નશેડી પતિએ પરિવારને જીવતો સળગાવી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:51:46

પંજાબના જલંધરથી કંપારી છોડાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જલંધરમાં એક યુવકે સાસુ-સસરા, પત્ની સહિત દિકરી અને દિકરાને જીવતા સળગાવી દેવાનો બનાવ બન્યો છે. કાલીસિંહ નામના વ્યક્તિએ સોમવારે સસરાના ઘરમાં આગ લગાવી દીધી હતી જેથી પરિવાર બળીને ભડથું થઈ ગયો હતો. 


નશેડી પતિએ પરિવારને પતાવ્યો

નશેડી પતિએ અન્ય ત્રણ મિત્રો સાથે આવીને પરિવાર પર હુમલો બોલાવ્યો હતો. પતિ પત્ની અને બાળકોને પીયરથી લેવા માટે જલંધરના બીટલા ગામે ગયો હતો. પત્ની પતિની નશાની આદતથી પરેશાન થઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સોમવારે પતિ બીટલા પહોંચ્યો હતો ત્યારે પરિવાર પાછો ઘરે આવવા માટે માન્યો ના હતો. પત્નીએ ખુરશૈદપુરા નહીં આવવાની વાત કરતા આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. 


દિવાસળી ચાંપી પરિવારને જીવતો સળગાવ્યો 

કાલીસિંહ નામનો યુવક બીટલા ગામે જ રોકાયો હતો. પત્નીએ ઘરે આવવાની ના પાડતા તે ખૂબ ગુસ્સામાં હતો. અંતે તેણે પરિવારને પતાવી દેવાનો નિર્ણય લીધો અને તેના દોસ્તો સાથે મળીને સસરાના ઘરે જઈ તાળું મારીને રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેથી પત્ની, બે બાળકો અને સાસુ સસરાનું મોત થયું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે