આર્મી સ્પેશિયલ ફોર્સ અને ગરુડ કમાન્ડોનું સંયુક્ત ઓપરેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:00

ભારતીય વાયુ સેના અને ભારતીય થલ સેનાએ સંયુક્ત કવાયતના ભાગરુપે એક મિશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. આ જે ગરુડની જેમ હવામાં તરી રહ્યા છે તે આપણા ગરૂડ કમાન્ડો છે.

ભારતના પૂર્વ સેક્ટરમાં C-130J હેલિકોપ્ટરમાંથી આર્મી પેરા સ્પેશિયલ ફોર્સીસ અને ગરુડના કમાન્ડોએ કૂદકો લગાવ્યો હતો. આ સંયુક્ત ઓપરેશન એક કોમ્બેટ ફ્રી ફૉલ મિશન હતું જે આપણા જવાનોએ સફળતાપૂર્વક પૂરું પાડ્યું હતું. મેઘાલયની રાજધાની શિલોંગના ડીફેન્સ PROએ સમગ્ર માહિતી આપી હતી. 


કોણ હોય છે ગરૂડ કમાન્ડો? 

ગરૂડ કમાન્ડો ભારતીય વાયુસેનાનું વિશેષ દળ છે. ગરુડ કમાન્ડોની સ્થાપના વર્ષ 2004ના સપ્ટેમ્બર માસમાં થઈ હતી. ગરુડ કમાન્ડોમાં 1500 જેટલા જવાનો હાલ સેવા આપે છે. હિન્દુ ધર્મના પૌરાણિક કથાઓમાંના દિવ્ય પક્ષીના કારણે આ દળનું નામ ગરૂડ કમાન્ડો રખાયું છે. 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.