મેઘતાંડવ માટે રહેવું પડશે તૈયાર, જાણો વરસાદને લઈ અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-22 17:54:20

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ ખાબક્યો કે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજાએ થોડા દિવસો માટે આરામ લીધો હતો પરંતુ ગુજરાતને ધમરોળવા મેઘરાજા તૈયાર છે. પહેલા બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આવ્યું હતું પરંતુ હવે ચોમાસાએ બોસની જેમ એન્ટ્રી કરી છે. વરસાદના બે રાઉન્ડે ગુજરાતને પાણી પાણી કરી દીધું હતું ત્યારે હવે ત્રીજો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે.


આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 22 અને 23 જુલાઈ સુધી કરવામાં આવેલી આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, જૂનગઢ,સુરત, નવસારી, દમણ, દાદાનગરનો સમાવેશ થાય છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ - પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, આણંદ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ગુજરાતના મુખ્યત્વે બધા ભાગો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી 

ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહી પર લોકો ધ્યાન આપતા હોય છે. એક હોય છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી આગાહી, તો બીજી હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે.  


આ જગ્યાઓ પર આટલો વરસી ચૂક્યો છે વરસાદ

જો રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. મોટા ભાગના ડેમ ફૂલ થઈ ગયા છે. જૂનાગઢમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. માત્ર કલાકની અંદર અનેક ઈંચ વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ન માત્ર રસ્તાઓ પર દેખાયા હતા પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.