યુવરાજસિંહે સરકારને પૂછ્યા અનેક સવાલ, પેપરલીક કૌભાંડના આરોપી સામે માનવ વધનો ગુન્હો દાખલ કરવા કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:26:49

થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. જેને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પેપર લીક થતા અનેક વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા હતા. ત્યારે જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં ભાવનગરની એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ વાતને લઈ યુવરાજસિંહે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. સવાલ કરતા તેમણે કહ્યું કે શું પેપરલીકના આરોપીને હજી પણ છેતરપિંડીના ગુના અંતર્ગત જ સજા કરવામાં આવશે? શું માનવવધનો ગુનો નથી?


યુવરાજ સિંહે સરકારને પૂછ્યા ગંભીર સવાલ 

જૂનિયર ક્લાર્કનું પેપર થોડા સમય પહેલા ફૂટ્યું હતું. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ તૂટી ગયા હતા. વારંવાર પેપર ફૂટવાને કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યા હતો. ત્યારે ભાવનગરમાં એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વાતને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વારંવાર પેપર ફૂટવાને લઈ તેમજ આપઘાતને લઈ યુવરાજસિંહે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.


સરકાર ક્યારે લેશે બોધપાઠ? -યુવરાજસિંહ 

સવાલ કરતા યુવરાજસિંહે સવાલ પૂછ્યા હતા કે ક્યાં સુધી ગુજરાતનું યુવાધન આત્મહત્યા કરે. ક્યાં સુધી રાહ જોશે. શું પેપરફોડના આરોપીને હજી પણ છેતરપીંડીના ગુના અંતર્ગત સજા કરવામાં આવશે? શું હજી પણ સરકાર ગુજરાતના આશાસ્પદ શિક્ષિત યુવાનો પોતાના જીવ ગુમાવે તેની રાહ જોશે? આરોપીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે. સરકાર ક્યારે આમાંથી બોધપાઠ લેશે. 


સરકાર આ બાબતે મૌન છે - યુવરાજસિંહ 

દિવસેને દિવસે ઉમેદવારો નિરાશ થઈ રહ્યા છે. આત્મહત્યાના પ્રમાણમાં વધારો થયો છે. ભૂતકાળમાંથી સરકાર ક્યારે બોધપાઠ લેશે. ક્યારે એક્શન લેવામાં આવશે. ભૂતકાળમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા એટલે જ આવી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓ છાશવારે બનતી રહે છે. સરકાર હજૂ પણ મૌન છે. 


પાયલ બારૈયાના આત્મહત્યા અંગે કરી વાત   

પાયલ બારૈયાના આત્મહત્યા અંગેની વાત કરતા તેમણે કહ્યું કે આમાં તેમનો શું વાંક છે. જૂનિયર ક્લાર્કની તૈયારી કરી રહ્યા હતા તે તેમનો વાંક છે? શું આના પર માનવવધનો ગુન્હો ન લાગે? પોતાની દિકરીને પાયલના સ્થાને રાખીને વિચારજો જે જો તેમના સંતાને આવું પગલું ભર્યું હોત તો આપણે તેને આત્મહત્યામાં ખપવતા કે ખૂનમાં ખપવતા?  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.