યુવરાજસિંહે સરકારને પૂછ્યા અનેક સવાલ, પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવા કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:26:49

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક થતા અનેક વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હતા. ત્યારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં ભાવનગરની એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ વાતને લઈ યુવરાજસિંહે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. સવાલ કરતા તેમણે કહ્યું કે શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે? શું માનવવધનો ગુનો નથી?


યુવરાજ સિંહે સરકારને પૂછ્યા ગંભીર સવાલ 

જૂનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફૂટ્યું હતું. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ તૂટી ગયા હતા. વારંવાર પેપર ફૂટવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યા હતો. ત્યારે ભાવનગરમાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર પેપર ફૂટવાને લઈ તેમજ આપઘાતને લઈ યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.


સરકાર ક્યારે લેશે બોધપાઠ? -યુવરાજસિંહ 

સવાલ કરતા યુવરાજસિંહે સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. ક્યાં સુધી રાહ જોશે. શું પેપરફોડના આરોપીને હજી પણ છેતરપીંડીના ગુના અંતર્ગત સજા કરવામાં આવશે? શું હજી પણ સરકાર ગુજરાતના આશાસ્પદ શિક્ષિત યુવાનો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે? આરોપીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે. સરકાર ક્યારે આમાંથી બોધપાઠ લેશે. 


સરકાર આ બાબતે મૌન છે - યુવરાજસિંહ 

દિવસેને દિવસે ઉમેદવારો નિરાશ થઈ રહ્યા છે. આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. ભૂતકાળમાંથી સરકાર ક્યારે બોધપાઠ લેશે. ક્યારે એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલે જ આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સરકાર હજૂ પણ મૌન છે. 


પાયલ બારૈયાના આત્મહત્યા અંગે કરી વાત   

પાયલ બારૈયાના આત્મહત્યા અંગેની વાત કરતા તેમણે કહ્યું કે આમાં તેમનો શું વાંક છે. જૂનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા હતા તે તેમનો વાંક છે? શું આના પર માનવવધનો ગુન્હો ન લાગે? પોતાની દિકરીને પાયલના સ્થાને રાખીને વિચારજો જે જો તેમના સંતાને આવું પગલું ભર્યું હોત તો આપણે તેને આત્મહત્યામાં ખપવતા કે ખૂનમાં ખપવતા?  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .