WFIના પ્રમુખ સામે મહિલા રેસલર્સના ધરણા વચ્ચે કુસ્તી મહાસંઘે લીધો આ મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-04-24 17:33:38

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા છે. ત્યારે  ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે મહત્વનો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને 7 મી મેના રોજ યોજાવાની છે. 


WFIના પ્રમુખ સામે સુપ્રીમમાં અરજી


રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે (24 એપ્રિલ) ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સે અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં વિનેશ ફોગટ સહિત 7 કુસ્તીબાજોએ સર્વોચ્ચ અદાલતને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે. મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ સુનાવણીની માંગ કરશે.


બ્રિજભૂષણ સામે પોલીસે FIR નોંધી નહીં


WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. હવે મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરશે. વિનેશ ફોગટ સહિત 7 ખેલાડીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 21 એપ્રિલે તેઓ FIR નોંધવા માટે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી બેઠા હતા, પરંતુ પોલીસે FIR લખી ન હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે જાણીતી મહિલા રેસલરો એ વિનેશ ફોગટના નેતૃત્વમાં 18 જાન્યુઆરીએ જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. દેશના અન્ય કુસ્તીબાજોએ પણ ફેડરેશન પર મનમાની કરવાની વાત કરી હતી. વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા, સંગીતા ફોગટ, સોનમ મલિક અને અંશુ મલિક જેવા કુસ્તીબાજો પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે ધરણા પર બેઠા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.