સરખેજમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે વીડિયો બનાવી કરી હતી આત્મહત્યા, 2 મહિના પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દુર


  • Published By :
  • Published Date : 2023-05-28 18:05:36

અમદાવાદના સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આવેલા ટોરેન્ટ પાવર સબ સ્ટેશનના પહેલા માળે એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આજથી લગભગ 2 મહિના પહેલાં  યુવકે પોતાના પત્ની સહિત સાસરિયાઓના ત્રાસથી મોતને વ્હાલું કરતા ચકચાર મચી ગઈ હતી. યુવકે તેની કેફિયત અંગેનો વીડિયો મોબાઇલમાં ઉતારીને વાઇરલ કર્યા બાદ આપઘાત કરી લીધો હતો. આ ફરિયાદના પગલે ધરપકડ ટાળવા માટે પત્ની સહિત સાસરિયાઓ ભૂગર્ભમાં ઊતરી ગયાં છે. 


સમગ્ર મામલો શું હતો?


સરખેજમાં અક્ષય ચૌધરી નામના યુવકે પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો અને વેજલપુરમાં રહેતો હતો. 4 ડિસેમ્બર 2022ના રોજ અક્ષય ચૌધરીના લગ્ન પ્રિંયકા સાથે થયા હતા. લગ્ન બાદ અક્ષય 25 દિવસ માટે પત્ની સાથે ફરવા ગયો હતો. ત્યારબાદ પત્ની પ્રિયંકા સાસરે આવી હતી. સાસરે આવ્યા બાદ પ્રિંયકાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અક્ષયને ઘર જમાઈ બનાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પ્રિયંકા અવારનવાર અક્ષયના માતા-પિતા અને બહેનની ફરિયાદ કરતી હતી. અક્ષયે તેને ખુશ રાખવા માટે ઘર જમાઈની જેમ સાસરે પણ રહેવા જતો રહ્યો હતો. જોકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં તે પોતાની પત્ની પ્રિયંકા, સસરા પ્રવીણ શીકારી, સાસુ ભારતી શિકારી અને અન્ય સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસની આપવીતી રજૂ કરી જીવન ટૂંકાવ્યું હતું. 


12 આરોપીઓ પોલીસને પકડથી દુર  


યુવક અક્ષયે આત્મહત્યા કરતા પહેલા અલગ અલગ 3 વીડિયો બનાવ્યા હતા. જોકે સોશિયલ મીડિયામાં એક મેસેજ બાય બાય ઓલ અને માતા-પિતાને સાચવાનો ઉલ્લેખ કર્યો હતો. પત્નીના ત્રાસને લઈ આત્મહત્યા કરતો હોવાનું અક્ષયે વીડિયો સાથે વોટ્સએપ મેસેજમાં જણાવ્યું હતું. જે મામલે સરખેજ પોલીસે અક્ષયના ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ ચિઠ્ઠી અને વીડિયો આધારે પત્ની પ્રિયંકા સહિત 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ માટે અંતિમ વીડિયો મહત્વનો પુરાવો બન્યો છે. જેને લઈ 12 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાના 58 દિવસ પછી પણ એક પણ આરોપી પકડાયો નથી.


મૃતક અક્ષયના પરિવારને ન્યાયની આશા


મૃતક અક્ષયના પિતાના જણાવ્યા પ્રમાણે છોકરાના ડાઇંગ ડેક્લેરેશન પરથી 12 લોકો સામે એફ.આઇ.આર કરી છે. આજે 58 દિવસ થયા છે છતાં ય એક પણ આરોપી હજુ સુધી પકડાયા નથી. અમે આ અંગે ડીસીપી સાહેબ, શહેર પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે સાંત્વના આપી હતી. પરંતુ કોઇ જ પરિણામ મળ્યું નથી અને આ આરોપી પૈકીના એક આરોપી અનિલભાઇ અરવિંદભાઇ દાતણિયા તેઓ નવગુજરાત કોલેજમાં પ્રોફેસર છે. હાલમાં તેમને સસ્પેન્ડ કરાવવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. તમામ આરોપીઓને વહેલીતકે પકડીને સખ્તમાં સખ્ત સજા કરીને મારા દીકરાને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.