હા આ ગુજરાત તમે બનાવ્યું છે, પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-09 14:56:04

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપના સૂત્ર પર આકરા પ્રહારો કર્યા.10થી વધુ ટ્વિટ કરી ભાજપના કેમ્પેન સામે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે,કોરોનામાં ટળવળતુ ગુજરાત,તમેજ બનાવ્યુ છે..! 

ટવીટરથી કર્યા શાબ્દિક પ્રહાર 

ભાજપના નવું સૂત્ર કે, આ ગુજરાત અમે બનાવ્યું છે જેને લઈને પરેશ ધાનાણીએ ટ્વિટ કરતાં રાજકારણ ગરમાયું છે  ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી રાજકારણના કદાવર નેતા કહેવાય છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ અનેક નેતાઓને ચુંટણીમાં પછાડી દીધા છે. ધાનાણી સતત પક્ષ સામે છેકથી આક્રમક મૂડમાં રહેતા હોય છે. 

નરેન્દ્ર મોદી લાવ્યા આ સૂત્ર 

વલસાડના કપરાડામાં જ્યારે સભા હતી તે દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે.પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે.“આ ગુજરાત મેં બનાવ્યું છે.”વલસાડની સભામાં વારંવાર આ શબ્દો નરેન્દ્ર મોડી બોલ્યા હતા ત્યારબાદ બીજેપીએ આ સૂત્રને લઈને કેમ્પેન ચલાવ્યું હતું અને સોંગ પણ લોન્ચ કર્યું હતું 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.