Xએ કર્યો મોટો ઘટસ્ફોટ, 'ભારત સરકારે ખેડૂત આંદોલન સંબંધિત એકાઉન્ટસ અને પોસ્ટ બ્લોક કરાવ્યા'


  • Published By :
  • Published Date : 2024-02-22 15:23:02

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  X (Twitter)એ ખેડૂત આંદોલન 2.0થી સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. કંપનીએ ગુરૂવારે (22 ફેબ્રુઆરી 2024)ના રોજ દાવો કર્યો છે કે ભારત સરકારે ખેડૂતો સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કરાવ્યા છે. જો કે કંપનીએ કહ્યું છે તેણે મજબુરીમાં સરકારના આદેશનું પાલન કરવું પડ્યું છે. કંપની સરકારના આ નિર્ણયથી અસહમત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)એ ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત એકાઉન્ટ અને પોસ્ટને બ્લોક કરવાના ભારત સરકારના આદેશ અંગે ગુરૂવારે તેની અસહેમતી વ્યક્ત કરી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરી હતી. 


સરકારે કર્યો છે આદેશ


સુત્રોના જણાવ્યા મુજબ માહિતી અને પ્રસારણ મંત્રાલયએ ગૃહ મંત્રાલયના અનુરોધ પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત 117 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંકને હંગામી ધોરણે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 


Xએ શું કહ્યું?


અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk)ની માલિકીની Xએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ભારત સરકારે હુકમ જારી કર્યા છે. જેમાં Xને ખેડૂત નેતાઓના એકાઉન્ટ્સ અને પોસ્ટ પર કાર્યવાહી કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. તે મોટા દંડ અને જેલ સહિતનાગુનાને પાત્ર છે. આ આદેશના પાલનમાં, અમે ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને પ્રતિબંધિત કરીશું. જો કે, અમે આ ક્રિયાઓ સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ.”


Xએ સરકારના આદેશને સાર્વજનિક કરવાની માંગ કરી  


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારના આદેશને પડકારતી રિટ અપીલ હજુ પેન્ડિંગ છે. આ ઉપરાંત Xએ પારદર્શિતા વધારવા માટે આ આદેશને સાર્વજનિક કરવા હાકલ કરી હતી. પારદર્શિતા માટે તે જરૂરી છે. આને જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ મનાય છે અને મનસ્વીપણે નિર્ણયો લેવાય છે તેવી લોકોને પ્રતિતી થાય છે.”



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .