એેમ્બ્યુલન્સ ન મળતા ગર્ભવતી પત્નીને હાથલારીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યો યુવાન, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 17:23:39

દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આપણી સરકાર શિક્ષણ, આરોગ્ય, કુપોષણ સહિતની પાયાની સમસ્યાઓનું નિવારણ કરી શકી નથી. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર લોકોને સુવિધાઓ આપવાના બદલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી મુળ સમસ્યાથી લોકોનું ધ્યાન  બીજે લઈ જતી હોય છે. દેશના બિમારૂ રાજ્ય મનાતા બિહાર,મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશમાં તો લોકોની હાલત સૌથી વધુ દયનીય છે.


મધ્ય પ્રદેશના દમોહનો વીડિયો વાયરલ


મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના રનેહ ગામનો વીડિયો આજકાલ ખુબ વાયરલ થયો છે. ગામના એક યુવાન કૈલાસ અહિરવારે તેની ગર્ભવતી પત્નીને હાથલારી દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. એેમ્બ્યુલન્સ ન મળતા તે યુવાન હાથલારી પર પત્નીને લઈ બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યો હતો પણ ત્યાં સ્ટાફ ન હતો. જોવાની બાબત એ છે કે તે યુવાન ગર્ભવતી પત્નીને લઈ જિલ્લા રેફરલ હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં પણ નર્સ કે ડોક્ટર ફરજ પર હાજર ન હતા. અંતે પત્નીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વીડિયો જોઈ લોકો રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ફિટકાર વરસાવી રહ્યા છે.  


જવાબદારો સામે કાર્યવાહી થશે?


આ ઘટના બાબતે બીએમઓ આર પી કોરીનું કહેવું છે કે આ મામલાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે. રનેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોણ ફરજ પર હતું તેની તપાસ કરી સરકાર કાર્યવાહી કરશે. એ પણ તપાસ કરવામાં આવશે કે તે સમયે 108 એમ્બ્યુલન્સ પર કોણ હતું. આ મામલે બે દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.