Rajasthan Paper Leak મામલે PM Modiએ આપેલા નિવેદન પર Yuvrajsinhએ પૂછ્યા PMને પ્રશ્ન, કહ્યું : ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ??


  • Published By :
  • Published Date : 2023-10-03 10:33:48

રાજસ્થાનના પ્રવાસે ગઈકાલે પીએમ મોદી હતા. રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત કોંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. વિવિધ વિષયો પર તેમણે વાત કરી. પરંતુ સૌથી વધારે પેપરલીક માફિયાઓ માટે કરવામાં આવેલા નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું. પેપરલીક માફિયાઓને પાતાળથી શોધવાની વાત પીએમ મોદીએ કરી. ત્યારે પીએમ મોદીના સંબોધન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી પેપરલીક માફિયાઓની વાત 

રાજસ્થાનમાં પીએમ મોદીએ યુવાનોના ભવિષ્યની વાત કરી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં થયું હતું. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે. અનેક વખત પેપરફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પેપર ફોડનાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેવી વાત, તેવા પ્રશ્નો યુવરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે પીએમ મોદીને પૂછ્યા પ્રશ્ન 

સોશિયલ મીડિયા પર યુવરાજસિંહે પીએમ મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી હતી. એક વીડિયો તેમણે શેર કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાતના યુવાનો પારકા છે?  રાજસ્થાનના પેપરલીક ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ? રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહ્યા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? અનેક પ્રશ્નો પૂછી યુવરાજસિંહ જાડેજાએ સરકારને ઘેરવાનો તેમજ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .