હા આ ગુજરાત તમે બનાવ્યું છે, પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-09 14:56:04

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપના સૂત્ર પર આકરા પ્રહારો કર્યા.10થી વધુ ટ્વિટ કરી ભાજપના કેમ્પેન સામે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે,કોરોનામાં ટળવળતુ ગુજરાત,તમેજ બનાવ્યુ છે..! 

ટવીટરથી કર્યા શાબ્દિક પ્રહાર 

ભાજપના નવું સૂત્ર કે, આ ગુજરાત અમે બનાવ્યું છે જેને લઈને પરેશ ધાનાણીએ ટ્વિટ કરતાં રાજકારણ ગરમાયું છે  ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી રાજકારણના કદાવર નેતા કહેવાય છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ અનેક નેતાઓને ચુંટણીમાં પછાડી દીધા છે. ધાનાણી સતત પક્ષ સામે છેકથી આક્રમક મૂડમાં રહેતા હોય છે. 

નરેન્દ્ર મોદી લાવ્યા આ સૂત્ર 

વલસાડના કપરાડામાં જ્યારે સભા હતી તે દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે.પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે.“આ ગુજરાત મેં બનાવ્યું છે.”વલસાડની સભામાં વારંવાર આ શબ્દો નરેન્દ્ર મોડી બોલ્યા હતા ત્યારબાદ બીજેપીએ આ સૂત્રને લઈને કેમ્પેન ચલાવ્યું હતું અને સોંગ પણ લોન્ચ કર્યું હતું 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.