Vadodaraમાં GETCO ઓફિસની બહાર પરીક્ષાર્થીઓના ધરણા, ફૂટપાટ પર સૂઈ રાત કાઢી, Yuvrajsinh પણ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-22 10:33:08

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. 1224 જેટલી જગ્યાઓ માટે જેટકો દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાને કારણે આ ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવી છે જેને કારણે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પરીક્ષા માટેની નવી તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ આ બધા વચ્ચે વડોદરા ખાતે પરીક્ષાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો, રાત્રે પણ વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ ત્યાં રહ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષાર્થીઓ જોડે રહ્યા હતા. આજે તેમના વિરોધનો બીજો દિવસ છે.



પરીક્ષાર્થીઓમાં ભારે રોષ    

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે જો ઓફિસમાં મોટા અધિકારીઓ ન હોય તો વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઓફિસમાં કામ કરતા નાના કર્મચારીઓની આપણે અનેક વખત કદર નથી કરતા પરંતુ જ્યારે તે નાનો કર્મચારી ઓફિસમાં હાજર ન હોય ત્યારે અનેક લોકોના કામ અટકી જતા હોય છે. ત્યારે ગામમાં પણ એવું જ હોય છે. એક તરફ સરકાર અનેક ભરતી કરવાની જાહેરાતો કરે છે પરંતુ અનેક વખત એવું થાય છે કે સરકારને જાણે ભરતી કરવામાં રસ જ ન હોય તેવું લાગ્યા કરે છે!

Image

ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ 

જેટકોના પરીક્ષાર્થીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા, વિરોધ પ્રદર્શન કરવા માટે વડોદરા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ ધરણા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ વિધાનસભાનો ઘેરાવો કરશે ઉપરાંત ઉર્જામંત્રીના ઘરનો પણ ઘેરાવો કરશે. 

Image

Image

સરકારે પરીક્ષા માટે નવી તારીખ કરી જાહેર  

વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. એક તરફ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પરીક્ષાર્થીઓ પોતાની માગને લઈ મક્કમ છે. ઠંડી છે તો પણ તેઓ ઓફિસની બહાર રહ્યા અને આખી રાત ત્યાં કાઢી. મહત્વનું છે કે સરકાર દ્વારા પરીક્ષાને લઈ નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેન્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. સરકારે તાત્કાલિક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. 28 અને 29 તારીખે પોલ ટ્રેસ્ટ લેવામાં આવશે. 7 તારીખે અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


અનેક સપનાઓ તૂટે છે!

સરકાર માટે પરીક્ષા રદ્દ કરવી અને ફરીથી પરીક્ષાનું આયોજન કરવું સામાન્ય હશે પરંતુ પરીક્ષાર્થીઓ માટે આ વાત સામાન્ય નથી. નોકરી મળશે તે માટે પરીક્ષાર્થીએ અને તેના પરિવારે સખત મહેનત કરી હોય છે. એક પરીક્ષા રદ્દ નથી થતી પરંતુ અનેક સપનાઓ તૂટી જાય છે.             



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.