Xએ કર્યો મોટો ઘટસ્ફોટ, 'ભારત સરકારે ખેડૂત આંદોલન સંબંધિત એકાઉન્ટસ અને પોસ્ટ બ્લોક કરાવ્યા'


  • Published By :
  • Published Date : 2024-02-22 15:23:02

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  X (Twitter)એ ખેડૂત આંદોલન 2.0થી સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. કંપનીએ ગુરૂવારે (22 ફેબ્રુઆરી 2024)ના રોજ દાવો કર્યો છે કે ભારત સરકારે ખેડૂતો સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કરાવ્યા છે. જો કે કંપનીએ કહ્યું છે તેણે મજબુરીમાં સરકારના આદેશનું પાલન કરવું પડ્યું છે. કંપની સરકારના આ નિર્ણયથી અસહમત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)એ ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને બ્લોક કરવાના ભારત સરકારના આદેશ અંગે ગુરૂવારે તેની અસહેમતી વ્યક્ત કરી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરી હતી. 


સરકારે કર્યો છે આદેશ


સુત્રોના જણાવ્યા મુજબ માહિતી અને પ્રસારણ મંત્રાલયએ ગૃહ મંત્રાલયના અનુરોધ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત 117 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંકને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 


Xએ શું કહ્યું?


અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk)ની માલિકીની Xએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ભારત સરકારે હુકમ જારી કર્યા છે. જેમાં Xને ખેડૂત નેતાઓના એકાઉન્ટ્સ અને પોસ્ટ પર કાર્યવાહી કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. તે મોટા દંડ અને જેલ સહિતનાગુનાને પાત્ર છે. આ આદેશના પાલનમાં, અમે ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને પ્રતિબંધિત કરીશું. જો કે, અમે આ ક્રિયાઓ સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ.”


Xએ સરકારના આદેશને સાર્વજનિક કરવાની માંગ કરી  


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના આદેશને પડકારતી રિટ અપીલ હજુ પેન્ડિંગ છે. આ ઉપરાંત Xએ પારદર્શિતા વધારવા માટે આ આદેશને સાર્વજનિક કરવા હાકલ કરી હતી. પારદર્શિતા માટે તે જરૂરી છે. આને જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ મનાય છે અને મનસ્વીપણે નિર્ણયો લેવાય છે તેવી લોકોને પ્રતિતી થાય છે.”



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.