વર્ષોથી ચાલતી પરંપરા તૂટી! વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની શિખરે લહેરાતી ધજા ખંડિત થઈ! ભક્તોએ કહ્યું દ્વારકાધીશે સંકટ પોતાના માથે લઇ લીધું!


  • Published By :
  • Published Date : 2023-06-14 15:07:22

બિપોરજોય વાવાઝોડું અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારા પર સૌથી વધું ખતરો વાવાઝોડાને કારણે તોળાઈ રહ્યો છે. ત્યારે ભારે પવન અને વરસાદ હોવાને કારણે દ્વારકા મંદિરમાં બે ધ્વજાઓ ફરકી રહી હતી. પરંતુ હવે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા ધજા ન ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે 17 જૂન સુધી દ્વારકાધીશ મંદિર પર ધ્વજા નહીં ચઢે. ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મંદિરની એક ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સવારે બે ધજાઓમાંની એક ધજા ખંડિત થતાં અનેક ભક્તોની લાગણી દુભાઈ છે તો અનેક લોકોએ આને સારો સંકેત ગણવ્યો છે.

 


બે ધજામાંથી એક ધજા થઈ ખંડિત!        

બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જગતના નાથ ભગવાન દ્વારકાધીશ બિપોરજોય વાવાઝોડાના મહાસંકટથી આપણા રાજ્યને હેમખેમ ઉગારી લે તે માટે જગતમંદિર પર 2 ધજા એકસાથે ચડાવવામાં આવી હતી..જેની પાછળ એવી માન્યતા છે કે 2 ધજા ચડાવાઇ હોય તો ભગવાન સંકટ પોતાના માથે લઇ લે.. જો કે આજે દ્વારકામાં ભારે પવનને કારણે જે 2 ધજા ચડાવવામાં આવી હતી તેમાંની એક ધજા ખંડિત થઇ ગઇ છે. શ્રદ્ધામાં માનતા લોકો ધજા ખંડિત થવાની આ ઘટનાને એક સંકેત તરીકે ગણી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે ભગવાને કદાચ ખરેખર સંકટ પોતાના માથે લઇ લીધું છે. તો કેટલાક ભક્તો માગણી પણ કરી રહ્યા છે કે ધજાને હવે બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત એક કાપડ જ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.  


17 જૂન સુધી દ્વારકા મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધજા!

સામાન્ય દિવસોમાં જગતમંદિર જે હજારો-લાખોની ભીડથી ઉભરાતું હોય છે. ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે.. જો કે  આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે.  આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની રહી છે કે સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે..



ગુજરાત માટે આગામી કલાકો ભારે!

ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.