20 માર્ચના રોજ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ, જાણો શા માટે આ દિવસ ઉજવવાની ફરજ ઉભી થઈ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 16:51:31

સમગ્ર દેશમાં 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. ચકલીની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ચકલી અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવતી હોય છે. નેચર ફોર એવર સોસાયટી અને ઈકો-સીસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે પૃથ્વી પરની સામાન્ય પ્રજાતિ ગણાતિ ચકલી હાલ લુપ્ત થવાને આરે છે.  


20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ  

વિશ્વભરમાં અનેક દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફ ડે, વર્લ્ડ વુમન્સ ડે, વર્લ્ડ મેન્સ ડે સહિતના દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષે 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સોસાયટી દ્વારા દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. 


ચકલીઓની સંખ્યામાં સતત થઈ રહ્યો છે ઘટાડો   

જેમ જેમ આપણે વિજ્ઞાનમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ આપણે પ્રકૃતિને પાછળ છોડી રહ્યા છીએ તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે અનેક વસ્તુઓ તેમજ જાતિઓ લુપ્ત થઈ રહી છે. એક સમય હતો જ્યારે ચકલીઓના અવાજથી લોકોની સવાર પડતી હતી પરંતુ આજ કાલ ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. એક સમયે સૌથી વધારે દેખાતી ચકલી આજે શોધવા પર પણ નથી મળતી. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 


લોકો ચકલીને લઈ જાગૃત થાય તે બન્યુ જરૂરી 

ત્યારે ચકલીના સંરક્ષણને લઈ લોકો જાગૃત થાય તે માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવે છે. શહેરીકરણ થવાને કારણે સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. પહેલા એવો સમય હતો કે કોઈના ઘરમાં ચકલીનો  માળો જોવા મળતો હતો. પરંતુ હવે તો ચકલીઓ જ ઓછી જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ચકલીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યો છે. ત્યારે જે ચકલીઓ બચી છે તેને બચાવી રાખવું મહત્વનું છે. જો આપણે હમણાં આ પરિસ્થિતિને લઈ જાગૃત નહીં થાય તો એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે આવનારી પેઢીને ફોટામાં ચકલી શું હોય તે બતાવવું પડશે.   


અનેક કારણોસર લુપ્ત થઈ રહી છે ચકલી 

નાનકડી દેખાતી ચકલી વિશ્વના અનેક જગ્યાઓ પર જોવા મળતી હોય છે. પરંતુ આ ચકલી જંગલમાં નહીં પરંતુ ફોટોમાં સચવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. ચકલીની સંખ્યા સતત ઘટતી જઈ રહી છે. જો ઘટતી ચકલીઓના કારણોની વાત કરીએ તો શહેરીકરણ થવાને કારણે વૃક્ષો કપાઈ રહ્યા છે. જેને કારણે પક્ષીઓ માળો બનાવી શકતા નથી. ઉપરાંત મકાનો પણ કોંક્રિટના થઈ રહ્યા છે. જેને કારણે ચકલીઓને ધાબું મળતું નથી. ત્યારે આપણે જે ચકલીઓ બચી છે તેની રક્ષા કેવી રીતે કરવી તે અંગે વિચારણા કરવી પડશે.        




લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.