સાબરકાંઠાના કમાલપુરમાં હાર્ટ એટેકથી યુવાનનું નિધન, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું


  • Published By :
  • Published Date : 2023-11-16 16:10:09

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ હાર્ટ એટેકથી 2-3 લોકોના મોતના સમાચાર આવતા રહે છે. સાબરકાંઠામાં પણ એક 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં અરેરાટી મચી ગઈ છે. મુકેશભાઈ નામના આ યુવાનને સારવાર માટે ઈડર સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.


સવારના સમયે આવ્યો હાર્ટ એટેક


સાબરકાંઠાના ઇડર તાલુકાનાં કમાલપુરમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ મઈભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરિવાર સાથે થોડી ચર્ચા કર્યા બાદ સુઈ ગયા હતા. તેઓ સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કે સમયે પરિવારજનો તેમને સારવાર માટે તાત્કિલિક ઇડરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમની તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .