માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપનો કબજો, મહિપતસિંહ ચૌહાણ કેમ મેળ પાડશે?


  • Published By :
  • Published Date : 2022-11-01 18:19:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સિવાય કોઈ પક્ષે હજુ ઉમેદવારો જાહેર નથી કર્યા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આઠમી લિસ્ટ જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા ક્ષેત્ર પર મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. 


માતર વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ 

હાલના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી આવે છે. દેવુસિંહ ચૌહાણનો માતર વિધાનસભા ક્ષેત્ર પર સારો દબદબો છે. 2002માં રાકેશ એડવોકેટ અને ત્યાર બાદ 2007થી 2014 સુધી દેવુસિંહ ચૌહાણ માતર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટાઈ આવ્યા હતા. 2014 અને 2017થી માતર સીટ પર કેસરીસિંહ સોલંકી ધારાસભ્ય છે. 2002થી અત્યાર સુધી ભાજપના જ ધારાસભ્યો આ વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટાઈ આવ્યા છે હવે આ વખતે કોંગ્રેસ કયો રાજકીય દાવ રમશે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે જ્યારે મહિપતસિંહ ચૌહાણ ખંભાત પરથી પણ દાવેદારીની માગ કરી રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કેસરીસિંહને ટિકિટ આપે કે નહીં તે ચર્ચાનો વિષય છે કારણ કે કેસરીસિંહના સમયાંતરે મોટા વિવાદો બહાર આવતા રહે છે. 


માતરના આવા કંઈક રાજકીય સમીકરણો છે

માતર વિધાનસભા ક્ષેત્ર પર ભાજપ 2002થી છે. આ વિધાનસભા ક્ષેત્રમાં ક્ષત્રિય મતદારો વધારે છે, ત્યાર બાદ મુસ્લીમ અને પટેલ સમાજના મતદારો છે. કુલ 2 લાખ 26 હજાર મતદારોમાંથી ચાળીસ ટકા જેટલા મતદારો ક્ષત્રિય છે જ્યારે અનુસૂચિત જાતિના લોકો 5 ટકા જેટલા છે. આથી આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને મહિપતસિંહ જાડેજાના સમાજ સેવાના કામો પણ સ્થાનિક લોકો દ્વારા વખાણવામાં આવ્યા છે.  ભાજપનો આ વિધાનસભા ક્ષેત્રમાં સારો દબદબો છે જ્યારે કોંગ્રેસ પણ પોતાની રીતના પ્રયાસો કરી રહી છે. 


આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મોકો આપ્યો છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ કોને મોકો આપશે તે હવે જોવાનું રહેશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.