માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો, મહિપતસિંહ ચૌહાણ કેમ મેળ પાડશે?


  • Published By :
  • Published Date : 2022-11-01 18:19:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સિવાય કોઈ પક્ષે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આઠમી લિસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા ક્ષેત્ર પર મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 


માતર વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ 

હાલના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી આવે છે. દેવુસિંહ ચૌહાણનો માતર વિધાનસભા ક્ષેત્ર પર સારો દબદબો છે. 2002માં રાકેશ એડવોકેટ અને ત્યાર બાદ 2007થી 2014 સુધી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યા હતા. 2014 અને 2017થી માતર સીટ પર કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય છે. 2002થી અત્યાર સુધી ભાજપના જ ધારાસભ્યો આ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટાઈ આવ્યા છે હવે આ વખતે કોંગ્રેસ કયો રાજકીય દાવ રમશે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે જ્યારે મહિપતસિંહ ચૌહાણ ખંભાત પરથી પણ દાવેદારીની માગ કરી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેસરીસિંહને ટિકિટ આપે કે નહીં તે ચર્ચાનો વિષય છે કારણ કે કેસરીસિંહના સમયાંતરે મોટા વિવાદો બહાર આવતા રહે છે. 


માતરના આવા કંઈક રાજકીય સમીકરણો છે

માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ 2002થી છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય મતદારો વધારે છે, ત્યાર બાદ મુસ્લીમ અને પટેલ સમાજના મતદારો છે. કુલ 2 લાખ 26 હજાર મતદારોમાંથી ચાળીસ ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે જ્યારે અનુસૂચિત જાતિના લોકો 5 ટકા જેટલા છે. આથી આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને મહિપતસિંહ જાડેજાના સમાજ સેવાના કામો પણ સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.  ભાજપનો આ વિધાનસભા ક્ષેત્રમાં સારો દબદબો છે જ્યારે કોંગ્રેસ પણ પોતાની રીતના પ્રયાસો કરી રહી છે. 


આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મોકો આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને મોકો આપશે તે હવે જોવાનું રહેશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.