સનસેટના આવા ફોટો તમે નહીં જોયા હોય! પોતાની આવડતથી ગોધરાના યુવાને મેળવ્યું ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન


  • Published By :
  • Published Date : 2023-03-21 10:52:36

દરેક વ્યક્તિમાં અનેક ખુબીઓ રહેલી હોય છે. જો ખુબીઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો પોતાના શોખથી અનેક સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં પોતાની લગન અને પોતાના ઉત્સાહને કારણે અનેક રેકોર્ડ બ્રેક કરવામાં આવતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ગોધરાના યુવાનનો સામે આવ્યો છે. ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાની સિદ્ધિ નોંધાવી છે.     


15 મિનિટમાં સનસેટના પાડ્યા 100 જેટલા ફોટો

પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે ગોધરાના યુવાને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.  ગોધરાના બામરોલી રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા વિવેક ગોપાલ શાહે 15 મિનિટમાં 100 જેટલા સનસેટના ફોટોગ્રાફ ક્લીક કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અલગ અલગ વિષયો પર ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જ્યારથી સ્કૂલમાં તે અભ્યાસ કરતો હતો ત્યારથી તેને ફોટોગ્રાફીમાં શોખ હતો. બીજા કશામાં તેનો જીવ લાગતો ન હતો. જેને લઈ નોકરી છોડી અને અમદાવાદ ખાતે શિફ્ટ થયો હતો. શોર્ટફિલમ્સ, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી કરી હતી. 


કરેલી મહેનત વ્યર્થ નથી જતી!

દરરોજ સનસેટની ફોટોગ્રાફી કરતો હોવાથી તેણે આવી ફોટોગ્રાફીને લઈ આગળ વધવાનો નિર્ણય કર્યો. 15 મિનીટમાં 100 જેટલા સૂર્યાસ્તના ફોટો પાડી ઓનલાઈન મોકલી આપ્યા. જેનો જવાબ 20થી 25 દિવસની અંદર આવ્યો હતો. ફોટોગ્રાફીમાં કરવામાં આવેલી મહેનત રંગ લાવી અને સમગ્ર ભારતમાંથી એકમાત્ર યુવાને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું હતું. જે બાદ મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.