસ્થિતિને લઈ જાગૃત નહીં થાય તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આવનારી પેઢીને ફોટામાં ચકલી શું હોય તે બતાવવું પડશે.   


અનેક કારણોસર લુપ્ત થઈ રહી છે ચકલી 

નાનકડી દેખાતી ચકલી વિશ્વના અનેક જગ્યાઓ પર જોવા મળતી હોય છે. પરંતુ આ ચકલી જંગલમાં નહીં પરંતુ ફોટોમાં સચવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ચકલીની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જો ઘટતી ચકલીઓના કારણોની વાત કરીએ તો શહેરીકરણ થવાને કારણે વૃક્ષો કપાઈ રહ્યા છે. જેને કારણે પક્ષીઓ માળો બનાવી શકતા નથી. ઉપરાંત મકાનો પણ કોંક્રિટના થઈ રહ્યા છે. જેને કારણે ચકલીઓને ધાબું મળતું નથી. ત્યારે આપણે જે ચકલીઓ બચી છે તેની રક્ષા કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરવી પડશે.        




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?