યુવરાજ સિંહ જાડેજાએ ડમી કાંડ મામલે તેમના પર લાગેલા આરોપો અંગે કર્યો મોટો ખુલાસો, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-20 20:13:17

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ડમી ઉમેદવાર કાંડને લઈ જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહ જાડેજાએ તેમના પર લાગેલા આરોપોના જવાબ આપ્યા હતા અને આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા.


યુવરાજસિંહે શું કહ્યું?


ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતી તે જાહેર કરું છું. ઋષિ અરવિંદ બારૈયાએ પી.કે. ઉર્ફે પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની કોમર્સની પરીક્ષા અમરેલીની તુની વિદ્યામંદિર સ્કૂલમાં આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી. ઋષિના માતાએ ખોળો પાથરીને વિનંતી કરી હતી કે, એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મેં જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વિડિયો છે. 


ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે


પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ મળ્યું છે, તેમાં હું હાજર રહીશ. યુવરાજસિંહે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ.  મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. ગઈકાલે ચક્કર આવ્યા અને મૂર્છા આવી જતા SOG સમક્ષ હાજર થઈ શક્યો નહોતો.


મારા પરિવારને મળી રહી છે ધમકીઓ


ડમીકાંડ મામલે યુવરાજસિંહે દાવો કર્યો હતો કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. ડમીકાંડમાં માત્ર 36 નામ જ નથી મારી પાસે 136 નામો આપવાની તાકાત છે. નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓની પણ સંડોવણી છે. આ કૌભાંડ 2011થી નહીં 2004થી ચાલી રહ્યું છે. પોલીસ રાજકીય હાથો બનીને પ્રતાડિત કરશે તો સાંખી લેવામાં નહીં આવે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસના તમામ સવાલોના જવાબ આપીશ. જો કે તેમણે  તેમ પણ કહ્યું અમને ધમકીઓ પણ મળી છે. યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.