બ્રેકિંગ ન્યુઝ! યુવરાજ સિંહ સામે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:33:44

ડમી ઉમેદવાર કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સામે આખરે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજ સિંહ આજે ભાવનગર SOG સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ભાવનગર  SoG અને SITની દ્વારા યુવરાજ સિંહની આખો દિવસ પૂછપરછ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પત્રકાર પરીષદ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી ઉમેદવાર કાંડ મામલે તોડ કરવાના આરોપ હેઠળ પોલીસે પાઠવ્યું સમન્સ હતું. 


શું કહ્યું ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે?


ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજ સિંહ તથા અન્યો સામે IPCની  કલમ 386, 388, 120B હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV,ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા છે.  યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.  યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપ્યા હતા. યુવરાજસિંહ અને તેમના માણસોએ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો, અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત સામે આવી. યુવરાજસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા.


કોની સામે ગુનો નોંધાયો?


યુવરાજ સિંહ અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી)


અગાઉ 8 આરોપીની અટકાયત કરાઈ


શરદ પનોત

પ્રકાશ ઉર્ફે પી.કે. દવે

બળદેવ રમેશભાઈ રાઠોડ

પ્રદીપ નંદલાલભાઈ બારૈયા

સંજય હરજીભાઈ પંડ્યા

અક્ષર રમેશભાઈ બારૈયા

મિલન બારૈયા

વિરમદેવસિંહ ગોહિલ                                                                                                                         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે