World Tourism Day : ગુજરાતના પ્રવાસન સ્થળો પર વધ્યા વિદેશી પ્રવાસીઓ, જાણો એક વર્ષમાં કેટલા લોકોએ લીધી આ સ્થળોની મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-09-27 15:50:22

27 સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસને વેગ મળે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં 8.59 મિલિયન વિદેશીઓ ભારતની મુલાકાતે આવ્યા છે. 1.75 મિલિયન પ્રવાસીઓ વર્ષ 2022માં ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના અનેક સ્થાપત્યો છે જેને જોવા માટે વિદેશથી લોકો આવે છે. તેમાં સ્ટેસ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, અંબાજી મંદિર, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ હેરિટેજ સિટી, કાંકરિયા લેકફ્રન્ટ. અડાલજની વાવ સહિતના પ્રવાસન સ્થળો છે જેની મુલાકાત લેવા પ્રવાસીઓ આવતા હોય છે. 



Ahmedabad World Heritage City

Planning a tour of Sardar Patel's Statue of Unity? Check ticket price,  entry timings, other details | Mint

5 Best Heritage Spots In Ahmedabad | So Ahmedabad

ઓગસ્ટ વર્ષ 2023 સુધી ગુજરાતમાં આવ્યા આટલા પ્રવાસીઓ  

દેશના પ્રવાસન ક્ષેત્રે ગુજરાત મહત્વનો હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં પ્રવાસન વિકસે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. અનેક સ્થળો એવા છે જેને હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રવાસન પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યા છે. ત્યારે એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023ના 8 મહિના સુધી ગુજરાતની મુલાકાતે 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા છે. અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તે ઉપરાંત સોમનાથ તેમજ અંબાજી જેવા સ્થળો પર પણ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની સરખામણીએ ઓગસ્ટ 2023 સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.  

Somnath temple - Wikipedia

Ambaji Temple

Dwarkadhish HD wallpapers | Pxfuel

Pride of Patan: The journey of Rani Ki Vav from being a buried art treasure  to the reverse of the new ₹100 note | Latest News India - Hindustan Times

Kankaria Lake



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.