આર્મી સ્પેશિયલ ફોર્સ અને ગરુડ કમાન્ડોનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:00

ભારતીય વાયુ સેના અને ભારતીય થલ સેનાએ સંયુક્ત કવાયતના ભાગરુપે એક મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. આ જે ગરુડની જેમ હવામાં તરી રહ્યા છે તે આપણા ગરૂડ કમાન્ડો છે.

ભારતના પૂર્વ સેક્ટરમાં C-130J હેલિકોપ્ટરમાંથી આર્મી પેરા સ્પેશિયલ ફોર્સીસ અને ગરુડના કમાન્ડોએ કૂદકો લગાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન એક કોમ્બેટ ફ્રી ફૉલ મિશન હતું જે આપણા જવાનોએ સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. મેઘાલયની રાજધાની શિલોંગના ડીફેન્સ PROએ સમગ્ર માહિતી આપી હતી. 


કોણ હોય છે ગરૂડ કમાન્ડો? 

ગરૂડ કમાન્ડો ભારતીય વાયુસેનાનું વિશેષ દળ છે. ગરુડ કમાન્ડોની સ્થાપના વર્ષ 2004ના સપ્ટેમ્બર માસમાં થઈ હતી. ગરુડ કમાન્ડોમાં 1500 જેટલા જવાનો હાલ સેવા આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક કથાઓમાંના દિવ્ય પક્ષીના કારણે આ દળનું નામ ગરૂડ કમાન્ડો રખાયું છે. 





ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.