નશેડી પતિએ પરિવારને જીવતો સળગાવી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:51:46

પંજાબના જલંધરથી કંપારી છોડાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જલંધરમાં એક યુવકે સાસુ-સસરા, પત્ની સહિત દિકરી અને દિકરાને જીવતા સળગાવી દેવાનો બનાવ બન્યો છે. કાલીસિંહ નામના વ્યક્તિએ સોમવારે સસરાના ઘરમાં આગ લગાવી દીધી હતી જેથી પરિવાર બળીને ભડથું થઈ ગયો હતો. 


નશેડી પતિએ પરિવારને પતાવ્યો

નશેડી પતિએ અન્ય ત્રણ મિત્રો સાથે આવીને પરિવાર પર હુમલો બોલાવ્યો હતો. પતિ પત્ની અને બાળકોને પીયરથી લેવા માટે જલંધરના બીટલા ગામે ગયો હતો. પત્ની પતિની નશાની આદતથી પરેશાન થઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સોમવારે પતિ બીટલા પહોંચ્યો હતો ત્યારે પરિવાર પાછો ઘરે આવવા માટે માન્યો ના હતો. પત્નીએ ખુરશૈદપુરા નહીં આવવાની વાત કરતા આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. 


દિવાસળી ચાંપી પરિવારને જીવતો સળગાવ્યો 

કાલીસિંહ નામનો યુવક બીટલા ગામે જ રોકાયો હતો. પત્નીએ ઘરે આવવાની ના પાડતા તે ખૂબ ગુસ્સામાં હતો. અંતે તેણે પરિવારને પતાવી દેવાનો નિર્ણય લીધો અને તેના દોસ્તો સાથે મળીને સસરાના ઘરે જઈ તાળું મારીને રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેથી પત્ની, બે બાળકો અને સાસુ સસરાનું મોત થયું છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.