સાબરકાંઠાના કમાલપુરમાં હાર્ટ એટેકથી યુવાનનું નિધન, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું


  • Published By :
  • Published Date : 2023-11-16 16:10:09

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ હાર્ટ એટેકથી 2-3 લોકોના મોતના સમાચાર આવતા રહે છે. સાબરકાંઠામાં પણ એક 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં અરેરાટી મચી ગઈ છે. મુકેશભાઈ નામના આ યુવાનને સારવાર માટે ઈડર સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.


સવારના સમયે આવ્યો હાર્ટ એટેક


સાબરકાંઠાના ઇડર તાલુકાનાં કમાલપુરમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ મઈભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરિવાર સાથે થોડી ચર્ચા કર્યા બાદ સુઈ ગયા હતા. તેઓ સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કે સમયે પરિવારજનો તેમને સારવાર માટે તાત્કિલિક ઇડરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમની તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.