Yes બેંકના રાણા કપૂરને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-08-04 15:19:17

દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડ્રિંગ મામલે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની જમાનત અરજીને ફગાવી દીધી છે. કોર્ટે યસ બેંકના ફાઉન્ડરની જામીન અરજીને ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે કડક શબ્દોમાં રાણા કપૂરની ઝાટકણી કાઢી કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ સિસ્ટમને હચમચાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રાણા કપૂરને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 


કોર્ટે રાણા કપૂરની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટે રાણા કપૂર સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમની જામીન પર વિચાર કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને હલાવી નાખી હતી. તમને રાહત ન મળી શકે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. વર્ષ 2020માં સીબીઆઈ અને ઈડીએ તેમની સામે લાંચ, ભ્રષ્ટાચાર, અને મની લોન્ડ્રિંગના અનેક કેસમાં કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


યસ બેંક કૌંભાંડમાં બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોએ 100થી વધુ નાની-નાની કંપનીઓ બનાવીને રકમને ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાણા કપૂરે તેમની પત્ની માલિકાની કંપનીને 87 કરોડ રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. આ કેસમાં રાણા કપૂર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. માર્ચ 2020માં આરબીઆઈએ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી યસ બેંકને રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ તેના  AT1 બોન્ડ્સને રાઈટ ઓફ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આ નિર્ણય યસ બેંકને બચાવવા માટે કર્યો હતો. આરબીઆઈને મંજૂરીથી યસ બેંકએ  8,415 કરોડ રૂપિયાના AT-1 બોન્ડ્સને ખાલખાધમાં નાખીને માંડવાળ કરી બોન્ડની વેલ્યૂ ઝીરો કરી નાંખી હતી. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકોના કરોડો લોકોના રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .