World Tourism Day : ગુજરાતના પ્રવાસન સ્થળો પર વધ્યા વિદેશી પ્રવાસીઓ, જાણો એક વર્ષમાં કેટલા લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:50:22

27 સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસને વેગ મળે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 8.59 મિલિયન વિદેશીઓ ભારતની મુલાકાતે આવ્યા છે. 1.75 મિલિયન પ્રવાસીઓ વર્ષ 2022માં ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક સ્થાપત્યો છે જેને જોવા માટે વિદેશથી લોકો આવે છે. તેમાં સ્ટેસ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, અંબાજી મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ હેરિટેજ સિટી, કાંકરિયા લેકફ્રન્ટ. અડાલજની વાવ સહિતના પ્રવાસન સ્થળો છે જેની મુલાકાત લેવા પ્રવાસીઓ આવતા હોય છે. 



Ahmedabad World Heritage City

Planning a tour of Sardar Patel's Statue of Unity? Check ticket price,  entry timings, other details | Mint

5 Best Heritage Spots In Ahmedabad | So Ahmedabad

ઓગસ્ટ વર્ષ 2023 સુધી ગુજરાતમાં આવ્યા આટલા પ્રવાસીઓ  

દેશના પ્રવાસન ક્ષેત્રે ગુજરાત મહત્વનો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં પ્રવાસન વિકસે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. અનેક સ્થળો એવા છે જેને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રવાસન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023ના 8 મહિના સુધી ગુજરાતની મુલાકાતે 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તે ઉપરાંત સોમનાથ તેમજ અંબાજી જેવા સ્થળો પર પણ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.  

Somnath temple - Wikipedia

Ambaji Temple

Dwarkadhish HD wallpapers | Pxfuel

Pride of Patan: The journey of Rani Ki Vav from being a buried art treasure  to the reverse of the new ₹100 note | Latest News India - Hindustan Times

Kankaria Lake



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.