યુવાધન ચઢી રહ્યું છે ડ્રગ્સના રવાડે! Gujarat Policeએ શરૂ કર્યું Anti Drugs Campaign..


  • Published By :
  • Published Date : 2024-06-24 18:59:01

યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે. દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે. આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે. ત્યારે ડ્રગ્સમાંથી યુવાનો મુક્ત બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા Campaignની શરૂઆત કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે.




ડ્રગ્સને સપલાય કરવા માટે અપનાવામાં આવે છે અલગ અલગ રસ્તા 

દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાનોને સમુદ્ધ કરવા પડે, તેમના ભાવિને મજબૂત કરવું પડે.. પરંતુ આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ડ્રગ્સના રવાડે ચઢી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે. ડ્રગ્સને સપલાય કરવા માટે અલગ અલગ, નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અભિયાન

યુવાનો ડ્રગ્સમાંથી છુટી શકે તે, નશામાંથી છુટી શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ નશા મુક્તિ તરીકે કામ કરતી હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો નશામાં, ડ્રગ્સ લઈ પોતાનું જીવન ખરાબ ના કરે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશના ભાવિ ડ્રગ્સના રવાડે ચઢી પોતાનું ભાવિ ખરાબ કરે છે.. ત્યારે ડ્રગ્સનો નશો કરતા દરેક લોકોને અપીલ કરવી છે કે ડ્રગ્સ માત્ર થોડા સમય માટે આનંદ આપી શકે છે પરંતુ તે પછી જિંદગીભર પછતાવો આપે છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.