Policeનો આ ચહેરો તમે નહીં જોયો હોય, આ કિસ્સાઓ તમારો પોલીસ પ્રત્યેનો અભિગમ બદલી દેશે!


  • Published By :
  • Published Date : 2023-10-29 19:44:27

પોલીસની જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસની કામગીરી પર અનેક વખત અમે પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. અનેક વખત એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કહેવું પડતું હોય છે કે પોલીસની માનવતા મરી પરવારી છે. પોલીસમાં માનવતા જેવી વસ્તુ જ નથી વગેરે... વગેરે... આજે પોલીસની જ વાત કરવી છે પરંતુ એવા ચહેરાની જે જોવા તો મળે છે પરંતુ બહુ ભાગ્યે. એવા પોલીસ વાળાની વાત કરવી છે જેઓ દયાળું હોય છે..!

  સુરત કોર્ટમાં લથડી પડેલી યુવતીને ...

પોલીસને કારણે બચ્યો યુવતીનો જીવ  

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે.બે દિવસ પહેલા કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતા જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો. તેમાં PSI બી.એસ.પરમાર પણ હતા. યુવતી બેભાન કેમ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તપાસતા યુવતીનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ ન કર્યો અને યુવતીનો જીવ બચાવા માટે પ્રયત્ન કર્યો. પીએસઆઈએ યુવતીને ખભે ઉચકી અને ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા. તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો. 


મહિલા પોલીસે કરી હતી બાળકની સંભાળ 

થોડા સમય પહેલા એક આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે પોલીસની મમતા છલકાઈ હતી એક મહિલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક બેન પરીક્ષા આપવા પોતાના બાળક સાથે exam હૉલ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે 3 કલાક બાળકની સંભાળ લીધી અને તેને સાચવ્યું. લોકોએ તે પોલીસ કોન્સટેમ્બલના ઘણા વખાણ પણ કર્યા હતા 

નાની બાળકીની જવાબદારી પોલીસે ઉઠાવી  

અને આ તો કઈ નથી, થોડા મહિના પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો . જેમાં સુરતમાં એક બાળકના માતા પિતાના અવસાન પછી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બની . દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે ઉઠાવી. પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર પણ કરાવ્યા હતા. પોલીસે માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું એટલે પોલીસ વિશે કે કોઈ પણ વિશે છબી બનાવો તો એમની નેગેટિવ સાઈડ જોવો તો એક વાર આ સાઈડ પણ જોજો!



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.