Policeનો આ ચહેરો તમે નહીં જોયો હોય, આ કિસ્સાઓ તમારો પોલીસ પ્રત્યેનો અભિગમ બદલી દેશે!


  • Published By :
  • Published Date : 2023-10-29 19:44:27

પોલીસની જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે પોલીસની કામગીરી પર અનેક વખત અમે પ્રશ્ન ઉઠાવતા હોઈએ છીએ. અનેક વખત એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કહેવું પડતું હોય છે કે પોલીસની માનવતા મરી પરવારી છે. પોલીસમાં માનવતા જેવી વસ્તુ જ નથી વગેરે... વગેરે... આજે પોલીસની જ વાત કરવી છે પરંતુ એવા ચહેરાની જે જોવા તો મળે છે પરંતુ બહુ ભાગ્યે. એવા પોલીસ વાળાની વાત કરવી છે જેઓ દયાળું હોય છે..!

  સુરત કોર્ટમાં લથડી પડેલી યુવતીને ...

પોલીસને કારણે બચ્યો યુવતીનો જીવ  

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે.બે દિવસ પહેલા કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતા જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો. તેમાં PSI બી.એસ.પરમાર પણ હતા. યુવતી બેભાન કેમ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તપાસતા યુવતીનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. 108ને કોલ કરીને જાણ કરવામાં આવી. પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ ન કર્યો અને યુવતીનો જીવ બચાવા માટે પ્રયત્ન કર્યો. પીએસઆઈએ યુવતીને ખભે ઉચકી અને ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા. તાત્કાલિક સારવાર મળતા યુવતીનો જીવ બચી ગયો. 


મહિલા પોલીસે કરી હતી બાળકની સંભાળ 

થોડા સમય પહેલા એક આવો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે પોલીસની મમતા છલકાઈ હતી એક મહિલા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક બેન પરીક્ષા આપવા પોતાના બાળક સાથે exam હૉલ સુધી પહોંચ્યા ત્યારે પોલીસે 3 કલાક બાળકની સંભાળ લીધી અને તેને સાચવ્યું. લોકોએ તે પોલીસ કોન્સટેમ્બલના ઘણા વખાણ પણ કર્યા હતા 

નાની બાળકીની જવાબદારી પોલીસે ઉઠાવી  

અને આ તો કઈ નથી, થોડા મહિના પહેલા જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો . જેમાં સુરતમાં એક બાળકના માતા પિતાના અવસાન પછી છ વર્ષની માસૂમ દીકરીનો પરિવાર પોલીસ બની . દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે ઉઠાવી. પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર પણ કરાવ્યા હતા. પોલીસે માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ આપ્યું હતું એટલે પોલીસ વિશે કે કોઈ પણ વિશે છબી બનાવો તો એમની નેગેટિવ સાઈડ જોવો તો એક વાર આ સાઈડ પણ જોજો!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.