Zee Sony Merger:Sony Groupએ 10 અબજ ડોલરની ડીલ તોડવાની કરી જાહેરાત, ZEELએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2024-01-22 18:12:59

Sony Groupએ હવે સત્તાવાર રીતે  Zee Entertainmentની સાથે 10 અબજ ડોલર ડીલ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. Sony Groupએ તેના ભારતીય બિઝનેશને  Zee Entertainment Enterprises (ZEEL) સાથે મર્જરનો પ્રસ્તાવ કર્યો હતો.  Sony Group Corporation દ્વારા તેની વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. 


Zeeના મેનેજમેન્ટએ શું કહ્યું?


કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટએ ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે મર્જરની ડીલ સમાપ્ત કરતા જ ઝીએ પણ જાપાનીઝ કંપની સોનીને કોર્ટમાં ઘસડી જવાની વાત કહીં છે. કંપનીએ કહ્યું કે તેણે આ ડીલ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. ઝીના એમ ડી અને સીઈઓ પુનીત ગોએન્કા પણ હોદ્દો છોડવા માટે તૈયાર હતા તેમ છતાં સોનીએ ડીલ તોડી નાખી છે. Zeeએ પણ તેનું એક નિવેદન જાહેર કર્યું કે  Sonyએ ડીલ રદ્દ કરતા તેણે એગ્રીમેન્ટના ઉલ્લંઘન માટે 90 મિલિયન ડોલરની ટર્મિનેશન ફી માંગી છે. Zeeએ  તે પણ કહ્યું કે તે Sonyના દાવાને ફગાવે છે, અને ઉપલબ્ધ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.  Sony Group દ્વારા આ ડીલ રદ્દ કરવા માટેના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે કેટલાક સમય પહેલા જ  Zee Entertainmentએ રેગ્યલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે તે Culver Max Entertainmentની સાથે 10 અબજ ડોલરની ડીલને સફળતાપૂર્વક પુરીની કરવાના પ્રયાસો કરી રહી છે. Culver Max Entertainmentનું જુનું નામ Sony Pictures Entertainment છે.


અગાઉ પણ ડીલ રદ્દ થવાની થઈ હતી ચર્ચા 


19 જાન્યુઆરીના રોજ ZEELએ કહ્યું કે અમે જણાવવા માગીએ છીએ કે Sonyની સાથે મર્જરને લઈ પ્રતિબધ્ધ છિએ. અણે આ પ્રસ્તાવને પુરો કરવા પર કામ કરી રહ્યા છિએ. આ સ્કીમને યોગ્ય રીતે અમલી કરવા માટે મર્જરને નક્કી કરેલી તારીખ સુધી આગળ વધારવા માટે અમે Sonyની સાથે ચર્ચા કરી રહ્યા છિએ. અગાઉ બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે Sony આ ડીલને રદ્દ કરવા પર વિચાર કરી રહી છે. બંને પાર્ટી વચ્ચે મર્જર બાદ નવી કંપનીમાં લીડરશિપને લઈ સહેમતિ બની રહી નહોંતી. 

 
વર્ષ 2021માં શરૂ થઈ હતી ડીલ પર વાતચીત


વર્ષ 2021માં બંને કંપનીઓ વચ્ચે લગભગ 10 અબજ ડોલરની આ ડીલ પર વાતચીત શરૂ થઈ હતી. 21 ડિસેમ્બર 2023ની આ ડીલ પુરી થવાની હતી. Zeeએ મર્જરની ડેડલાઈનને આગળ વધારવા માટે  Sony સાથે વાતચીત પણ કરી હતી અને આ અંગે સહેમતી બની ચુંકી હતી. જો કે આ વિકેન્ડ પર જ 30 દિવસ માટે મર્જરને પ્રભાવી રીતે આગળ વધારવા માટેની ડેડલાઈન હવે ખતમ થઈ ચૂકી છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.