નવરાત્રિની આઠમે મહાગૌરીની ઉપાસના કરવાથી થાય છે સુખ-સમૃદ્ધિમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:06:51

નવરાત્રિના આઠમા દિવસે માતાજીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે માતા મહાગૌરી. મહાગૌરી વૃષભ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. તેમની ચાર ભુજાઓ છે. એક હાથમાં માતાજીએ ત્રિશુળને ધારણ કર્યું છે. બીજા હાથમાં તેમણે ડમરૂ ધારણ કર્યું છે. ત્રીજા અને ચોથા હાથમાં માતાજીએ અભય અને વરદ મુદ્રા ધારણ કરી છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતોના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.

Mahagauri Devi ( Navratri Day 8 Goddess): Story & Beej Mantra in English  and Hindi - Rudra Centre

માતાજી કેમ ઓળખાયા મહાગૌરી તરીકે 

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે મહાદેવે તેમની ઉપાસનાનો સ્વીકાર કર્યો બાદ, ગંગાજળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનું વર્ણ શ્વેત થઈ ગયું. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરીના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા થાય છે. વેપાર, સુખ-સમૃદ્ધિ, દાંપત્ય જીવન વગેરેમાં અનેક ઘણો વધારો થાય છે. 

માતા મહાગૌરીને પ્રસન્ન કરવાનો મંત્ર -

નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા પાઠનો મહિમા અનેક ઘણો વધી જતો હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવાથી અનેક લાભ થાય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે.  માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે. 

श्वेत वृषे समारूढ़ा श्वेताम्बरधरा शुचि:।

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥

અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે, તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો. 

દુર્ગાઅષ્ટમીના દિવસે માતાજીને શું કરવું અર્પણ - 

નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દુર્ગાઅષ્ટમીના દિવસે માતાને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે.    



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .