જૂનાગઢમાં વણસી પરિસ્થિતિ! દરગાહ બહાર ડિમોલીશનની નોટિસ ચોંટાડાતા લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે કર્યો બળપ્રયોગ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 15:30:42

જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે આવેલી દરગાહને ડિમોલીશન માટે 16 જૂને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે પોલીસ દરગાહ બહાર નોટિસ લગાવવા પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો ભડકી ઉઠયા. તોડફોડ કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. લોકો ઉગ્ર બની જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજેવડી ગેઈટ પાસે આવેલી હઝરત રોશનશા પીર બાવાની દરગાહને તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડિમોલીશનની કામગીરી કરવા પોલીસ પહોંચી ત્યારે 200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બળપ્રયોગ કર્યા હતા. પોલીસ સ્ટેશન આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. 

 


પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ!

જૂનાગઢમાં પોલીસ અને લોકો સાથે ઘર્ષણ થયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ મજેવડી ગેઈટ પાસે આવેલા હઝરત રોશનશા પીર બાવાની હરગાહને તોડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. 200થી વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે આ વાત બીજા લોકો સુધી પહોંચી તો બીજા લોકો પણ ત્યાં આવી ગયા. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળું બેકાબુ બની ગયું હતું અને એસટી બસની તોડફોડ કરી દીધી હતી. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પરંતુ લોકો દ્વારા મોટરસાઈકલોને સળગાવી દીધી હતી. આ ઘટનામાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઈઓ ઘાયલ થયા હતા.

   


ટોળા પર કાબુ મેળવવા પોલીસે કરી લાઠીચાર્જ!

એસટી બસમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. ટોળાએ પોલીસ પર સોડાની બોટલો, પથ્થરોથી હુમલા કર્યા હતા. પોલીસે ટોળા પણ કાબુ મેળવવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.