મેઘતાંડવ માટે રહેવું પડશે તૈયાર, જાણો વરસાદને લઈ અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-07-22 17:54:20

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં એટલો ભારે વરસાદ ખાબક્યો કે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજાએ થોડા દિવસો માટે આરામ લીધો હતો પરંતુ ગુજરાતને ધમરોળવા મેઘરાજા તૈયાર છે. પહેલા બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. બિપોરજોય વાવાઝોડાને કારણે ચોમાસું મોડું આવ્યું હતું પરંતુ હવે ચોમાસાએ બોસની જેમ એન્ટ્રી કરી છે. વરસાદના બે રાઉન્ડે ગુજરાતને પાણી પાણી કરી દીધું હતું ત્યારે હવે ત્રીજો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે.


આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 22 અને 23 જુલાઈ સુધી કરવામાં આવેલી આગાહી પ્રમાણે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, જૂનગઢ,સુરત, નવસારી, દમણ, દાદાનગરનો સમાવેશ થાય છે. તે સિવાય ઓરેન્જ એલર્ટ - પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, આણંદ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ગુજરાતના મુખ્યત્વે બધા ભાગો માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી 

ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહી પર લોકો ધ્યાન આપતા હોય છે. એક હોય છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી આગાહી, તો બીજી હોય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મેઘતાંડવ યથાવત રહેશે.  


આ જગ્યાઓ પર આટલો વરસી ચૂક્યો છે વરસાદ

જો રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરીએ તો નવસારીમાં બે કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બની ગયું છે. વિસ્તારો બોટમાં ફેરવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. મોટા ભાગના ડેમ ફૂલ થઈ ગયા છે. જૂનાગઢમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. માત્ર કલાકની અંદર અનેક ઈંચ વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ન માત્ર રસ્તાઓ પર દેખાયા હતા પરંતુ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.