વર્ષોથી ચાલતી પરંપરા તૂટી! વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની શિખરે લહેરાતી ધજા ખંડિત થઈ! ભક્તોએ કહ્યું દ્વારકાધીશે સંકટ પોતાના માથે લઇ લીધું!


  • Published By :
  • Published Date : 2023-06-14 15:07:22

બિપોરજોય વાવાઝોડું અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારા પર સૌથી વધું ખતરો વાવાઝોડાને કારણે તોળાઈ રહ્યો છે. ત્યારે ભારે પવન અને વરસાદ હોવાને કારણે દ્વારકા મંદિરમાં બે ધ્વજાઓ ફરકી રહી હતી. પરંતુ હવે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા ધજા ન ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે 17 જૂન સુધી દ્વારકાધીશ મંદિર પર ધ્વજા નહીં ચઢે. ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મંદિરની એક ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સવારે બે ધજાઓમાંની એક ધજા ખંડિત થતાં અનેક ભક્તોની લાગણી દુભાઈ છે તો અનેક લોકોએ આને સારો સંકેત ગણવ્યો છે.

 


બે ધજામાંથી એક ધજા થઈ ખંડિત!        

બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જગતના નાથ ભગવાન દ્વારકાધીશ બિપોરજોય વાવાઝોડાના મહાસંકટથી આપણા રાજ્યને હેમખેમ ઉગારી લે તે માટે જગતમંદિર પર 2 ધજા એકસાથે ચડાવવામાં આવી હતી..જેની પાછળ એવી માન્યતા છે કે 2 ધજા ચડાવાઇ હોય તો ભગવાન સંકટ પોતાના માથે લઇ લે.. જો કે આજે દ્વારકામાં ભારે પવનને કારણે જે 2 ધજા ચડાવવામાં આવી હતી તેમાંની એક ધજા ખંડિત થઇ ગઇ છે. શ્રદ્ધામાં માનતા લોકો ધજા ખંડિત થવાની આ ઘટનાને એક સંકેત તરીકે ગણી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે ભગવાને કદાચ ખરેખર સંકટ પોતાના માથે લઇ લીધું છે. તો કેટલાક ભક્તો માગણી પણ કરી રહ્યા છે કે ધજાને હવે બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત એક કાપડ જ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.  


17 જૂન સુધી દ્વારકા મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધજા!

સામાન્ય દિવસોમાં જગતમંદિર જે હજારો-લાખોની ભીડથી ઉભરાતું હોય છે. ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે.. જો કે  આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે.  આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની રહી છે કે સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે..



ગુજરાત માટે આગામી કલાકો ભારે!

ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય...



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.