પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુવરાજસિંહે સ્કેચ કર્યો શેર. સ્કેચ શેર કરતા લખ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-06 16:50:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ ખાતે આજે મહારેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે. યુવરાજસિંહે સ્કેચ શેર કરતા લખ્યું કે પોરબંદરના આર્ટિસ્ટ કરશનભાઈ ઓડેદરા દ્વારા આજની સ્થિતિને લઈ સુંદર સ્કેચ બનાવવામાં આવ્યો..

યુવરાજસિંહ જાડેજાએ સ્કેચ કર્યો શેર... 

ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાની પસંદગી કરી છે.  ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને જ માગ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવ્યા છે, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે... ત્યારે આ સ્કેચ પર તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં કહો..  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.