માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો, મહિપતસિંહ ચૌહાણ કેમ મેળ પાડશે?


  • Published By :
  • Published Date : 2022-11-01 18:19:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સિવાય કોઈ પક્ષે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આઠમી લિસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા ક્ષેત્ર પર મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 


માતર વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ 

હાલના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી આવે છે. દેવુસિંહ ચૌહાણનો માતર વિધાનસભા ક્ષેત્ર પર સારો દબદબો છે. 2002માં રાકેશ એડવોકેટ અને ત્યાર બાદ 2007થી 2014 સુધી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યા હતા. 2014 અને 2017થી માતર સીટ પર કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય છે. 2002થી અત્યાર સુધી ભાજપના જ ધારાસભ્યો આ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટાઈ આવ્યા છે હવે આ વખતે કોંગ્રેસ કયો રાજકીય દાવ રમશે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે જ્યારે મહિપતસિંહ ચૌહાણ ખંભાત પરથી પણ દાવેદારીની માગ કરી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેસરીસિંહને ટિકિટ આપે કે નહીં તે ચર્ચાનો વિષય છે કારણ કે કેસરીસિંહના સમયાંતરે મોટા વિવાદો બહાર આવતા રહે છે. 


માતરના આવા કંઈક રાજકીય સમીકરણો છે

માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ 2002થી છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય મતદારો વધારે છે, ત્યાર બાદ મુસ્લીમ અને પટેલ સમાજના મતદારો છે. કુલ 2 લાખ 26 હજાર મતદારોમાંથી ચાળીસ ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે જ્યારે અનુસૂચિત જાતિના લોકો 5 ટકા જેટલા છે. આથી આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને મહિપતસિંહ જાડેજાના સમાજ સેવાના કામો પણ સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.  ભાજપનો આ વિધાનસભા ક્ષેત્રમાં સારો દબદબો છે જ્યારે કોંગ્રેસ પણ પોતાની રીતના પ્રયાસો કરી રહી છે. 


આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મોકો આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને મોકો આપશે તે હવે જોવાનું રહેશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.