તથ્ય પટેલના વકીલ વિશે તમે આ નહીં જાણતા હોવ.... તથ્યને બચાવવા વકીલે આપ્યા વિચીત્ર તર્ક!


  • Published By :
  • Published Date : 2023-07-21 10:21:22

ગઈકાલે જે ઘટના અમદાવાદમાં બની તેણે બધાને હચમચાવી દીધા હતા. એક નબીરાએ રાતના અંધારામાં પોતાની ગાડી નીચે 9 લોકોને કચડી નાખ્યા હતા. આખો દિવસ બધે આ અંગે જ ચર્ચાઓ થઈ. મૃતકોના પરિવારજનોની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું, પરંતુ બધાને આશ્ચર્ય તથ્ય પટેલના પિતા તેમજ તેના વકીલ દ્વારા આપેલા નિવેદન પર હતું. વકીલનું નિવેદન સાંભળીને અનેક લોકોને થયું હશે કે પોતાના ક્લાઈન્ટને બચાવવા માટે વકીલ આ હદે પણ જઈ શકે છે? વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘટના સ્થળ પર અકસ્માત સર્જાયો તે બાદ બેરિકેટ કેમ ન લગાવ્યા? 

તથ્યના વકીલે કર્યો લૂલો બચાવ!

જે વ્યયક્તિએ 9 લોકોના જીવ લીધા તેને બચાવવા માટે વકીલ આ હદે જઈ  રહ્યા છે તે સાંભળીને ગુસ્સો આવતો હશે. એ વકીલ છે એ પોતાનું કામ કરે પણ માનવતાને છોડીને? ઘટનામાં આરોપીના વકીલ નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમના નિવેદનમાં એ એવું કહેતા દેખાય  કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ. 

વિચીત્ર તર્ક તથ્યના પિતાએ પણ આપ્યા

જ્યારે આપણે તે ઘટનાનો વીડિયો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તથ્યની ગાડીનો જે જગ્યા પર અકસ્માત થયો, તે જગ્યાએ પહોંચીને બ્રેક મારે છે. તે છતાં પણ વકીલ લૂલો બચાવ કરતાં રહ્યા. તે કહી રહ્યા છે કે કારની સ્પીડ આટલી હતી જ નહીં અને તથ્યનો કોઈ વાંક જ નથી. જો કારની સ્પીડ ન હતી તો  લોકો 10/15 ફૂટ દૂર જઈને કઈ રીતે ઉછળ્યા અને આ બોલતા પહેલા તમારી જીભના લથડી? કે તથ્યનો કોઈ વાંક નથી જો તથ્યનો વાંક નથી તો હવા આવીને 9 લોકો પર પડી અને તેમના મૃત્યુ થયા? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વકીલ નિશાર વૈદ્ય કિરણ પટેલના પણ વકીલ રહી ચૂક્યા છે. એટલે કાયદાની બધી છટક બારી આવડે છે આવા તર્ક માત્ર તથ્યના વકીલે જ નથી આપ્યા પરંતુ તથ્યના પિતાએ આપ્યા છે. તેના પિતાએ પણ કહ્યું કે ઘટનાની જાણ થતાં હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. 

નબીરાઓને નથી કાયદાનો ડર!

જો તમારામાં તમારા બાળકોને કાબૂમાં રાખવાની તેવડ જ નથી તો કેમ એમને આટલી મોંઘી મોંઘી ગાડી આપી દો છો. આ એ માં બાપ છે જેને ક્યારેય પોતાના બાળકને કોઈના જીવની કિંમત શું હોય તે નહીં શીખવાડ્યું હોય મોટી વાત તો એ થઈ કે આખી ઘટના જે થારના અકસ્માતથી શરૂ થઈ તે થાર ચલાવનાર એક સગીર હતો. જેની ઉંમર 16 વર્ષ હતી એટલે 16 વર્ષના થાર ચલાવનાર છોકરાને કે 19 વર્ષના તથ્યને કોઈ કાયદાનો ડર નથી અને બધા કાયદા અને લોકોને તેને કચડી નાખ્યા છે!



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.