આર્મી સ્પેશિયલ ફોર્સ અને ગરુડ કમાન્ડોનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:00

ભારતીય વાયુ સેના અને ભારતીય થલ સેનાએ સંયુક્ત કવાયતના ભાગરુપે એક મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. આ જે ગરુડની જેમ હવામાં તરી રહ્યા છે તે આપણા ગરૂડ કમાન્ડો છે.

ભારતના પૂર્વ સેક્ટરમાં C-130J હેલિકોપ્ટરમાંથી આર્મી પેરા સ્પેશિયલ ફોર્સીસ અને ગરુડના કમાન્ડોએ કૂદકો લગાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન એક કોમ્બેટ ફ્રી ફૉલ મિશન હતું જે આપણા જવાનોએ સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. મેઘાલયની રાજધાની શિલોંગના ડીફેન્સ PROએ સમગ્ર માહિતી આપી હતી. 


કોણ હોય છે ગરૂડ કમાન્ડો? 

ગરૂડ કમાન્ડો ભારતીય વાયુસેનાનું વિશેષ દળ છે. ગરુડ કમાન્ડોની સ્થાપના વર્ષ 2004ના સપ્ટેમ્બર માસમાં થઈ હતી. ગરુડ કમાન્ડોમાં 1500 જેટલા જવાનો હાલ સેવા આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક કથાઓમાંના દિવ્ય પક્ષીના કારણે આ દળનું નામ ગરૂડ કમાન્ડો રખાયું છે. 





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .