સાબરકાંઠાના કમાલપુરમાં હાર્ટ એટેકથી યુવાનનું નિધન, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું


  • Published By :
  • Published Date : 2023-11-16 16:10:09

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ હાર્ટ એટેકથી 2-3 લોકોના મોતના સમાચાર આવતા રહે છે. સાબરકાંઠામાં પણ એક 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં અરેરાટી મચી ગઈ છે. મુકેશભાઈ નામના આ યુવાનને સારવાર માટે ઈડર સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.


સવારના સમયે આવ્યો હાર્ટ એટેક


સાબરકાંઠાના ઇડર તાલુકાનાં કમાલપુરમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ મઈભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરિવાર સાથે થોડી ચર્ચા કર્યા બાદ સુઈ ગયા હતા. તેઓ સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કે સમયે પરિવારજનો તેમને સારવાર માટે તાત્કિલિક ઇડરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમની તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા.  



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..