સનસેટના આવા ફોટો તમે નહીં જોયા હોય! પોતાની આવડતથી ગોધરાના યુવાને મેળવ્યું ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-03-21 10:52:36

દરેક વ્યક્તિમાં અનેક ખુબીઓ રહેલી હોય છે. જો ખુબીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો પોતાના શોખથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં પોતાની લગન અને પોતાના ઉત્સાહને કારણે અનેક રેકોર્ડ બ્રેક કરવામાં આવતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ગોધરાના યુવાનનો સામે આવ્યો છે. ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે.     


15 મિનિટમાં સનસેટના પાડ્યા 100 જેટલા ફોટો

પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.  ગોધરાના બામરોલી રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા વિવેક ગોપાલ શાહે 15 મિનિટમાં 100 જેટલા સનસેટના ફોટોગ્રાફ ક્લીક કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અલગ અલગ વિષયો પર ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જ્યારથી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો ત્યારથી તેને ફોટોગ્રાફીમાં શોખ હતો. બીજા કશામાં તેનો જીવ લાગતો ન હતો. જેને લઈ નોકરી છોડી અને અમદાવાદ ખાતે શિફ્ટ થયો હતો. શોર્ટફિલમ્સ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરી હતી. 


કરેલી મહેનત વ્યર્થ નથી જતી!

દરરોજ સનસેટની ફોટોગ્રાફી કરતો હોવાથી તેણે આવી ફોટોગ્રાફીને લઈ આગળ વધવાનો નિર્ણય કર્યો. 15 મિનીટમાં 100 જેટલા સૂર્યાસ્તના ફોટો પાડી ઓનલાઈન મોકલી આપ્યા. જેનો જવાબ 20થી 25 દિવસની અંદર આવ્યો હતો. ફોટોગ્રાફીમાં કરવામાં આવેલી મહેનત રંગ લાવી અને સમગ્ર ભારતમાંથી એકમાત્ર યુવાને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.