નશેડી પતિએ પરિવારને જીવતો સળગાવી દીધો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:51:46

પંજાબના જલંધરથી કંપારી છોડાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જલંધરમાં એક યુવકે સાસુ-સસરા, પત્ની સહિત દિકરી અને દિકરાને જીવતા સળગાવી દેવાનો બનાવ બન્યો છે. કાલીસિંહ નામના વ્યક્તિએ સોમવારે સસરાના ઘરમાં આગ લગાવી દીધી હતી જેથી પરિવાર બળીને ભડથું થઈ ગયો હતો. 


નશેડી પતિએ પરિવારને પતાવ્યો

નશેડી પતિએ અન્ય ત્રણ મિત્રો સાથે આવીને પરિવાર પર હુમલો બોલાવ્યો હતો. પતિ પત્ની અને બાળકોને પીયરથી લેવા માટે જલંધરના બીટલા ગામે ગયો હતો. પત્ની પતિની નશાની આદતથી પરેશાન થઈ પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. સોમવારે પતિ બીટલા પહોંચ્યો હતો ત્યારે પરિવાર પાછો ઘરે આવવા માટે માન્યો ના હતો. પત્નીએ ખુરશૈદપુરા નહીં આવવાની વાત કરતા આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. 


દિવાસળી ચાંપી પરિવારને જીવતો સળગાવ્યો 

કાલીસિંહ નામનો યુવક બીટલા ગામે જ રોકાયો હતો. પત્નીએ ઘરે આવવાની ના પાડતા તે ખૂબ ગુસ્સામાં હતો. અંતે તેણે પરિવારને પતાવી દેવાનો નિર્ણય લીધો અને તેના દોસ્તો સાથે મળીને સસરાના ઘરે જઈ તાળું મારીને રૂમમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. જેથી પત્ની, બે બાળકો અને સાસુ સસરાનું મોત થયું છે. 




ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.