Policeનો આ ચહેરો તમે નહીં જોયો હોય, આ કિસ્સાઓ તમારો પોલીસ પ્રત્યેનો અભિગમ બદલી દેશે!


  • Published By :
  • Published Date : 2023-10-29 19:44:27

પોલીસની જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસની કામગીરી પર અનેક વખત અમે પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. અનેક વખત એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કહેવું પડતું હોય છે કે પોલીસની માનવતા મરી પરવારી છે. પોલીસમાં માનવતા જેવી વસ્તુ જ નથી વગેરે... વગેરે... આજે પોલીસની જ વાત કરવી છે પરંતુ એવા ચહેરાની જે જોવા તો મળે છે પરંતુ બહુ ભાગ્યે. એવા પોલીસ વાળાની વાત કરવી છે જેઓ દયાળું હોય છે..!

  સુરત કોર્ટમાં લથડી પડેલી યુવતીને ...

પોલીસને કારણે બચ્યો યુવતીનો જીવ  

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે.બે દિવસ પહેલા કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતા જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો. તેમાં PSI બી.એસ.પરમાર પણ હતા. યુવતી બેભાન કેમ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તપાસતા યુવતીનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ ન કર્યો અને યુવતીનો જીવ બચાવા માટે પ્રયત્ન કર્યો. પીએસઆઈએ યુવતીને ખભે ઉચકી અને ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા. તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો. 


મહિલા પોલીસે કરી હતી બાળકની સંભાળ 

થોડા સમય પહેલા એક આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે પોલીસની મમતા છલકાઈ હતી એક મહિલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક બેન પરીક્ષા આપવા પોતાના બાળક સાથે exam હૉલ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે 3 કલાક બાળકની સંભાળ લીધી અને તેને સાચવ્યું. લોકોએ તે પોલીસ કોન્સટેમ્બલના ઘણા વખાણ પણ કર્યા હતા 

નાની બાળકીની જવાબદારી પોલીસે ઉઠાવી  

અને આ તો કઈ નથી, થોડા મહિના પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો . જેમાં સુરતમાં એક બાળકના માતા પિતાના અવસાન પછી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બની . દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે ઉઠાવી. પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર પણ કરાવ્યા હતા. પોલીસે માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું એટલે પોલીસ વિશે કે કોઈ પણ વિશે છબી બનાવો તો એમની નેગેટિવ સાઈડ જોવો તો એક વાર આ સાઈડ પણ જોજો!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.