SBIની આ એડ જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-19 17:24:15

SBI બેન્કનું નામ આપણા કાનમાં પડે ત્યારે આપણને એક જ વિચાર આવે કે અનેક ધક્કાઓ બાદ આપણું કામ થાય તો સારૂ. SBIના ખાતા ધારકો અનેક વખત બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓની ફરિયાદ કરતા હોય છે. જેવી સર્વિસ, જેવી સુવિધાઓ પ્રાઈવેટ બેન્કોમાં મળે છે તેવી સરકારી બેન્કોમાં નથી મળતી. અનેક વખત કામ પતાયા વગર લોકોએ પાછું ફરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ ખૂબ વાયરલ થઈ રહી છે. એ વીડિયોને જોઈ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBIમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે પૂરૂ!

સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક કસ્ટમર આવે છે અને તેનું કામ માત્ર પાંચ મિનીટની અંદર પૂર્ણ થઈ જાય છે. પાંચ મિનીટની અંદર કામ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેની આગળ બીજા ખાતા ધારકો ઉભા છે. એસબીઆઈની ખરી વાસ્તવિક્તા શું છે તે તો આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક્તા અને એડ એકદમ વિરોધાભાસી છે. એડને જોતા લોકો પોતાના હાસ્યને કંટ્રોલ નથી કરી શકતા. એડ જોતા લોકો કહી રહ્યા છે કે એસબીઆઈમાં જલદી કામ થવું એ અશક્ય છે. 


વીડિયો વાયરલ થતાં લોકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ 

એડ એટલી બધી વાયરલ થઈ કે લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આજકાલ તો પાંચ મિનીટ આ બારીએથી પેલી બારીમાં મોકલવામાં થાય છે. કોઈએ લખ્યું કે જે ભાઈએ આ એડ બનાવી છે તેમને આજની એસબીઆઈની દશા બતાવો. તે કંટાળીના જાય તો મારું નામ બદલી દેજો. મહત્વનું છે કે એ એડને જોતા લોકોને એસબીઆઈ સાથે થયેલા અનુભવો યાદ આવી રહ્યા છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે