અમેરિકાના 'ચાણક્ય' હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન, તેમને શા માટે કહેવાય છે ભારતના દુશ્મન-1?


  • Published By :
  • Published Date : 2023-11-30 16:10:22

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અને અમેરિકાના ચાણક્ય તરીકે જાણીતા હેનરી કિસિન્જરનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 30 નવેમ્બરે અમેરિકાના કનેક્ટિકટ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો.. હેનરી કિસિન્જરએ અમેરિકાના બે પ્રમુખ રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડના કાર્યકાળમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 27 મેના રોજ તેમનો 100મો જન્મ દિન મનાવ્યો હતો. હેનરી કિસિન્જર આધુનિક અમેરિકાના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. જો કે તેઓ ભારત માટે હંમેશા વિલન રહ્યા હતા. ભારત પ્રત્યે ધૃણા રાખનારા કિસિન્જરે વર્ષ 1971માં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને પ્રમુખ રિચાર્ડ નિક્સનને ભારત વિરૂધ્ધ ઉશ્કેર્યા હતા.


કોણ હતા હેનરી કિસિંજર?


હેનરી કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. તેઓ 1938માં અમેરિકા આવ્યા હતા. 1943 માં, તેઓ અમેરિકન નાગરિક બન્યા અને ત્રણ વર્ષ સુધી અમેરિકન સેનામાં સેવા આપી હતી. આ સિવાય તેણે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ કામ કર્યું હતું. સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી, તેઓ હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો પર લેક્ચર આપતા હતા. 1969 માં, તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પોસ્ટ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. રિચાર્ડ નિકસનની સરકારમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેઓ બંને હોદ્દા એક સાથે સંભાળતા હતા.


ભારતના દુશ્મન-1?  


વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતે અમેરિકાએ પાકિસ્તાનના સમર્થનમાં નેવીનું યુએસએસ એન્ટરપ્રાઈઝ સહિત 7માં બેડાને અનેક યુધ્ધ જહાજો સાથે બંગાળની ખાડીમાં રવાના કર્યો હતો. જો કે  તે યુધ્ધ જહાજ ઢાકાથી હજાર કિમીના અંતરે હતા અને ધીરે-ધીરે આગળ વધી રહ્યો હતો. જો કે આ દરમિયાન સોવિયેત રશિયાએ પણ ભારતના સમર્થનમાં તેના નૌકા કાફલાને લીલીઝંડી આપી દીધી હતી. પરિસ્થિતી એવી સર્જાઈ કે અમેરિકાએ યુધ્ધમાં દખલ દેવાના બદલે પીછેહઠ કરી હતી. 



ઈન્દિરા ગાંધીને ડરાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો


હેનરી કિસિંજર ઇચ્છતા હતા કે 1971માં ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં દખલ ન કરે.આવી સ્થિતિમાં તેમણે ઈન્દિરા ગાંધી પર દબાણ લાવવાની કોશિશ શરૂ કરી. કિસિંજરના કહેવા પર રિચર્ડ નિક્સને ઈન્દિરા ગાંધીનું અપમાન કર્યું અને તેમને મળવા માટે લાંબો સમય રાહ જોવી પડી. આ પછી મીટિંગમાં પણ નિક્સને ઈન્દિરા ગાંધી સાથે ખૂબ જ તુમાખીથી વાત કરી અને પાકિસ્તાન પર હુમલો રોકવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઈન્દિરાએ સ્પષ્ટપણે કહ્યું કે નિર્ણય બદલાશે નહીં કારણ કે પૂર્વ પાકિસ્તાનના ઘટનાક્રમના કારણે ભારતમાં જે કટોકટી ઊભી થઈ છે તેના પર અમે ચૂપ રહી શકીએ નહીં. ઈન્દિરા ગાંધી અમેરિકાથી પરત ફર્યા અને ભારતીય સેનાએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.