સાબરકાંઠાના કમાલપુરમાં હાર્ટ એટેકથી યુવાનનું નિધન, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું


  • Published By :
  • Published Date : 2023-11-16 16:10:09

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ હાર્ટ એટેકથી 2-3 લોકોના મોતના સમાચાર આવતા રહે છે. સાબરકાંઠામાં પણ એક 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી નિધન થતાં અરેરાટી મચી ગઈ છે. મુકેશભાઈ નામના આ યુવાનને સારવાર માટે ઈડર સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.


સવારના સમયે આવ્યો હાર્ટ એટેક


સાબરકાંઠાના ઇડર તાલુકાનાં કમાલપુરમાં રહેતા 40 વર્ષીય મુકેશભાઈ મઈભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે. મુકેશભાઈ ગતરાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ પરિવાર સાથે થોડી ચર્ચા કર્યા બાદ સુઈ ગયા હતા. તેઓ સવારે ઉઠ્યા બાદ ચા સાથે નાસ્તો કર્યા બાદ મુકેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કે સમયે પરિવારજનો તેમને સારવાર માટે તાત્કિલિક ઇડરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ રસ્તામાં જ મોત નિપજયું હતું. ખાનગી હોસ્પિટલના તબીબે તેમની તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યા હતા.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.