યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-11-11 14:10:23

એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક પરિવારો માટે આ તહેવાર માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન પણ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. તે ઉપરાંત રાજકોટથી પણ હાર્ટ એટેકના કિસ્સો સામે આવ્યા છે.  

 

Mahisagar News Broom trader in Lunawada suffers heart attack, dies before reaching hospital Mahisagar News: લુણાવાડામાં સાવરણીના વેપારીને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઉડી ગયું પ્રાણપંખેરુ

મહીસાગરમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. થોડા સમયથી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે જેને કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકને લઈ ટેન્શન વ્યાપી ઉઠ્યું હો તેવું લાગે છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા, એ તહેવાર અનેક પરિવારો માટે દુખ લઈને આવ્યો હતો ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાંથી પણ સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મળતી માહિતી અનુસાર મહીસાગરમાં એક વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. લુણાવાડા પરા બજારમાં વેપારીને હૃદય હુમલો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 42 વર્ષીય ફિરોજભાઈનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે તેઓ સામાન મૂકીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ઘરે જતા છાતીમાં દુખાવો થતા તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.મહીસાગર ઉપરાંત રાજકોટમા પણ બે લોકોના મોતનું કારણ હાર્ટ એટેક બન્યું છે. એક વ્યક્તિ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તે ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. તે ઉપરાંત સુરતથી પણ આવા સમાચાર સામે આવ્યા છે. 

Chest Pain Reason May Be Heart Attack Cough Lungs Infection Covid Pneumonia  | Heart Pain: હાર્ટ અટેક જ નહીં, છાતીમાં દુખાવાના આ પણ હોઇ શકે છે કારણો

જો છાતીમાં દુખાવો થાય તો અવગણશો નહીં..!

મહત્વનું છે કે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. સિઝન બદલાતા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્રદૂષણનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે જેને કારણે ઘણી વખત એવું લાગે કે આ પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આવા લક્ષણોને અવગણશો નહીં. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જો તેમને પણ આવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં. ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.