Getcoનાં MD સાથે Yuvarajsinhએ મીટીંગ તો કરી પણ નિષ્કર્ષ શું? સાંભળો મીટિંગ બાદ Yuvrajsinhએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-22 15:48:08

ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. એક તરફ માલધારી સમાજે આંદોલન સમેટ્યું છે તો બીજી તરફ વડોદરામાં જેટકો ઓફિસ બહાર આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટાઈ લીધું છે. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે જેનો વિરોધ પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા. ગઈકાલથી વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાઈ ગયું છે. 48 કલાક પુરતું આંદોલન સમેટવાની જાહેરાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પોલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ તૈયાર થયા છે. અનેક કલાકો સુધી એમડી સાથે બેઠક થઈ હતી જે બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.   

જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે ધરણા 

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ ગુજરાતમાં થતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી જાણે સામાન્ય બની ગયું છે. અનેક પરીક્ષાઓ એવી છે જેનું પરિણામ પણ આવી જાય છે તે બાદ ખબર પડે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને તે બાદ પરીક્ષાને રદ્દ કરવામાં આવે છે. જેટકોના પરીક્ષાર્થીઓ સાથે પણ કંઈક આવું જ થયું. ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા પરીક્ષાને રદ્દ કરવાની જાહેરાત કરાઈ. જેનો પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો. વડોદરામાં આવેલી જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાની હેઠળ પહોંચ્યા હતા.ઓફિસની બહાર બેસી પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.


પરીક્ષા માટેની નવી તારીખો કરાઈ છે જાહેર 

ત્યારે આજે હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. જેટકોના એમડી સાથે યુવરાજસિંહની અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. મીટિંગ બાદ આંદોલનને સમેટવાની જાહેરાત કરવામાં આવી. પરીક્ષાર્થીઓ માત્ર પોલિંગ ટેસ્ટ આપશે તેવી માહિતી આપવામાં આવી. મહત્વનું છે કે ગઈકાલે જ સરકાર દ્વારા પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે જે બાંહેધરી એમડી દ્વારા આપવામાં આવી છે તે સાચી પડે છે કે પછી....      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.