ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનશે


  • Published By :
  • Published Date : 2022-10-29 17:19:24

ગુજરાત ચૂંટણી નજીક જ છે ત્યારે ભાજપ સરકારે કોમન સિવિલ કૉડ માટે કમિટીની બનાવવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ પત્રકાર પરિષદ કરી હતી. સમાન નાગરિક સંહિતા એટલે એક એવો કાયદો જેમાં તમામ ધર્મોના નિયમો સરખા હશે.  


ટૂંક સમયમાં કમિટી બનાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવશે. આ કમિટી ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. ગુજરાત કેબિનેટે નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને અધિકાર આપી દીધો છે માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે નિર્ણય લેશે. કમિટી ક્યારે બનાવવામાં આવશે તે મામલે ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. હાલ પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે કમિટી ક્યારે બનશે તે હાલ નક્કી નથી પરંતુ ઓછામાં ઓછા ચાર લોકોનો કમિટીની અંદર સમાવેશ કરવામાં આવશે. 


યુનિફોર્મ સિવિલ કૉડના ભાજપે શું ફાયદા ગણાવ્યા?

કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રુપાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત વિસંગતતાઓ દૂર થશે. આનાથી સામાજિક સદભાવનાઓ વધશે. મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે. જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છૂટાછેડા જેવી બાબતોમાં સમાનતા લાગુ થશે. એટલે કે તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને બાળક દત્તક લેવાના નિયમો સરખા હશે. કોઈ ધર્મોમાં અલગ કાયદાઓ નહીં હોય તમામ ધર્મો એક જ કાયદાને માનશે. 


UCC મામલે થોડું ઈતિહાસમાં ડોકિયું કરી લઈએ

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સતત 1948થી પ્રયત્નો ચાલી રહ્યા છે. બીએન રાવ કમિટીએ વર્ષ 1941માં સમાન સિવિલ કાયદો લાવવા ભલામણ કરી હતી. આ કમિટીએ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સમાન નાગરિક સંહિતાનો નિર્ણય ટળ્યો હતો. ત્યાર બાદ 1985, 1995, 1997 અને 2015માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારોને યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે વિચાર કરવા કહ્યું હતું. ગોવામાં 1961થી કોમન સિવિલ કૉડ લાગુ છે જ્યારે ઉત્તરાખંડમાં પણ પુષ્કરસિંહ ધામી સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિર્ણય લીધો છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.