તથ્ય પટેલના વકીલ વિશે તમે આ નહીં જાણતા હોવ.... તથ્યને બચાવવા વકીલે આપ્યા વિચીત્ર તર્ક!


  • Published By :
  • Published Date : 2023-07-21 10:21:22

ગઈકાલે જે ઘટના અમદાવાદમાં બની તેણે બધાને હચમચાવી દીધા હતા. એક નબીરાએ રાતના અંધારામાં પોતાની ગાડી નીચે 9 લોકોને કચડી નાખ્યા હતા. આખો દિવસ બધે આ અંગે જ ચર્ચાઓ થઈ. મૃતકોના પરિવારજનોની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું, પરંતુ બધાને આશ્ચર્ય તથ્ય પટેલના પિતા તેમજ તેના વકીલ દ્વારા આપેલા નિવેદન પર હતું. વકીલનું નિવેદન સાંભળીને અનેક લોકોને થયું હશે કે પોતાના ક્લાઈન્ટને બચાવવા માટે વકીલ આ હદે પણ જઈ શકે છે? વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘટના સ્થળ પર અકસ્માત સર્જાયો તે બાદ બેરિકેટ કેમ ન લગાવ્યા? 

તથ્યના વકીલે કર્યો લૂલો બચાવ!

જે વ્યયક્તિએ 9 લોકોના જીવ લીધા તેને બચાવવા માટે વકીલ આ હદે જઈ  રહ્યા છે તે સાંભળીને ગુસ્સો આવતો હશે. એ વકીલ છે એ પોતાનું કામ કરે પણ માનવતાને છોડીને? ઘટનામાં આરોપીના વકીલ નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમના નિવેદનમાં એ એવું કહેતા દેખાય  કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ. 

વિચીત્ર તર્ક તથ્યના પિતાએ પણ આપ્યા

જ્યારે આપણે તે ઘટનાનો વીડિયો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તથ્યની ગાડીનો જે જગ્યા પર અકસ્માત થયો, તે જગ્યાએ પહોંચીને બ્રેક મારે છે. તે છતાં પણ વકીલ લૂલો બચાવ કરતાં રહ્યા. તે કહી રહ્યા છે કે કારની સ્પીડ આટલી હતી જ નહીં અને તથ્યનો કોઈ વાંક જ નથી. જો કારની સ્પીડ ન હતી તો  લોકો 10/15 ફૂટ દૂર જઈને કઈ રીતે ઉછળ્યા અને આ બોલતા પહેલા તમારી જીભના લથડી? કે તથ્યનો કોઈ વાંક નથી જો તથ્યનો વાંક નથી તો હવા આવીને 9 લોકો પર પડી અને તેમના મૃત્યુ થયા? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વકીલ નિશાર વૈદ્ય કિરણ પટેલના પણ વકીલ રહી ચૂક્યા છે. એટલે કાયદાની બધી છટક બારી આવડે છે આવા તર્ક માત્ર તથ્યના વકીલે જ નથી આપ્યા પરંતુ તથ્યના પિતાએ આપ્યા છે. તેના પિતાએ પણ કહ્યું કે ઘટનાની જાણ થતાં હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. 

નબીરાઓને નથી કાયદાનો ડર!

જો તમારામાં તમારા બાળકોને કાબૂમાં રાખવાની તેવડ જ નથી તો કેમ એમને આટલી મોંઘી મોંઘી ગાડી આપી દો છો. આ એ માં બાપ છે જેને ક્યારેય પોતાના બાળકને કોઈના જીવની કિંમત શું હોય તે નહીં શીખવાડ્યું હોય મોટી વાત તો એ થઈ કે આખી ઘટના જે થારના અકસ્માતથી શરૂ થઈ તે થાર ચલાવનાર એક સગીર હતો. જેની ઉંમર 16 વર્ષ હતી એટલે 16 વર્ષના થાર ચલાવનાર છોકરાને કે 19 વર્ષના તથ્યને કોઈ કાયદાનો ડર નથી અને બધા કાયદા અને લોકોને તેને કચડી નાખ્યા છે!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.