જૂનાગઢમાં વણસી પરિસ્થિતિ! દરગાહ બહાર ડિમોલીશનની નોટિસ ચોંટાડાતા લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે કર્યો બળપ્રયોગ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 15:30:42

જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે આવેલી દરગાહને ડિમોલીશન માટે 16 જૂને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે પોલીસ દરગાહ બહાર નોટિસ લગાવવા પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો ભડકી ઉઠયા. તોડફોડ કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. લોકો ઉગ્ર બની જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજેવડી ગેઈટ પાસે આવેલી હઝરત રોશનશા પીર બાવાની દરગાહને તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડિમોલીશનની કામગીરી કરવા પોલીસ પહોંચી ત્યારે 200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બળપ્રયોગ કર્યા હતા. પોલીસ સ્ટેશન આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. 

 


પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ!

જૂનાગઢમાં પોલીસ અને લોકો સાથે ઘર્ષણ થયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ મજેવડી ગેઈટ પાસે આવેલા હઝરત રોશનશા પીર બાવાની હરગાહને તોડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. 200થી વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે આ વાત બીજા લોકો સુધી પહોંચી તો બીજા લોકો પણ ત્યાં આવી ગયા. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળું બેકાબુ બની ગયું હતું અને એસટી બસની તોડફોડ કરી દીધી હતી. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પરંતુ લોકો દ્વારા મોટરસાઈકલોને સળગાવી દીધી હતી. આ ઘટનામાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઈઓ ઘાયલ થયા હતા.

   


ટોળા પર કાબુ મેળવવા પોલીસે કરી લાઠીચાર્જ!

એસટી બસમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. ટોળાએ પોલીસ પર સોડાની બોટલો, પથ્થરોથી હુમલા કર્યા હતા. પોલીસે ટોળા પણ કાબુ મેળવવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.