આગ્રામાં 45 વર્ષ બાદ તાજમહેલની દીવાર સુધી પહોંચ્યું પાણી, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, વહીવટી તંત્ર સતર્ક


  • Published By :
  • Published Date : 2023-07-18 15:40:40

ચોમાસાના આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને તેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગ્રામાં યમુનાનું જળસ્તર રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું, જેના કારણે 45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે. દિલ્હીમાં કહેર વરસાવ્યા બાદ હવે આગરા અને મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચી ગયું છે. આગ્રામાં યમુના નદીની જળ સપાટી અઢી ફિટ ઉપરથી વહી રહ્યું છે. હવે 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દિવાલને સ્પર્શી લીધુ છે. તે જ પ્રકારે તાજ મહેલની આસપાસ બનેલા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તાજગંજ સ્મશાન અને પોઈયાઘાટ બંને સંપુર્ણપણે જળમગ્ન નજરે પડી રહ્યું છે. જ્યારે પ્રાચીન દશેરા ઘાટ, એત્માદૌલા, રામ બાગ, મેહતાબ બાગ, જોહરા બાગ, કાલા બાગ જેવા વિસ્તારો પર પૂરનો ખતરો તોળાઈ રહ્યું છે. 


વહીવટીતંત્ર એલર્ટ મોડ પર


આગ્રામાં તાજમહેલ પાસે ASIએ પ્લિંથ પ્રોટેક્શનનું કામ કર્યું છે, આ વખતે યમુનાનું પાણી ત્યાં સુધી પહોંચી ગયું છે. ASI ઓફિસર પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું છે 1978માં ભારે પૂરની સ્થિતિના કારણે પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શ્યુ હતુ જે બાદ હવે 45 વર્ષે ફરી તાજમહેલની દિવાલને પાણી સ્પર્શ્યા છે. આગ્રામાં પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર પણ ફુલ એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા ફ્લડ આઉટપોસ્ટ બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .