Gyan sahayakનો વિરોધ કરી રહેલા TET-TAT ઉમેદવારો સાથે થયેલા વર્તનની Yuvrajsinh અને Arjun Modhwadiaએ કરી ટીકા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-10 11:56:43

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કરાર આધારિત ભરતી ન કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. કોઈ વખત શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને તો કોઈ વખત પીએમને પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ કોઈએ સાંભળ્યો નહી. જ્યારે જ્યારે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે. ગઈકાલે પણ જ્યારે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે આપણે જાણીએ છીએ. તેમને ઢસેડી ઢસેડીને લઈ જવાયા હતા. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. 

યુવરાજસિંહે ઈજાગ્રસ્ત ઉમેદવારોની લીધી મુલાકાત 

ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આવી છે. સરકાર સુધી ઉમેદવારોનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ રીતે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઉમેદવારો સાથે એવી રીતે વર્તન કરવામાં આવ્યું જાણે તે કોઈ આતંકવાદીઓ હોય. અનેક ઉમેદવારોના શર્ટ ફાટી ગયા હતા. તો અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી હતી. ઉમેદવારોને ફેક્ચર થયું હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલ ઉમેદવારોને ખસેડવામાં આવ્યા હતા. ઉમેદવારોના હાલચાલ પૂછવા માટે યુવરાજસિંહ પહોંચ્યા હતા.  


અર્જુન મોઢવાડિયાએ સરકારને કહી આ વાત 

યુવરાજસિંહે ટ્વિટ કર્યું જેમાં તેમણે લખ્યું કે આજે કોઈ વિદ્યાર્થીનો હાથ કે પગ તૂટ્યો છે. આવનાર સમયમાં અને તમારો ઘમંડ અને અહંકરા તોડીશું. ઉમેદવારોમાંથી આંદોલનકારી બનવા મજબૂર કોણે કર્યા? શું ગુજરાતમાં રહીને શિક્ષણ સચિવને મળવું ગુનો છે? વિદ્યાર્થીનો એટલી જ વાંકને કાયમી ભરતીને કાયમી ભરતી વિશે તમને પ્રશ્ન કરી રહ્યા છે? તે ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરી છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. યુવાઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો અને તેમની અટકાયત કરી લેવું તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર જ્ઞાનસહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી કરવાની ઘોષણા કરે.  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?