યુવાધન ચઢી રહ્યું છે ડ્રગ્સના રવાડે! Gujarat Policeએ શરૂ કર્યું Anti Drugs Campaign..


  • Published By :
  • Published Date : 2024-06-24 18:59:01

યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે. દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે. આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે. ત્યારે ડ્રગ્સમાંથી યુવાનો મુક્ત બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા Campaignની શરૂઆત કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે.




ડ્રગ્સને સપલાય કરવા માટે અપનાવામાં આવે છે અલગ અલગ રસ્તા 

દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાનોને સમુદ્ધ કરવા પડે, તેમના ભાવિને મજબૂત કરવું પડે.. પરંતુ આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ડ્રગ્સના રવાડે ચઢી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે. ડ્રગ્સને સપલાય કરવા માટે અલગ અલગ, નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અભિયાન

યુવાનો ડ્રગ્સમાંથી છુટી શકે તે, નશામાંથી છુટી શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ નશા મુક્તિ તરીકે કામ કરતી હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો નશામાં, ડ્રગ્સ લઈ પોતાનું જીવન ખરાબ ના કરે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશના ભાવિ ડ્રગ્સના રવાડે ચઢી પોતાનું ભાવિ ખરાબ કરે છે.. ત્યારે ડ્રગ્સનો નશો કરતા દરેક લોકોને અપીલ કરવી છે કે ડ્રગ્સ માત્ર થોડા સમય માટે આનંદ આપી શકે છે પરંતુ તે પછી જિંદગીભર પછતાવો આપે છે.    



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.