રાજ્યમાં યુવાનોને Heart Attack આવવાનો સિલસિલો યથાવત, આજે બે લોકોના મોત Heart Attackને કારણે થયા!


  • Published By :
  • Published Date : 2023-11-17 16:07:55

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળ રૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ગઈકાલે સાબકાંઠાથી તો તેના થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે આજે પણ બે જેટલા વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક ઘટના મોરબીથી સામે આવી છે જ્યારે બીજી ઘટના અમરેલીથી સામે આવી છે. 37 વર્ષની ઉંમરે અમરેલીમાં એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા છે. પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. સુપ્રિટેન્ડેન્ટ વિકાસ કુમારને હાર્ટ એટેક આવતા વિભાગમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

One More Youth Died Of Heart Attack In Sabarkantha, A Youth From Kamalpur  In Edar Lost His Life. | સાબરકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત,  ઇડરના કમાલપુરના યુવકે ગુમાવ્યો જીવ

સાબરકાંઠાથી સામે આવ્યો હતો હાર્ટ એટેકનો કિસ્સો 

જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થતા હતા પરંતુ હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદન 2-3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે સાબરકાંઠાથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. સાબરકાંઠામાં 40 વર્ષીય યુવકનું મોત હૃદય હુમલાને કારણે થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. 


Pipavav customs department officer died of heart attack Amreli:  રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીએ 37 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ

આજે પણ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે!

અમરેલીમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કસ્ટમ વિભાગમાં ડ્યુટી કરી રહેલા અધિકારીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનની અચાનક વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત મોરબીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે  આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થવાને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે તે જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોના ટીમની રચના કરી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે તેવી જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.       



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.