બ્રેકિંગ ન્યુઝ! યુવરાજ સિંહ સામે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:33:44

ડમી ઉમેદવાર કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સામે આખરે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજ સિંહ આજે ભાવનગર SOG સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ભાવનગર  SoG અને SITની દ્વારા યુવરાજ સિંહની આખો દિવસ પૂછપરછ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પત્રકાર પરીષદ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી ઉમેદવાર કાંડ મામલે તોડ કરવાના આરોપ હેઠળ પોલીસે પાઠવ્યું સમન્સ હતું. 


શું કહ્યું ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે?


ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજ સિંહ તથા અન્યો સામે IPCની  કલમ 386, 388, 120B હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV,ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા છે.  યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.  યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપ્યા હતા. યુવરાજસિંહ અને તેમના માણસોએ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો, અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત સામે આવી. યુવરાજસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા.


કોની સામે ગુનો નોંધાયો?


યુવરાજ સિંહ અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી)


અગાઉ 8 આરોપીની અટકાયત કરાઈ


શરદ પનોત

પ્રકાશ ઉર્ફે પી.કે. દવે

બળદેવ રમેશભાઈ રાઠોડ

પ્રદીપ નંદલાલભાઈ બારૈયા

સંજય હરજીભાઈ પંડ્યા

અક્ષર રમેશભાઈ બારૈયા

મિલન બારૈયા

વિરમદેવસિંહ ગોહિલ                                                                                                                         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.