Yes બેંકના રાણા કપૂરને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર, આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી


  • Published By :
  • Published Date : 2023-08-04 15:19:17

દેશની સર્વોચ્ચ અદાલતે મની લોન્ડ્રિંગ મામલે યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂરની જમાનત અરજીને ફગાવી દીધી છે. કોર્ટે યસ બેંકના ફાઉન્ડરની જામીન અરજીને ફગાવી દીધી છે. જામીન અરજીની સુનાવણી કરતા કોર્ટે કડક શબ્દોમાં રાણા કપૂરની ઝાટકણી કાઢી કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ સિસ્ટમને હચમચાવી દીધી હતી. આ સાથે જ કોર્ટે રાણા કપૂરને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમની જામીન અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. 


કોર્ટે રાણા કપૂરની કાઢી ઝાટકણી

સુપ્રીમ કોર્ટે રાણા કપૂર સામે ચાલી રહેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમની જામીન પર વિચાર કરવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશની બેંકિંગ અને ફાયનાન્સિયલ સિસ્ટમને હલાવી નાખી હતી. તમને રાહત ન મળી શકે. રાણા કપૂર છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. વર્ષ 2020માં સીબીઆઈ અને ઈડીએ તેમની સામે લાંચ, ભ્રષ્ટાચાર, અને મની લોન્ડ્રિંગના અનેક કેસમાં કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


યસ બેંક કૌંભાંડમાં બેંકના ફાઉન્ડર રાણા કપૂર અને તેમના પરિવારના સભ્યોએ 100થી વધુ નાની-નાની કંપનીઓ બનાવીને રકમને ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાણા કપૂરે તેમની પત્ની માલિકાની કંપનીને 87 કરોડ રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા હતા. આ કેસમાં રાણા કપૂર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. માર્ચ 2020માં આરબીઆઈએ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલી યસ બેંકને રીસ્ટ્રક્ચરીંગ સ્કીમ હેઠળ તેના  AT1 બોન્ડ્સને રાઈટ ઓફ કરવાનો આદેશ આપ્યો હતો. આરબીઆઈએ આ નિર્ણય યસ બેંકને બચાવવા માટે કર્યો હતો. આરબીઆઈને મંજૂરીથી યસ બેંકએ  8,415 કરોડ રૂપિયાના AT-1 બોન્ડ્સને ખાલખાધમાં નાખીને માંડવાળ કરી બોન્ડની વેલ્યૂ ઝીરો કરી નાંખી હતી. આ બોન્ડમાં રોકાણ કરનારા લોકોના કરોડો લોકોના રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. જો કે આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.