Yes બેંકના રાણા કપૂરને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-08-04 15:19:17

દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડ્રિંગ મામલે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની જમાનત અરજીને ફગાવી દીધી છે. કોર્ટે યસ બેંકના ફાઉન્ડરની જામીન અરજીને ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે કડક શબ્દોમાં રાણા કપૂરની ઝાટકણી કાઢી કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ સિસ્ટમને હચમચાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રાણા કપૂરને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 


કોર્ટે રાણા કપૂરની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટે રાણા કપૂર સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમની જામીન પર વિચાર કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને હલાવી નાખી હતી. તમને રાહત ન મળી શકે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. વર્ષ 2020માં સીબીઆઈ અને ઈડીએ તેમની સામે લાંચ, ભ્રષ્ટાચાર, અને મની લોન્ડ્રિંગના અનેક કેસમાં કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


યસ બેંક કૌંભાંડમાં બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોએ 100થી વધુ નાની-નાની કંપનીઓ બનાવીને રકમને ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાણા કપૂરે તેમની પત્ની માલિકાની કંપનીને 87 કરોડ રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. આ કેસમાં રાણા કપૂર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. માર્ચ 2020માં આરબીઆઈએ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી યસ બેંકને રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ તેના  AT1 બોન્ડ્સને રાઈટ ઓફ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આ નિર્ણય યસ બેંકને બચાવવા માટે કર્યો હતો. આરબીઆઈને મંજૂરીથી યસ બેંકએ  8,415 કરોડ રૂપિયાના AT-1 બોન્ડ્સને ખાલખાધમાં નાખીને માંડવાળ કરી બોન્ડની વેલ્યૂ ઝીરો કરી નાંખી હતી. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકોના કરોડો લોકોના રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.