વધતા અકસ્માત પગલે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 12:00:57


અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતો જાય છે. અને વાહનોની સંખ્યા પણ વધતી જાય છે. સરકારે લોકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્ત કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ બનાવ્યાં છે અને વધુ બ્રિજનું કામ ચાલુ છે. ત્યારે શહેરમાં છેલ્લા 19 મહિનામાં અકસ્માતના 622 કેસો નોંધાયા છે. શહેરમાં અકસ્માતોની સંખ્યા ઓછી કરવા માટે પોલીસે હવે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરમાં હવે અકસ્માતોની સંખ્યા વધતાં કાર માટે વધુમાં વધુ 70 કિ.મી અને ટુ-વ્હીલર્સ માટે 60 કિ.મીની સ્પીડ નક્કી કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર હવે પોલીસ સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરશે.



પોલીસએ કાર્યવાહી શરૂ કરી દીધી છે 

અમદાવાદમાં SG અને SP રિંગરોડ પર સૌથી વધુ અકસ્માતો સર્જાય છે જેનું કારણ છે ઓવર સ્પીડ શહેર પોલીસે હવેથી વાહનો ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દીધી છે. એટલે કે હવેથી શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ કાર્યવાહી કરશે. દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહે છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે.


પોલીસ E- મેમો આપશે !!!

શહેર ટ્રાફિક વિભાગ અમુક વિસ્તારોના હોટ સ્પોટ અંગે સ્ટડિ કરી રહ્યા છે જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જેમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકો મોતને ભેટયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું સામે આવી રહ્યું છે. માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો વધુ બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે.



આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...

ગુજરાતના અનેક સરહદી વિસ્તારમાં આજે પણ પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. પીવાના પાણી માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. ટેન્કરના માધ્યમથી પાણી આવે છે.