Yes બેંકના રાણા કપૂરને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-08-04 15:19:17

દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડ્રિંગ મામલે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની જમાનત અરજીને ફગાવી દીધી છે. કોર્ટે યસ બેંકના ફાઉન્ડરની જામીન અરજીને ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે કડક શબ્દોમાં રાણા કપૂરની ઝાટકણી કાઢી કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ સિસ્ટમને હચમચાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રાણા કપૂરને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 


કોર્ટે રાણા કપૂરની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટે રાણા કપૂર સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમની જામીન પર વિચાર કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને હલાવી નાખી હતી. તમને રાહત ન મળી શકે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. વર્ષ 2020માં સીબીઆઈ અને ઈડીએ તેમની સામે લાંચ, ભ્રષ્ટાચાર, અને મની લોન્ડ્રિંગના અનેક કેસમાં કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


યસ બેંક કૌંભાંડમાં બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોએ 100થી વધુ નાની-નાની કંપનીઓ બનાવીને રકમને ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાણા કપૂરે તેમની પત્ની માલિકાની કંપનીને 87 કરોડ રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. આ કેસમાં રાણા કપૂર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. માર્ચ 2020માં આરબીઆઈએ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી યસ બેંકને રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ તેના  AT1 બોન્ડ્સને રાઈટ ઓફ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આ નિર્ણય યસ બેંકને બચાવવા માટે કર્યો હતો. આરબીઆઈને મંજૂરીથી યસ બેંકએ  8,415 કરોડ રૂપિયાના AT-1 બોન્ડ્સને ખાલખાધમાં નાખીને માંડવાળ કરી બોન્ડની વેલ્યૂ ઝીરો કરી નાંખી હતી. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકોના કરોડો લોકોના રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.