Zee Sony Merger:Sony Groupએ 10 અબજ ડોલરની ડીલ તોડવાની કરી જાહેરાત, ZEELએ આપી આ ચીમકી


  • Published By :
  • Published Date : 2024-01-22 18:12:59

Sony Groupએ હવે સત્તાવાર રીતે  Zee Entertainmentની સાથે 10 અબજ ડોલર ડીલ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. Sony Groupએ તેના ભારતીય બિઝનેશને  Zee Entertainment Enterprises (ZEEL) સાથે મર્જરનો પ્રસ્તાવ કર્યો હતો.  Sony Group Corporation દ્વારા તેની વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. 


Zeeના મેનેજમેન્ટએ શું કહ્યું?


કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટએ ઝી એન્ટરટેઈનમેન્ટ સાથે મર્જરની ડીલ સમાપ્ત કરતા જ ઝીએ પણ જાપાનીઝ કંપની સોનીને કોર્ટમાં ઘસડી જવાની વાત કહીં છે. કંપનીએ કહ્યું કે તેણે આ ડીલ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. ઝીના એમ ડી અને સીઈઓ પુનીત ગોએન્કા પણ હોદ્દો છોડવા માટે તૈયાર હતા તેમ છતાં સોનીએ ડીલ તોડી નાખી છે. Zeeએ પણ તેનું એક નિવેદન જાહેર કર્યું કે  Sonyએ ડીલ રદ્દ કરતા તેણે એગ્રીમેન્ટના ઉલ્લંઘન માટે 90 મિલિયન ડોલરની ટર્મિનેશન ફી માંગી છે. Zeeએ  તે પણ કહ્યું કે તે Sonyના દાવાને ફગાવે છે, અને ઉપલબ્ધ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.  Sony Group દ્વારા આ ડીલ રદ્દ કરવા માટેના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે કેટલાક સમય પહેલા જ  Zee Entertainmentએ રેગ્યલેટરી ફાઈલિંગમાં કહ્યું હતું કે તે Culver Max Entertainmentની સાથે 10 અબજ ડોલરની ડીલને સફળતાપૂર્વક પુરીની કરવાના પ્રયાસો કરી રહી છે. Culver Max Entertainmentનું જુનું નામ Sony Pictures Entertainment છે.


અગાઉ પણ ડીલ રદ્દ થવાની થઈ હતી ચર્ચા 


19 જાન્યુઆરીના રોજ ZEELએ કહ્યું કે અમે જણાવવા માગીએ છીએ કે Sonyની સાથે મર્જરને લઈ પ્રતિબધ્ધ છિએ. અણે આ પ્રસ્તાવને પુરો કરવા પર કામ કરી રહ્યા છિએ. આ સ્કીમને યોગ્ય રીતે અમલી કરવા માટે મર્જરને નક્કી કરેલી તારીખ સુધી આગળ વધારવા માટે અમે Sonyની સાથે ચર્ચા કરી રહ્યા છિએ. અગાઉ બ્લૂમબર્ગે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે Sony આ ડીલને રદ્દ કરવા પર વિચાર કરી રહી છે. બંને પાર્ટી વચ્ચે મર્જર બાદ નવી કંપનીમાં લીડરશિપને લઈ સહેમતિ બની રહી નહોંતી. 

 
વર્ષ 2021માં શરૂ થઈ હતી ડીલ પર વાતચીત


વર્ષ 2021માં બંને કંપનીઓ વચ્ચે લગભગ 10 અબજ ડોલરની આ ડીલ પર વાતચીત શરૂ થઈ હતી. 21 ડિસેમ્બર 2023ની આ ડીલ પુરી થવાની હતી. Zeeએ મર્જરની ડેડલાઈનને આગળ વધારવા માટે  Sony સાથે વાતચીત પણ કરી હતી અને આ અંગે સહેમતી બની ચુંકી હતી. જો કે આ વિકેન્ડ પર જ 30 દિવસ માટે મર્જરને પ્રભાવી રીતે આગળ વધારવા માટેની ડેડલાઈન હવે ખતમ થઈ ચૂકી છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.