યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-11-11 14:10:23

એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક પરિવારો માટે આ તહેવાર માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન પણ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. તે ઉપરાંત રાજકોટથી પણ હાર્ટ એટેકના કિસ્સો સામે આવ્યા છે.  

 

Mahisagar News Broom trader in Lunawada suffers heart attack, dies before reaching hospital Mahisagar News: લુણાવાડામાં સાવરણીના વેપારીને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઉડી ગયું પ્રાણપંખેરુ

મહીસાગરમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. થોડા સમયથી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે જેને કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકને લઈ ટેન્શન વ્યાપી ઉઠ્યું હો તેવું લાગે છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા, એ તહેવાર અનેક પરિવારો માટે દુખ લઈને આવ્યો હતો ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાંથી પણ સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મળતી માહિતી અનુસાર મહીસાગરમાં એક વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. લુણાવાડા પરા બજારમાં વેપારીને હૃદય હુમલો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 42 વર્ષીય ફિરોજભાઈનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે તેઓ સામાન મૂકીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ઘરે જતા છાતીમાં દુખાવો થતા તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.મહીસાગર ઉપરાંત રાજકોટમા પણ બે લોકોના મોતનું કારણ હાર્ટ એટેક બન્યું છે. એક વ્યક્તિ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તે ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. તે ઉપરાંત સુરતથી પણ આવા સમાચાર સામે આવ્યા છે. 

Chest Pain Reason May Be Heart Attack Cough Lungs Infection Covid Pneumonia  | Heart Pain: હાર્ટ અટેક જ નહીં, છાતીમાં દુખાવાના આ પણ હોઇ શકે છે કારણો

જો છાતીમાં દુખાવો થાય તો અવગણશો નહીં..!

મહત્વનું છે કે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. સિઝન બદલાતા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્રદૂષણનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે જેને કારણે ઘણી વખત એવું લાગે કે આ પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આવા લક્ષણોને અવગણશો નહીં. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જો તેમને પણ આવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં. ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.