યુવરાજસિંહે સરકારને પૂછ્યા અનેક સવાલ, પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવા કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:26:49

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક થતા અનેક વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હતા. ત્યારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં ભાવનગરની એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ વાતને લઈ યુવરાજસિંહે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. સવાલ કરતા તેમણે કહ્યું કે શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે? શું માનવવધનો ગુનો નથી?


યુવરાજ સિંહે સરકારને પૂછ્યા ગંભીર સવાલ 

જૂનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફૂટ્યું હતું. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ તૂટી ગયા હતા. વારંવાર પેપર ફૂટવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યા હતો. ત્યારે ભાવનગરમાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર પેપર ફૂટવાને લઈ તેમજ આપઘાતને લઈ યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.


સરકાર ક્યારે લેશે બોધપાઠ? -યુવરાજસિંહ 

સવાલ કરતા યુવરાજસિંહે સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. ક્યાં સુધી રાહ જોશે. શું પેપરફોડના આરોપીને હજી પણ છેતરપીંડીના ગુના અંતર્ગત સજા કરવામાં આવશે? શું હજી પણ સરકાર ગુજરાતના આશાસ્પદ શિક્ષિત યુવાનો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે? આરોપીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે. સરકાર ક્યારે આમાંથી બોધપાઠ લેશે. 


સરકાર આ બાબતે મૌન છે - યુવરાજસિંહ 

દિવસેને દિવસે ઉમેદવારો નિરાશ થઈ રહ્યા છે. આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. ભૂતકાળમાંથી સરકાર ક્યારે બોધપાઠ લેશે. ક્યારે એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલે જ આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સરકાર હજૂ પણ મૌન છે. 


પાયલ બારૈયાના આત્મહત્યા અંગે કરી વાત   

પાયલ બારૈયાના આત્મહત્યા અંગેની વાત કરતા તેમણે કહ્યું કે આમાં તેમનો શું વાંક છે. જૂનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા હતા તે તેમનો વાંક છે? શું આના પર માનવવધનો ગુન્હો ન લાગે? પોતાની દિકરીને પાયલના સ્થાને રાખીને વિચારજો જે જો તેમના સંતાને આવું પગલું ભર્યું હોત તો આપણે તેને આત્મહત્યામાં ખપવતા કે ખૂનમાં ખપવતા?  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.