Getcoનાં MD સાથે Yuvarajsinhએ મીટીંગ તો કરી પણ નિષ્કર્ષ શું? સાંભળો મીટિંગ બાદ Yuvrajsinhએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-22 15:48:08

ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. એક તરફ માલધારી સમાજે આંદોલન સમેટ્યું છે તો બીજી તરફ વડોદરામાં જેટકો ઓફિસ બહાર આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટાઈ લીધું છે. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે જેનો વિરોધ પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા. ગઈકાલથી વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાઈ ગયું છે. 48 કલાક પુરતું આંદોલન સમેટવાની જાહેરાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પોલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ તૈયાર થયા છે. અનેક કલાકો સુધી એમડી સાથે બેઠક થઈ હતી જે બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.   

જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે ધરણા 

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ ગુજરાતમાં થતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી જાણે સામાન્ય બની ગયું છે. અનેક પરીક્ષાઓ એવી છે જેનું પરિણામ પણ આવી જાય છે તે બાદ ખબર પડે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને તે બાદ પરીક્ષાને રદ્દ કરવામાં આવે છે. જેટકોના પરીક્ષાર્થીઓ સાથે પણ કંઈક આવું જ થયું. ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા પરીક્ષાને રદ્દ કરવાની જાહેરાત કરાઈ. જેનો પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો. વડોદરામાં આવેલી જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાની હેઠળ પહોંચ્યા હતા.ઓફિસની બહાર બેસી પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.


પરીક્ષા માટેની નવી તારીખો કરાઈ છે જાહેર 

ત્યારે આજે હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. જેટકોના એમડી સાથે યુવરાજસિંહની અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. મીટિંગ બાદ આંદોલનને સમેટવાની જાહેરાત કરવામાં આવી. પરીક્ષાર્થીઓ માત્ર પોલિંગ ટેસ્ટ આપશે તેવી માહિતી આપવામાં આવી. મહત્વનું છે કે ગઈકાલે જ સરકાર દ્વારા પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે જે બાંહેધરી એમડી દ્વારા આપવામાં આવી છે તે સાચી પડે છે કે પછી....      



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."