યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-11-11 14:10:23

એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક પરિવારો માટે આ તહેવાર માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસો દરમિયાન પણ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વેપારીને આવ્યો હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. તે ઉપરાંત રાજકોટથી પણ હાર્ટ એટેકના કિસ્સો સામે આવ્યા છે.  

 

Mahisagar News Broom trader in Lunawada suffers heart attack, dies before reaching hospital Mahisagar News: લુણાવાડામાં સાવરણીના વેપારીને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઉડી ગયું પ્રાણપંખેરુ

મહીસાગરમાં એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. થોડા સમયથી યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે જેને કારણે યુવાનોમાં પણ હાર્ટ એટેકને લઈ ટેન્શન વ્યાપી ઉઠ્યું હો તેવું લાગે છે. નવરાત્રી દરમિયાન પણ અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા, એ તહેવાર અનેક પરિવારો માટે દુખ લઈને આવ્યો હતો ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. 

Heart Attack ના સંકેત પહેલા જ મળી જાય છે, શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા  લક્ષણો ના કરો ઇગ્નોર | Health News in Gujarati

રાજકોટમાંથી પણ સામે આવ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ 

મળતી માહિતી અનુસાર મહીસાગરમાં એક વેપારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. લુણાવાડા પરા બજારમાં વેપારીને હૃદય હુમલો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર 42 વર્ષીય ફિરોજભાઈનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે તેઓ સામાન મૂકીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ઘરે જતા છાતીમાં દુખાવો થતા તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.મહીસાગર ઉપરાંત રાજકોટમા પણ બે લોકોના મોતનું કારણ હાર્ટ એટેક બન્યું છે. એક વ્યક્તિ વાડીએથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં અચાનક તે ઢળી પડ્યા અને મોતને ભેટ્યા. તે ઉપરાંત સુરતથી પણ આવા સમાચાર સામે આવ્યા છે. 

Chest Pain Reason May Be Heart Attack Cough Lungs Infection Covid Pneumonia  | Heart Pain: હાર્ટ અટેક જ નહીં, છાતીમાં દુખાવાના આ પણ હોઇ શકે છે કારણો

જો છાતીમાં દુખાવો થાય તો અવગણશો નહીં..!

મહત્વનું છે કે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. સિઝન બદલાતા અનેક લોકોને છાતીમાં દુખાવો થતો હોય છે. વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે, પ્રદૂષણનું સ્તર પણ સતત વધતું જઈ રહ્યું છે જેને કારણે ઘણી વખત એવું લાગે કે આ પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આવા લક્ષણોને અવગણશો નહીં. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જો તેમને પણ આવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં. ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.      



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.