5000 કરોડ રૂપિયા મળતીયા ખાઈ ગચાનો આપનો દાવો, યુવરાજસિંહે કર્યા મોટા દાવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:13:33

આપના નેતા યુવરાજ સિંહએ દાવો કર્યો છે કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કૌભાંડ થયું છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં શિક્ષણની હાટડી ચલાવી રહેલા અમુક શાળા સંચાલકોએ આમાં સીધો લાભ લીધો છે. આ એવા લોકો છે જે ક્યાંય પણનીતિ નિયમોમાં ફીટ બેસતા નથી. તેમણે દાવો કર્યો કે કૌભાંડ તેના આધાર, સાક્ષી અને પુરાવા અમારી પાસે છે. તેમણે કહ્યું આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે તેના લાભાર્થીઓ નાના વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ હતા. કોરોનાકાળમાં 5,000 કરોડની આ યોજના શરૂ કરવામાં આવી હતી.


કેવી રીતે રચાયું હતું સમગ્ર કૌભાંડ

આ યોજનાના ક્રાઈટેરિયામાં છે કે રિક્ષા ચાલક, દુકાનદાર, ફેરિયાઓને લોન મળવાપાત્ર છે. ઓછા વ્યાજ દરે લોન મળતી હતી જેમાં છ મહિના સુધી વ્યાજ ભરવાનું આવતું ન હતું અને તેમને દાવો કરાયો છે કે વર્તમાનમાં આ યોજનાના લાભાર્થીઓ શિક્ષાની હાટડી ચલાવતા શાળા સંચાલકો છે. જેમણે શિક્ષકોને હાથો બનાવીને શિક્ષકોના નામે લોન લઈને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. જેનો અમારી પાસે આધાર અને પુરાવો છે. અરજી કરવા માટેની તારીખ 21 મેથી 31 ઓગસ્ટ હતી પરંતુ વિનોદભાઈની 26 ઓગસ્ટના લોન પાસ થઈ ગઈ હતી. જો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી તો તે પહેલા લોન કઈ રીતે પાસ થઈ તે એક મોટો સવાલ છે? જેના પરથી ખબર પડે છે કે આ એક સુનિયોજિત કાવતરું છે, જે સરકારની રહેમરાહ નજરની નીચે તેમના મળતિયાઓએ કૌભાંડ આચર્યું છે. 


યુવરાજસિંહનો સરકાર પર કૌભાંડનો દાવો

આપ નેતા યુવરાજ સિંહે GSC ગુજરાત સ્ટેટ કૉઓપરેટિવ સામે પણ કેટલાક પ્રશ્નો કર્યા છે. ખાનગી સંસ્થામાં કામ કરતા પગારદાર કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે નહીં તેવું પુરાવાની અંદર લખ્યું છે, તો સરકારે બનાવેલા આ નિયમથી વિપરીત શા માટે જવું પડ્યું? GSCએ ધારા ધોરણનું ઉલ્લંઘન કરી લોન કેમ આપી? બેંક દ્વારા આવક મર્યાદા અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના લોન કેવી રીતે આપવામાં આવી? GSCએ શાળાઓમાં શા માટે કેમ્પ કર્યા? GSC બેંક એ સરકારના ઇશારે કેટલી શાળાઓમાં કેમ કર્યા? શાળાઓમાં કરેલા કેમ્પની સરકારને જાણ હતી ખરી? જે સાચા લાભાર્થીઓ હતા તેની જગ્યાએ 70થી 80 હજાર પગારદાર લોકોને લોન કેવી રીતે આપવામાં આવી? 


કૌભાંડ સામે અવાજ ઉઠાવનારને કર્યા રજૂ

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના કૌભાંડના પીડિત અને સાક્ષી તથા કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વિનોદભાઈ ચૌહાણ પણ ત્યાં હાજર હતા અને તેમને પણ પોતાનો પક્ષ રાખતા કહ્યું, એક સામાન્ય શિક્ષક અને ગુજરાતના નાગરિક તરીકે હું એ વાતનો ખુલાસો કરું છું કે, નાના માણસો માટે 5000 કરોડ રૂપિયાનું મોટું પેકેજ હતું. આ પેકેજમાં જે ફેરિયાઓ હતા, રીક્ષા ચાલક હતા, પાથરણા વાળા હતા કે નાના વેપારીઓ હતા તેમણે લાભ લેવાનો હતો. જે લોકોને કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૨૦ લાખ કરોડના પેકેજમાંથી ગુજરાતને 5000 કરોડનું પેકેજ આપ્યું હતું. 


આ યોજનાના અસલી હકદાર કોણ?

આ 5000 કરોડ રૂપિયાનું પેકેજ નાના વ્યવસાયકારો માટે હતું. પરંતુ તેમાંથી પૂર્વ આયોજિત કૌભાંડ આચરવા શાળા સંચાલકોએ શિક્ષકોનો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભર્યા છે. સરકાર આ બાબતે ચૂપ રહી, મળતિયાઓને લોન મળી, અને જીએસસી બેંક દ્વારા શાળા સંચાલકોની સ્કૂલમાં સરળતાથી કેમ્પેઈન કરીને આ લોન આપવામાં આવી હતી. આ લોનના સાચા હકદાર લોકો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં બસ લાઈનમાં જ ઉભા રહી ગયા અને જે શિક્ષકો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ આવતા ન હતા. તે શિક્ષકોને લોન આપવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી