Navratriના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી કષ્ટો થાય છે દૂર, શા માટે માતાજી ચંદ્રઘંટા નામથી ઓળખાયા?


  • Published By :
  • Published Date : 2023-10-17 08:55:43

નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીના નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ એવી ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. ચંદ્રઘંટા માતા મસ્તક પર ઘંટ આકારનો ચંદ્ર ધારણ કરે છે. ચંદ્ર ધારણ કર્યો હોવાને કારણે તેઓ ચંદ્રઘંટા માતા તરીકે ઓળખાય છે. ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત હોય છે. 



કેવું છે માતાજીનું સ્વરૂપ? 

માતાજીના સ્વરૂપની વાત કરીએ તો માતાજીને દસ ભૂજાઓ છે. દસ ભૂજામાં દેવી કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ, ગદા જેવા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર રાખે છે. માતાજી સિંહની સવારી કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્ય સેનાનો સંહાર કરવા માતાએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી તમામ કષ્ટોનો નાશ થાય ઉપરાંત એવી પણ માન્યતા છે કે માતાજીની પૂજા કરવાથી શરીરમાં રહેલું મણિપુર ચક્ર જાગૃત થાય છે. 

આજે દૂધ માતાજીને કરવામાં આવે છે અર્પણ 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન રંગોનું પણ વિશેષ મહત્વ  રહેલું છે. Royal Blue કલર માતાજીને પ્રિય છે તેવી માન્યતા છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધ અર્પણ કરવામાં આવે છે. દૂધ અર્પણ કરવાથી ધન,વૈભવ તેમજ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. ત્રીજા દિવસે નૈવેદ્ય તરીકે સાધકે દૂધ અર્પણ કરવું જોઈએ. 


કયા મંત્રનો કરવો જોઈએ જાપ?

માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર - 

પિંડજા પ્રવરરુદ્ધ, ચંડકોપશાસ્ત્રકૈર્યુથ.

પ્રસાદં તનુતે મહ્યં, ચંદ્રઘંટેતિ વિશ્રુતાઃ    


તે સિવાય આ મંત્ર પણ છે - 

“યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા.

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:”     


જો કોઈ સાધક તેમના મંત્રની ઉપાસના ન કરી શકે તો તેમને બીજ મંત્રની ઉપાસના પણ કરી શકે છે. એં શ્રીં  શક્તયૈ નમ:નો 108 વાર જપ કરવાથી ચંદ્રઘંટા પ્રસન્ન થાય છે. ઉપરાંત શક્ય હોય તો નવરાત્રી દરમિયાન યંડીપાઠનું પઠન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે દેવી ચંદ્રઘંટાને પૂજામાં કોઈ ફૂલ ચઢાવો છો તો તેમને પ્રિય ફૂલ સફેદ કમળ અર્પણ કરો. તમે પીળા ફૂલો અને લાલ જાસુદના ફૂલ પણ અર્પણ કરી શકો છો.


નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.