નવરાત્રિની આઠમે મહાગૌરીની ઉપાસના કરવાથી થાય છે સુખ-સમૃદ્ધિમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:06:51

નવરાત્રિના આઠમા દિવસે માતાજીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે માતા મહાગૌરી. મહાગૌરી વૃષભ પર સવાર થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. તેમની ચાર ભુજાઓ છે. એક હાથમાં માતાજીએ ત્રિશુળને ધારણ કર્યું છે. બીજા હાથમાં તેમણે ડમરૂ ધારણ કર્યું છે. ત્રીજા અને ચોથા હાથમાં માતાજીએ અભય અને વરદ મુદ્રા ધારણ કરી છે. તેઓ સુખ અને સમૃદ્ધિ વધારનારા છે. તેઓ સદૈવ પોતોના સંતાન રૂપી ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.

Mahagauri Devi ( Navratri Day 8 Goddess): Story & Beej Mantra in English  and Hindi - Rudra Centre

માતાજી કેમ ઓળખાયા મહાગૌરી તરીકે 

ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માતાજીએ કઠોર તપ કર્યું હતું. કઠોર તપને કારણે તેમનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે મહાદેવે તેમની ઉપાસનાનો સ્વીકાર કર્યો બાદ, ગંગાજળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનું વર્ણ શ્વેત થઈ ગયું. માતાજી સ્વયં શ્વેત વર્ણના છે, જેને કારણે તેઓ મહાગૌરીના નામે પ્રસિદ્ધ થયા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે તેમની પૂજા કરવાથી ગ્રહપીડા દૂર થાય છે. ઉપરાંત સાધકને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તેને માતાજીની અસીમ કૃપા થાય છે. વેપાર, સુખ-સમૃદ્ધિ, દાંપત્ય જીવન વગેરેમાં અનેક ઘણો વધારો થાય છે. 

માતા મહાગૌરીને પ્રસન્ન કરવાનો મંત્ર -

નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા પાઠનો મહિમા અનેક ઘણો વધી જતો હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવાથી અનેક લાભ થાય છે. દરેક દેવીને પ્રસન્ન કરવાનો વિશેષ મંત્ર હોય છે.  માતા મહાગૌરીને આ મંત્રના ઉચ્ચારણથી પ્રસન્ન કરી શકાય છે. 

श्वेत वृषे समारूढ़ा श्वेताम्बरधरा शुचि:।

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥

અર્થાત જે માતા સફેદ વૃષભ પર સવાર છે, જેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જે પ્રસન્નતા પ્રદાન કરનારી છે, તેવા માતા મહાગૌરી અમારૂ કલ્યાણ કરો. 

દુર્ગાઅષ્ટમીના દિવસે માતાજીને શું કરવું અર્પણ - 

નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતાજી સમક્ષ અલગ-અલગ ભોગ ધરાવવામાં આવે છે. દુર્ગાઅષ્ટમીના દિવસે માતાને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે.    



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.