રાજ્યમાં યુવાનોને Heart Attack આવવાનો સિલસિલો યથાવત, આજે બે લોકોના મોત Heart Attackને કારણે થયા!


  • Published By :
  • Published Date : 2023-11-17 16:07:55

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળ રૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ગઈકાલે સાબકાંઠાથી તો તેના થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે આજે પણ બે જેટલા વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક ઘટના મોરબીથી સામે આવી છે જ્યારે બીજી ઘટના અમરેલીથી સામે આવી છે. 37 વર્ષની ઉંમરે અમરેલીમાં એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા છે. પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. સુપ્રિટેન્ડેન્ટ વિકાસ કુમારને હાર્ટ એટેક આવતા વિભાગમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

One More Youth Died Of Heart Attack In Sabarkantha, A Youth From Kamalpur  In Edar Lost His Life. | સાબરકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત,  ઇડરના કમાલપુરના યુવકે ગુમાવ્યો જીવ

સાબરકાંઠાથી સામે આવ્યો હતો હાર્ટ એટેકનો કિસ્સો 

જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થતા હતા પરંતુ હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદન 2-3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે સાબરકાંઠાથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. સાબરકાંઠામાં 40 વર્ષીય યુવકનું મોત હૃદય હુમલાને કારણે થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. 


Pipavav customs department officer died of heart attack Amreli:  રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીએ 37 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ

આજે પણ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે!

અમરેલીમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કસ્ટમ વિભાગમાં ડ્યુટી કરી રહેલા અધિકારીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનની અચાનક વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત મોરબીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે  આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થવાને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે તે જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોના ટીમની રચના કરી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે તેવી જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.