Gyan Sahayak નાબુદ કરાવવા સમાજને Yuvrajsinhએ કરી આ અપીલ, દાંડી યાત્રા 2.0 તો પૂર્ણ થઈ પરંતુ એનું પરિણામ શું આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-23 13:37:15

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ આંદોલનના સમર્થનમાં આવી છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. 20 ઓક્ટોબરે તે યાત્રા સમાપ્ત થઈ ગઈ, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને તે દરમિયાન તેઓ આક્રામક દેખાયા હતા. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. યુવા અધિકાર યાત્રા તો સમાપ્ત થઈ પરંતુ પરિણામ કંઈ ન  આવ્યું તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સમાજને આગળ આવવા માટે યુવરાજસિંહ આહ્વાહન કરી રહ્યા છે.

સમાજને આગળ આવવા યુવરાજસિંહે કરી અપીલ 

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. દાંડી યાત્રા 2.0નું સફળતા પૂર્વક આયોજન કર્યું પરંતુ આ યાત્રા પોતાના ઉપદેશ્યમાં સફળ નથી તેવું કહેવાઈ રહ્યું છે. જ્ઞાન સહાયક રદ્દ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી હોય તેવું નથી લાગી રહ્યું. આ બધા વચ્ચે યુવરાજસિંહે ટ્વટિ કર્યું છે જેમાં તેમણે સમાજે હવે આ શિક્ષણ વ્યવસ્થા બચાવવા આગળ આવવું પડશે. દરેક સમાજના લોકોએ આગળ આવવું પડશે અને જ્ઞાન સહાયક રદ્દ કરાવવા મદદ કરવી જોઈએ. બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજે પોતાનું યોગદાન આપવું જ જોઈએ.    


 દાંડી યાત્રા 2.0નું કઈ ન આવ્યું પરિણામ?

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ  પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા સમર્થન મળ્યું, આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસે આને લઈ તેમણે રેલી કાઢી, દાંડી યાત્રા 2.0 નું આયોજન કર્યું. એ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવું લાગે છે. સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગે છે. ત્યારે યુવરાજસિંહે સમાજને આગળ આવવા માટે આહ્વાહન કર્યું છે. ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજએ પોતાનું યોગદાન આપવું જ જોઈએ. ત્યારે પ્રશ્નએ થાય કે આ યાત્રા નિષ્ફળ ગઈ?  




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?