એેમ્બ્યુલન્સ ન મળતા ગર્ભવતી પત્નીને હાથલારીમાં લઈ હોસ્પિટલ પહોંચ્યો યુવાન, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 17:23:39

દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આપણી સરકાર શિક્ષણ, આરોગ્ય, કુપોષણ સહિતની પાયાની સમસ્યાઓનું નિવારણ કરી શકી નથી. કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર લોકોને સુવિધાઓ આપવાના બદલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી મુળ સમસ્યાથી લોકોનું ધ્યાન  બીજે લઈ જતી હોય છે. દેશના બિમારૂ રાજ્ય મનાતા બિહાર,મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, અને ઉત્તર પ્રદેશમાં તો લોકોની હાલત સૌથી વધુ દયનીય છે.


મધ્ય પ્રદેશના દમોહનો વીડિયો વાયરલ


મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના રનેહ ગામનો વીડિયો આજકાલ ખુબ વાયરલ થયો છે. ગામના એક યુવાન કૈલાસ અહિરવારે તેની ગર્ભવતી પત્નીને હાથલારી દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. એેમ્બ્યુલન્સ ન મળતા તે યુવાન હાથલારી પર પત્નીને લઈ બે કિલોમીટર દુર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યો હતો પણ ત્યાં સ્ટાફ ન હતો. જોવાની બાબત એ છે કે તે યુવાન ગર્ભવતી પત્નીને લઈ જિલ્લા રેફરલ હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં પણ નર્સ કે ડોક્ટર ફરજ પર હાજર ન હતા. અંતે પત્નીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વીડિયો જોઈ લોકો રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર ફિટકાર વરસાવી રહ્યા છે.  


જવાબદારો સામે કાર્યવાહી થશે?


આ ઘટના બાબતે બીએમઓ આર પી કોરીનું કહેવું છે કે આ મામલાનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે. રનેહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોણ ફરજ પર હતું તેની તપાસ કરી સરકાર કાર્યવાહી કરશે. એ પણ તપાસ કરવામાં આવશે કે તે સમયે 108 એમ્બ્યુલન્સ પર કોણ હતું. આ મામલે બે દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"