Gyan sahayakનો વિરોધ કરી રહેલા TET-TAT ઉમેદવારો સાથે થયેલા વર્તનની Yuvrajsinh અને Arjun Modhwadiaએ કરી ટીકા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-10 11:56:43

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કરાર આધારિત ભરતી ન કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. કોઈ વખત શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહી. જ્યારે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ જ્યારે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેમને ઢસેડી ઢસેડીને લઈ જવાયા હતા. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. 

યુવરાજસિંહે ઈજાગ્રસ્ત ઉમેદવારોની લીધી મુલાકાત 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સરકાર સુધી ઉમેદવારોનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો સાથે એવી રીતે વર્તન કરવામાં આવ્યું જાણે તે કોઈ આતંકવાદીઓ હોય. અનેક ઉમેદવારોના શર્ટ ફાટી ગયા હતા. તો અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી હતી. ઉમેદવારોને ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલ ઉમેદવારોને ખસેડવામાં આવ્યા હતા. ઉમેદવારોના હાલચાલ પૂછવા માટે યુવરાજસિંહ પહોંચ્યા હતા.  


અર્જુન મોઢવાડિયાએ સરકારને કહી આ વાત 

યુવરાજસિંહે ટ્વિટ કર્યું જેમાં તેમણે લખ્યું કે આજે કોઈ વિદ્યાર્થીનો હાથ કે પગ તૂટ્યો છે. આવનાર સમયમાં અને તમારો ઘમંડ અને અહંકરા તોડીશું. ઉમેદવારોમાંથી આંદોલનકારી બનવા મજબૂર કોણે કર્યા? શું ગુજરાતમાં રહીને શિક્ષણ સચિવને મળવું ગુનો છે? વિદ્યાર્થીનો એટલી જ વાંકને કાયમી ભરતીને કાયમી ભરતી વિશે તમને પ્રશ્ન કરી રહ્યા છે? તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરી છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. યુવાઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો અને તેમની અટકાયત કરી લેવું તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર જ્ઞાનસહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી કરવાની ઘોષણા કરે.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.