પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુવરાજસિંહે સ્કેચ કર્યો શેર. સ્કેચ શેર કરતા લખ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-06 16:50:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ ખાતે આજે મહારેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે. યુવરાજસિંહે સ્કેચ શેર કરતા લખ્યું કે પોરબંદરના આર્ટિસ્ટ કરશનભાઈ ઓડેદરા દ્વારા આજની સ્થિતિને લઈ સુંદર સ્કેચ બનાવવામાં આવ્યો..

યુવરાજસિંહ જાડેજાએ સ્કેચ કર્યો શેર... 

ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાની પસંદગી કરી છે.  ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને જ માગ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવ્યા છે, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે... ત્યારે આ સ્કેચ પર તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં કહો..  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે