SBIની આ એડ જોઈ તમે હસવાનું નહીં રોકી શકો! સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે?


  • Published By :
  • Published Date : 2023-08-19 17:24:15

SBI બેન્કનું નામ આપણા કાનમાં પડે ત્યારે આપણને એક જ વિચાર આવે કે અનેક ધક્કાઓ બાદ આપણું કામ થાય તો સારૂ. SBIના ખાતા ધારકો અનેક વખત બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓની ફરિયાદ કરતા હોય છે. જેવી સર્વિસ, જેવી સુવિધાઓ પ્રાઈવેટ બેન્કોમાં મળે છે તેવી સરકારી બેન્કોમાં નથી મળતી. અનેક વખત કામ પતાયા વગર લોકોએ પાછું ફરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ ખૂબ વાયરલ થઈ રહી છે. એ વીડિયોને જોઈ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBIમાં પાંચ મિનીટની અંદર કામ થાય છે પૂરૂ!

સોશિયલ મીડિયા પર એસબીઆઈની જૂની એડ વાયરલ થઈ રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક કસ્ટમર આવે છે અને તેનું કામ માત્ર પાંચ મિનીટની અંદર પૂર્ણ થઈ જાય છે. પાંચ મિનીટની અંદર કામ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તેની આગળ બીજા ખાતા ધારકો ઉભા છે. એસબીઆઈની ખરી વાસ્તવિક્તા શું છે તે તો આપણે બધા જાણીએ છીએ. વાસ્તવિક્તા અને એડ એકદમ વિરોધાભાસી છે. એડને જોતા લોકો પોતાના હાસ્યને કંટ્રોલ નથી કરી શકતા. એડ જોતા લોકો કહી રહ્યા છે કે એસબીઆઈમાં જલદી કામ થવું એ અશક્ય છે. 


વીડિયો વાયરલ થતાં લોકોએ આપ્યા અલગ અલગ પ્રતિભાવ 

એડ એટલી બધી વાયરલ થઈ કે લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે આજકાલ તો પાંચ મિનીટ આ બારીએથી પેલી બારીમાં મોકલવામાં થાય છે. કોઈએ લખ્યું કે જે ભાઈએ આ એડ બનાવી છે તેમને આજની એસબીઆઈની દશા બતાવો. તે કંટાળીના જાય તો મારું નામ બદલી દેજો. મહત્વનું છે કે એ એડને જોતા લોકોને એસબીઆઈ સાથે થયેલા અનુભવો યાદ આવી રહ્યા છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .