હા આ ગુજરાત તમે બનાવ્યું છે, પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-09 14:56:04

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપના સૂત્ર પર આકરા પ્રહારો કર્યા.10થી વધુ ટ્વિટ કરી ભાજપના કેમ્પેન સામે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે,કોરોનામાં ટળવળતુ ગુજરાત,તમેજ બનાવ્યુ છે..! 

ટવીટરથી કર્યા શાબ્દિક પ્રહાર 

ભાજપના નવું સૂત્ર કે, આ ગુજરાત અમે બનાવ્યું છે જેને લઈને પરેશ ધાનાણીએ ટ્વિટ કરતાં રાજકારણ ગરમાયું છે  ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી રાજકારણના કદાવર નેતા કહેવાય છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ અનેક નેતાઓને ચુંટણીમાં પછાડી દીધા છે. ધાનાણી સતત પક્ષ સામે છેકથી આક્રમક મૂડમાં રહેતા હોય છે. 

નરેન્દ્ર મોદી લાવ્યા આ સૂત્ર 

વલસાડના કપરાડામાં જ્યારે સભા હતી તે દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે.પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે.“આ ગુજરાત મેં બનાવ્યું છે.”વલસાડની સભામાં વારંવાર આ શબ્દો નરેન્દ્ર મોડી બોલ્યા હતા ત્યારબાદ બીજેપીએ આ સૂત્રને લઈને કેમ્પેન ચલાવ્યું હતું અને સોંગ પણ લોન્ચ કર્યું હતું 




સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'