Policeનો આ ચહેરો તમે નહીં જોયો હોય, આ કિસ્સાઓ તમારો પોલીસ પ્રત્યેનો અભિગમ બદલી દેશે!


  • Published By :
  • Published Date : 2023-10-29 19:44:27

પોલીસની જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસની કામગીરી પર અનેક વખત અમે પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. અનેક વખત એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કહેવું પડતું હોય છે કે પોલીસની માનવતા મરી પરવારી છે. પોલીસમાં માનવતા જેવી વસ્તુ જ નથી વગેરે... વગેરે... આજે પોલીસની જ વાત કરવી છે પરંતુ એવા ચહેરાની જે જોવા તો મળે છે પરંતુ બહુ ભાગ્યે. એવા પોલીસ વાળાની વાત કરવી છે જેઓ દયાળું હોય છે..!

  સુરત કોર્ટમાં લથડી પડેલી યુવતીને ...

પોલીસને કારણે બચ્યો યુવતીનો જીવ  

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે.બે દિવસ પહેલા કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતા જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો. તેમાં PSI બી.એસ.પરમાર પણ હતા. યુવતી બેભાન કેમ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તપાસતા યુવતીનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ ન કર્યો અને યુવતીનો જીવ બચાવા માટે પ્રયત્ન કર્યો. પીએસઆઈએ યુવતીને ખભે ઉચકી અને ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા. તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો. 


મહિલા પોલીસે કરી હતી બાળકની સંભાળ 

થોડા સમય પહેલા એક આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે પોલીસની મમતા છલકાઈ હતી એક મહિલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક બેન પરીક્ષા આપવા પોતાના બાળક સાથે exam હૉલ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે 3 કલાક બાળકની સંભાળ લીધી અને તેને સાચવ્યું. લોકોએ તે પોલીસ કોન્સટેમ્બલના ઘણા વખાણ પણ કર્યા હતા 

નાની બાળકીની જવાબદારી પોલીસે ઉઠાવી  

અને આ તો કઈ નથી, થોડા મહિના પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો . જેમાં સુરતમાં એક બાળકના માતા પિતાના અવસાન પછી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બની . દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે ઉઠાવી. પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર પણ કરાવ્યા હતા. પોલીસે માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું એટલે પોલીસ વિશે કે કોઈ પણ વિશે છબી બનાવો તો એમની નેગેટિવ સાઈડ જોવો તો એક વાર આ સાઈડ પણ જોજો!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.