તથ્ય પટેલના વકીલ વિશે તમે આ નહીં જાણતા હોવ.... તથ્યને બચાવવા વકીલે આપ્યા વિચીત્ર તર્ક!


  • Published By :
  • Published Date : 2023-07-21 10:21:22

ગઈકાલે જે ઘટના અમદાવાદમાં બની તેણે બધાને હચમચાવી દીધા હતા. એક નબીરાએ રાતના અંધારામાં પોતાની ગાડી નીચે 9 લોકોને કચડી નાખ્યા હતા. આખો દિવસ બધે આ અંગે જ ચર્ચાઓ થઈ. મૃતકોના પરિવારજનોની પ્રતિક્રિયા આવી હતી જેમાં તેમનું દર્દ છલકાઈ આવ્યું હતું, પરંતુ બધાને આશ્ચર્ય તથ્ય પટેલના પિતા તેમજ તેના વકીલ દ્વારા આપેલા નિવેદન પર હતું. વકીલનું નિવેદન સાંભળીને અનેક લોકોને થયું હશે કે પોતાના ક્લાઈન્ટને બચાવવા માટે વકીલ આ હદે પણ જઈ શકે છે? વકીલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઘટના સ્થળ પર અકસ્માત સર્જાયો તે બાદ બેરિકેટ કેમ ન લગાવ્યા? 

તથ્યના વકીલે કર્યો લૂલો બચાવ!

જે વ્યયક્તિએ 9 લોકોના જીવ લીધા તેને બચાવવા માટે વકીલ આ હદે જઈ  રહ્યા છે તે સાંભળીને ગુસ્સો આવતો હશે. એ વકીલ છે એ પોતાનું કામ કરે પણ માનવતાને છોડીને? ઘટનામાં આરોપીના વકીલ નિશાર વૈધે તો દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળી દીધો. તેમના નિવેદનમાં એ એવું કહેતા દેખાય  કે ગાડીની સ્પીડ 160ની નહોતી, રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થયું હતું, લાઈવ ટ્રાફિક હતો અને વરસાદ પણ ચાલું હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. તપાસમાં બધું સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ. 

વિચીત્ર તર્ક તથ્યના પિતાએ પણ આપ્યા

જ્યારે આપણે તે ઘટનાનો વીડિયો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તથ્યની ગાડીનો જે જગ્યા પર અકસ્માત થયો, તે જગ્યાએ પહોંચીને બ્રેક મારે છે. તે છતાં પણ વકીલ લૂલો બચાવ કરતાં રહ્યા. તે કહી રહ્યા છે કે કારની સ્પીડ આટલી હતી જ નહીં અને તથ્યનો કોઈ વાંક જ નથી. જો કારની સ્પીડ ન હતી તો  લોકો 10/15 ફૂટ દૂર જઈને કઈ રીતે ઉછળ્યા અને આ બોલતા પહેલા તમારી જીભના લથડી? કે તથ્યનો કોઈ વાંક નથી જો તથ્યનો વાંક નથી તો હવા આવીને 9 લોકો પર પડી અને તેમના મૃત્યુ થયા? એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વકીલ નિશાર વૈદ્ય કિરણ પટેલના પણ વકીલ રહી ચૂક્યા છે. એટલે કાયદાની બધી છટક બારી આવડે છે આવા તર્ક માત્ર તથ્યના વકીલે જ નથી આપ્યા પરંતુ તથ્યના પિતાએ આપ્યા છે. તેના પિતાએ પણ કહ્યું કે ઘટનાની જાણ થતાં હું ઈસ્કોન બ્રિજ પર પહોંચ્યો હતો. મારા દીકરાને લોકો માર મારી રહ્યા હતા, એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો હતો. તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. ત્યારે મને કોઈ વિચાર ન આવ્યો. તેની પાસે લાયસન્સ પણ છે. હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. 

નબીરાઓને નથી કાયદાનો ડર!

જો તમારામાં તમારા બાળકોને કાબૂમાં રાખવાની તેવડ જ નથી તો કેમ એમને આટલી મોંઘી મોંઘી ગાડી આપી દો છો. આ એ માં બાપ છે જેને ક્યારેય પોતાના બાળકને કોઈના જીવની કિંમત શું હોય તે નહીં શીખવાડ્યું હોય મોટી વાત તો એ થઈ કે આખી ઘટના જે થારના અકસ્માતથી શરૂ થઈ તે થાર ચલાવનાર એક સગીર હતો. જેની ઉંમર 16 વર્ષ હતી એટલે 16 વર્ષના થાર ચલાવનાર છોકરાને કે 19 વર્ષના તથ્યને કોઈ કાયદાનો ડર નથી અને બધા કાયદા અને લોકોને તેને કચડી નાખ્યા છે!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.