Rajasthan Paper Leak મામલે PM Modiએ આપેલા નિવેદન પર Yuvrajsinhએ પૂછ્યા PMને પ્રશ્ન, કહ્યું : ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ??


  • Published By :
  • Published Date : 2023-10-03 10:33:48

રાજસ્થાનના પ્રવાસે ગઈકાલે પીએમ મોદી હતા. રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત કોંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. વિવિધ વિષયો પર તેમણે વાત કરી. પરંતુ સૌથી વધારે પેપરલીક માફિયાઓ માટે કરવામાં આવેલા નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું. પેપરલીક માફિયાઓને પાતાળથી શોધવાની વાત પીએમ મોદીએ કરી. ત્યારે પીએમ મોદીના સંબોધન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી પેપરલીક માફિયાઓની વાત 

રાજસ્થાનમાં પીએમ મોદીએ યુવાનોના ભવિષ્યની વાત કરી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં થયું હતું. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે. અનેક વખત પેપરફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પેપર ફોડનાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેવી વાત, તેવા પ્રશ્નો યુવરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે પીએમ મોદીને પૂછ્યા પ્રશ્ન 

સોશિયલ મીડિયા પર યુવરાજસિંહે પીએમ મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી હતી. એક વીડિયો તેમણે શેર કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાતના યુવાનો પારકા છે?  રાજસ્થાનના પેપરલીક ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ? રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહ્યા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? અનેક પ્રશ્નો પૂછી યુવરાજસિંહ જાડેજાએ સરકારને ઘેરવાનો તેમજ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.