યુવરાજસિંહે સરકારને પૂછ્યા અનેક સવાલ, પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવા કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:26:49

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક થતા અનેક વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હતા. ત્યારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં ભાવનગરની એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ વાતને લઈ યુવરાજસિંહે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. સવાલ કરતા તેમણે કહ્યું કે શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે? શું માનવવધનો ગુનો નથી?


યુવરાજ સિંહે સરકારને પૂછ્યા ગંભીર સવાલ 

જૂનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફૂટ્યું હતું. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ તૂટી ગયા હતા. વારંવાર પેપર ફૂટવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યા હતો. ત્યારે ભાવનગરમાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર પેપર ફૂટવાને લઈ તેમજ આપઘાતને લઈ યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.


સરકાર ક્યારે લેશે બોધપાઠ? -યુવરાજસિંહ 

સવાલ કરતા યુવરાજસિંહે સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. ક્યાં સુધી રાહ જોશે. શું પેપરફોડના આરોપીને હજી પણ છેતરપીંડીના ગુના અંતર્ગત સજા કરવામાં આવશે? શું હજી પણ સરકાર ગુજરાતના આશાસ્પદ શિક્ષિત યુવાનો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે? આરોપીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે. સરકાર ક્યારે આમાંથી બોધપાઠ લેશે. 


સરકાર આ બાબતે મૌન છે - યુવરાજસિંહ 

દિવસેને દિવસે ઉમેદવારો નિરાશ થઈ રહ્યા છે. આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. ભૂતકાળમાંથી સરકાર ક્યારે બોધપાઠ લેશે. ક્યારે એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલે જ આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સરકાર હજૂ પણ મૌન છે. 


પાયલ બારૈયાના આત્મહત્યા અંગે કરી વાત   

પાયલ બારૈયાના આત્મહત્યા અંગેની વાત કરતા તેમણે કહ્યું કે આમાં તેમનો શું વાંક છે. જૂનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા હતા તે તેમનો વાંક છે? શું આના પર માનવવધનો ગુન્હો ન લાગે? પોતાની દિકરીને પાયલના સ્થાને રાખીને વિચારજો જે જો તેમના સંતાને આવું પગલું ભર્યું હોત તો આપણે તેને આત્મહત્યામાં ખપવતા કે ખૂનમાં ખપવતા?  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.