આગ્રામાં 45 વર્ષ બાદ તાજમહેલની દીવાર સુધી પહોંચ્યું પાણી, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, વહીવટી તંત્ર સતર્ક


  • Published By :
  • Published Date : 2023-07-18 15:40:40

ચોમાસાના આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને તેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગ્રામાં યમુનાનું જળસ્તર રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું, જેના કારણે 45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે. દિલ્હીમાં કહેર વરસાવ્યા બાદ હવે આગરા અને મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચી ગયું છે. આગ્રામાં યમુના નદીની જળ સપાટી અઢી ફિટ ઉપરથી વહી રહ્યું છે. હવે 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દિવાલને સ્પર્શી લીધુ છે. તે જ પ્રકારે તાજ મહેલની આસપાસ બનેલા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તાજગંજ સ્મશાન અને પોઈયાઘાટ બંને સંપુર્ણપણે જળમગ્ન નજરે પડી રહ્યું છે. જ્યારે પ્રાચીન દશેરા ઘાટ, એત્માદૌલા, રામ બાગ, મેહતાબ બાગ, જોહરા બાગ, કાલા બાગ જેવા વિસ્તારો પર પૂરનો ખતરો તોળાઈ રહ્યું છે. 


વહીવટીતંત્ર એલર્ટ મોડ પર


આગ્રામાં તાજમહેલ પાસે ASIએ પ્લિંથ પ્રોટેક્શનનું કામ કર્યું છે, આ વખતે યમુનાનું પાણી ત્યાં સુધી પહોંચી ગયું છે. ASI ઓફિસર પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું છે 1978માં ભારે પૂરની સ્થિતિના કારણે પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શ્યુ હતુ જે બાદ હવે 45 વર્ષે ફરી તાજમહેલની દિવાલને પાણી સ્પર્શ્યા છે. આગ્રામાં પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર પણ ફુલ એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા ફ્લડ આઉટપોસ્ટ બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.