SBIની આ એડ જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે?


  • Published By :
  • Published Date : 2023-08-19 17:24:15

SBI બેન્કનું નામ આપણા કાનમાં પડે ત્યારે આપણને એક જ વિચાર આવે કે અનેક ધક્કાઓ બાદ આપણું કામ થાય તો સારૂ. SBIના ખાતા ધારકો અનેક વખત બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓની ફરિયાદ કરતા હોય છે. જેવી સર્વિસ, જેવી સુવિધાઓ પ્રાઈવેટ બેન્કોમાં મળે છે તેવી સરકારી બેન્કોમાં નથી મળતી. અનેક વખત કામ પતાયા વગર લોકોએ પાછું ફરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ ખૂબ વાયરલ થઈ રહી છે. એ વીડિયોને જોઈ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBIમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે પૂરૂ!

સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક કસ્ટમર આવે છે અને તેનું કામ માત્ર પાંચ મિનીટની અંદર પૂર્ણ થઈ જાય છે. પાંચ મિનીટની અંદર કામ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેની આગળ બીજા ખાતા ધારકો ઉભા છે. એસબીઆઈની ખરી વાસ્તવિક્તા શું છે તે તો આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક્તા અને એડ એકદમ વિરોધાભાસી છે. એડને જોતા લોકો પોતાના હાસ્યને કંટ્રોલ નથી કરી શકતા. એડ જોતા લોકો કહી રહ્યા છે કે એસબીઆઈમાં જલદી કામ થવું એ અશક્ય છે. 


વીડિયો વાયરલ થતાં લોકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ 

એડ એટલી બધી વાયરલ થઈ કે લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આજકાલ તો પાંચ મિનીટ આ બારીએથી પેલી બારીમાં મોકલવામાં થાય છે. કોઈએ લખ્યું કે જે ભાઈએ આ એડ બનાવી છે તેમને આજની એસબીઆઈની દશા બતાવો. તે કંટાળીના જાય તો મારું નામ બદલી દેજો. મહત્વનું છે કે એ એડને જોતા લોકોને એસબીઆઈ સાથે થયેલા અનુભવો યાદ આવી રહ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.