યુવરાજ સિંહ જાડેજા પર ગાળિયો કસાયો, CRPC 164 હેઠળ 18 સાક્ષીઓના નિવેદન લેવાયા


  • Published By :
  • Published Date : 2023-06-07 19:42:51

કેટલાય દિવસથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના કોઈ સમાચારો નહોતા આવી રહ્યા, અને જો સમાચાર આવી રહ્યા હતા તો તે આરોપીના આવી રહ્યા હતા જે આરોપી ડમીકાંડમાં પકડાતા હતા. હવે યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે પોલીસે તેમની સામે સાક્ષીઓ શોધી લીધા છે જે તોડકાંડ અને ડમીકાંડના સાક્ષી પણ રહ્યા છે અને પોલીસના કહ્યા મુજબ સાક્ષીની નજર હેઠળ જ તોડકાંડ અને ડમીકાંડ થયા છે. વિગતવાર વાત કરીએ શું અપડેટ છે, કોણ સાક્ષી છે, કોર્ટમાં હવે શું થશે, યુવરાજસિંહની મુશ્કેલીઓ કેવી રીતે વધી શકે છે.

ભાવનગર જેલમાં જ રહેશે યુવરાજસિંહ જાડેજા અને તોડકાંડના અન્ય આરોપીઓ, જેલ  ટ્રાન્સફરની અરજી ફગાવાઈ | Yuvrajsinh Jadeja ane anya aaropio bhavnagar jail  ma j raheshe

યુવરાજસિંહ ક્યાંયથી છટકી ના શકે તેવો પોલીસનો પ્લાન

યુવરાજસિંહ જાડેજા ભાવનગરની જેલમાં બંધ છે તેને બે મહિના થવા આવ્યા. પોલીસે સમયાંતરે ડમીકાંડ મામલે કામ કર્યું પણ તોડકાંડ મામલે તેનાથી ઝડપે કામ થયું. પોલીસે તોડકાંડમાં છ જેટલા આરોપીને પકડ્યા જેણે ડમીકાંડના વિદ્યાર્થીઓ પાસેથી તોડ કર્યો. પોલીસ મુજબ યુવરાજસિંહ પણ તેમાં હતા. પોલીસ પાસેથી બધુ ન્યાયાલયમાં જાય. કંઈ પણ વસ્તુ સાબિત કરવી હોય તો પોલીસ ગુનો નોંધી લે તો સાબીત ના થઈ જાય. તેના માટે કોર્ટમાં સાબીત કરવું પડે કે ગુનો થયો છે અને કેવી રીતે થયો છે. તો તે સાબીત કરવા માટે જ ભાવનગર પોલીસે 18 સાક્ષીઓને તૈયાર કર્યા છે જેના 164 મુજબ નિવેદન લેવાયા છે. આ સાક્ષીઓના નિવેદનથી યુવરાજસિંહ જાડેજાની તોડકાંડમાં મુશ્કેલીઓ વધી શકે છે. ભાવનગરથી સાંભળવામાં આવી રહ્યું છે કે તોડકાંડ અને ડમીકાંડ થયું તેમાં કથિત રીતે આ 18 લોકો સામેલ હતા અને ક્યાંક તેમની નજર હેઠળ આવું બધું થયું છે. ટૂંકમાં તે આવી ઘટનાના સાક્ષી છે કે તોડકાંડ થયો છે. થયો છે તો કેવી રીતે થયો છે. ક્યાં શું ઘટના ઘટી હતી. હવે જે 164 મુજબ મેજિસ્ટ્રેટ સામે નિવેદન લેવામાં આવ્યા છે. આ નિવેદન એટલા માટે લેવામાં આવ્યા છે કારણ કે તોડકાંડનો મામલો વધારે મજબૂત કરી શકાય. તોડકાંડનો મામલો એટલો મજબૂત કરવાની પ્લાનિંગ છે કે યુવરાજસિંહ જાડેજા પર તલવાર લટકતી રહી અને જેલ બહાર ન આવી શકે. 

યુવરાજસિંહ જાડેજાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર, બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ  લાધવાને જેલ હવાલે કરાયા | Yuvraj Singh Jadeja produced in court on  completion of seven-day ...

સીઆરપીસી 164 મુજબ નિવેદન એટલે શું?

CRPC 164 મુજબ નિવેદન લેવાયા છે તેનો મતલબ શું થાય તો તે પણ જાણી લઈએ. 164ના નિવેદનને કન્ફેશનલ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. કોઇ પણ કેસના ફરિયાદી, નજરે જોનાર સાક્ષી કે ભોગ બનનાર પોતાનું નિવેદન મે‌જિસ્ટ્રેટ સમક્ષ 164મી કલમ હેઠળ સ્વેચ્છાએ નોંધાવી શકે છે. એકવાર સાક્ષી પાસેથી નિવેદન લઈ લેવામાં આવે છે પછી તે ફરી નિવેદનથી ફરી નથી શકતો. અપરાધ અંગે માહિતી ધરવતી વ્યક્તી પણ સામે ચાલીને મેજિસ્ટ્રેટ પાસે આ નિવેદન આપી શકે છે.164નું નિવેદન લેવાય ત્યારે કોર્ટરૂમમાં મે‌જિસ્ટ્રેટ, તેમનો સ્ટાફ અને નિવેદન નોંધાવનાર સિવાય કોઇ હાજર હોતું નથી. જેના કારણે એવું માનવામાં આવે છે કે જે આરોપી અથવા સાક્ષી મેજિસ્ટ્રેટ સામે બિલકુલ કોઈ જાતના ભય વગર સાચુ બોલશે. આ સાથે જ તેને સત્ય બોલવાના શપથ પણ લેવડાવવામાં આવે છે. 

Bhavnagar : Yuvrajsinhનો સાળો પોલીસ સામે સરેન્ડર થયો, કહ્યું Todkand રાજકીય  ષડયંત્ર

શું છે તોડકાંડનો પૂરો કેસ?

તો યુવરાજસિંહ જાડેજા સામે ભાવનગર પોલીસે ગાળીયો કસી દીધો છે. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા નીકળી ના શકે તેના માટે બને એટલો કેસ સ્ટ્રોંગ બનાવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે 5 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરી હતી અને ગુજરાત સામે એક નવો કાંડ રાખ્યો હતો. ત્યાર બાદ પોલીસને સૂચના મળી કે યુવરાજસિંહ જાડેજાએ આ કેસમાં કોઈ વ્યક્તિનું નામ નથી લીધું અને નામ ન લેવા માટે તેની પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ 21 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા જ્યાં તોડકાંડ વિશે તેમને પૂછવામાં આવ્યું અને યોગ્ય જવાબ ન આપી શકવાના કારણે તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી અને ત્યાર બાદ આ કેસમાં છ જેટલા વ્યક્તિને પકડવામાં આવ્યા. આ છ જેટલા વ્યક્તિમાં યુવરાજસિંહ જાડેજાના બે સાળાના પણ નામ છે. ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજાના બંને સાળા પાસેથી રોકડ રકમ મળી આવી અને બાકીની રકમ અંગે તપાસ કરવામાં આવી. આ મામલે હવે નવી વિગતો શું મળશે તે જોવાનું રહેશે પણ હાલ તો તોડકાંડમાં સીઆરપીસી 164 મુજબ 18 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું રજા આપો ધન્યવાદ 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.