આર્મી સ્પેશિયલ ફોર્સ અને ગરુડ કમાન્ડોનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:00

ભારતીય વાયુ સેના અને ભારતીય થલ સેનાએ સંયુક્ત કવાયતના ભાગરુપે એક મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. આ જે ગરુડની જેમ હવામાં તરી રહ્યા છે તે આપણા ગરૂડ કમાન્ડો છે.

ભારતના પૂર્વ સેક્ટરમાં C-130J હેલિકોપ્ટરમાંથી આર્મી પેરા સ્પેશિયલ ફોર્સીસ અને ગરુડના કમાન્ડોએ કૂદકો લગાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન એક કોમ્બેટ ફ્રી ફૉલ મિશન હતું જે આપણા જવાનોએ સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. મેઘાલયની રાજધાની શિલોંગના ડીફેન્સ PROએ સમગ્ર માહિતી આપી હતી. 


કોણ હોય છે ગરૂડ કમાન્ડો? 

ગરૂડ કમાન્ડો ભારતીય વાયુસેનાનું વિશેષ દળ છે. ગરુડ કમાન્ડોની સ્થાપના વર્ષ 2004ના સપ્ટેમ્બર માસમાં થઈ હતી. ગરુડ કમાન્ડોમાં 1500 જેટલા જવાનો હાલ સેવા આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક કથાઓમાંના દિવ્ય પક્ષીના કારણે આ દળનું નામ ગરૂડ કમાન્ડો રખાયું છે. 





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.