Getcoનાં MD સાથે Yuvarajsinhએ મીટીંગ તો કરી પણ નિષ્કર્ષ શું? સાંભળો મીટિંગ બાદ Yuvrajsinhએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-22 15:48:08

ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. એક તરફ માલધારી સમાજે આંદોલન સમેટ્યું છે તો બીજી તરફ વડોદરામાં જેટકો ઓફિસ બહાર આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટાઈ લીધું છે. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે જેનો વિરોધ પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા. ગઈકાલથી વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાઈ ગયું છે. 48 કલાક પુરતું આંદોલન સમેટવાની જાહેરાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પોલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ તૈયાર થયા છે. અનેક કલાકો સુધી એમડી સાથે બેઠક થઈ હતી જે બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.   

જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે ધરણા 

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ ગુજરાતમાં થતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી જાણે સામાન્ય બની ગયું છે. અનેક પરીક્ષાઓ એવી છે જેનું પરિણામ પણ આવી જાય છે તે બાદ ખબર પડે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને તે બાદ પરીક્ષાને રદ્દ કરવામાં આવે છે. જેટકોના પરીક્ષાર્થીઓ સાથે પણ કંઈક આવું જ થયું. ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા પરીક્ષાને રદ્દ કરવાની જાહેરાત કરાઈ. જેનો પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો. વડોદરામાં આવેલી જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાની હેઠળ પહોંચ્યા હતા.ઓફિસની બહાર બેસી પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.


પરીક્ષા માટેની નવી તારીખો કરાઈ છે જાહેર 

ત્યારે આજે હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. જેટકોના એમડી સાથે યુવરાજસિંહની અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. મીટિંગ બાદ આંદોલનને સમેટવાની જાહેરાત કરવામાં આવી. પરીક્ષાર્થીઓ માત્ર પોલિંગ ટેસ્ટ આપશે તેવી માહિતી આપવામાં આવી. મહત્વનું છે કે ગઈકાલે જ સરકાર દ્વારા પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે જે બાંહેધરી એમડી દ્વારા આપવામાં આવી છે તે સાચી પડે છે કે પછી....      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી