યુવાધન ચઢી રહ્યું છે ડ્રગ્સના રવાડે! Gujarat Policeએ શરૂ કર્યું Anti Drugs Campaign..


  • Published By :
  • Published Date : 2024-06-24 18:59:01

યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે. દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે. આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે. ત્યારે ડ્રગ્સમાંથી યુવાનો મુક્ત બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા Campaignની શરૂઆત કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે.




ડ્રગ્સને સપલાય કરવા માટે અપનાવામાં આવે છે અલગ અલગ રસ્તા 

દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાનોને સમુદ્ધ કરવા પડે, તેમના ભાવિને મજબૂત કરવું પડે.. પરંતુ આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ડ્રગ્સના રવાડે ચઢી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે. ડ્રગ્સને સપલાય કરવા માટે અલગ અલગ, નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અભિયાન

યુવાનો ડ્રગ્સમાંથી છુટી શકે તે, નશામાંથી છુટી શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ નશા મુક્તિ તરીકે કામ કરતી હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો નશામાં, ડ્રગ્સ લઈ પોતાનું જીવન ખરાબ ના કરે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશના ભાવિ ડ્રગ્સના રવાડે ચઢી પોતાનું ભાવિ ખરાબ કરે છે.. ત્યારે ડ્રગ્સનો નશો કરતા દરેક લોકોને અપીલ કરવી છે કે ડ્રગ્સ માત્ર થોડા સમય માટે આનંદ આપી શકે છે પરંતુ તે પછી જિંદગીભર પછતાવો આપે છે.    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.