Gyan Sahayak નાબુદ કરાવવા સમાજને Yuvrajsinhએ કરી આ અપીલ, દાંડી યાત્રા 2.0 તો પૂર્ણ થઈ પરંતુ એનું પરિણામ શું આવ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-23 13:37:15

ગુજરાતમાં ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ આંદોલનના સમર્થનમાં આવી છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. 20 ઓક્ટોબરે તે યાત્રા સમાપ્ત થઈ ગઈ, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને તે દરમિયાન તેઓ આક્રામક દેખાયા હતા. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના નેતાઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. યુવા અધિકાર યાત્રા તો સમાપ્ત થઈ પરંતુ પરિણામ કંઈ ન  આવ્યું તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી સમાજને આગળ આવવા માટે યુવરાજસિંહ આહ્વાહન કરી રહ્યા છે.

સમાજને આગળ આવવા યુવરાજસિંહે કરી અપીલ 

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે તેઓ લડત લડી રહ્યા છે. દાંડી યાત્રા 2.0નું સફળતા પૂર્વક આયોજન કર્યું પરંતુ આ યાત્રા પોતાના ઉપદેશ્યમાં સફળ નથી તેવું કહેવાઈ રહ્યું છે. જ્ઞાન સહાયક રદ્દ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી હોય તેવું નથી લાગી રહ્યું. આ બધા વચ્ચે યુવરાજસિંહે ટ્વટિ કર્યું છે જેમાં તેમણે સમાજે હવે આ શિક્ષણ વ્યવસ્થા બચાવવા આગળ આવવું પડશે. દરેક સમાજના લોકોએ આગળ આવવું પડશે અને જ્ઞાન સહાયક રદ્દ કરાવવા મદદ કરવી જોઈએ. બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજે પોતાનું યોગદાન આપવું જ જોઈએ.    


 દાંડી યાત્રા 2.0નું કઈ ન આવ્યું પરિણામ?

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટ  પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા સમર્થન મળ્યું, આમ આદમી પાર્ટીએ તેમજ કોંગ્રેસે આને લઈ તેમણે રેલી કાઢી, દાંડી યાત્રા 2.0 નું આયોજન કર્યું. એ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો પરંતુ યાત્રા પૂર્ણ થયા બાદ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું હોય તેવું લાગે છે. સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગે છે. ત્યારે યુવરાજસિંહે સમાજને આગળ આવવા માટે આહ્વાહન કર્યું છે. ટ્વિટ કરતા યુવરાજસિંહે લખ્યું કે બાળકોના સારા ભવિષ્ય માટે દરેક સમાજએ પોતાનું યોગદાન આપવું જ જોઈએ. ત્યારે પ્રશ્નએ થાય કે આ યાત્રા નિષ્ફળ ગઈ?  




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.