SBIની આ એડ જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે?


  • Published By :
  • Published Date : 2023-08-19 17:24:15

SBI બેન્કનું નામ આપણા કાનમાં પડે ત્યારે આપણને એક જ વિચાર આવે કે અનેક ધક્કાઓ બાદ આપણું કામ થાય તો સારૂ. SBIના ખાતા ધારકો અનેક વખત બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓની ફરિયાદ કરતા હોય છે. જેવી સર્વિસ, જેવી સુવિધાઓ પ્રાઈવેટ બેન્કોમાં મળે છે તેવી સરકારી બેન્કોમાં નથી મળતી. અનેક વખત કામ પતાયા વગર લોકોએ પાછું ફરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ ખૂબ વાયરલ થઈ રહી છે. એ વીડિયોને જોઈ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBIમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે પૂરૂ!

સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક કસ્ટમર આવે છે અને તેનું કામ માત્ર પાંચ મિનીટની અંદર પૂર્ણ થઈ જાય છે. પાંચ મિનીટની અંદર કામ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેની આગળ બીજા ખાતા ધારકો ઉભા છે. એસબીઆઈની ખરી વાસ્તવિક્તા શું છે તે તો આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક્તા અને એડ એકદમ વિરોધાભાસી છે. એડને જોતા લોકો પોતાના હાસ્યને કંટ્રોલ નથી કરી શકતા. એડ જોતા લોકો કહી રહ્યા છે કે એસબીઆઈમાં જલદી કામ થવું એ અશક્ય છે. 


વીડિયો વાયરલ થતાં લોકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ 

એડ એટલી બધી વાયરલ થઈ કે લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આજકાલ તો પાંચ મિનીટ આ બારીએથી પેલી બારીમાં મોકલવામાં થાય છે. કોઈએ લખ્યું કે જે ભાઈએ આ એડ બનાવી છે તેમને આજની એસબીઆઈની દશા બતાવો. તે કંટાળીના જાય તો મારું નામ બદલી દેજો. મહત્વનું છે કે એ એડને જોતા લોકોને એસબીઆઈ સાથે થયેલા અનુભવો યાદ આવી રહ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે