સરકારના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે, ફરી નિર્ભયા જેવી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:09:35


સરકાર હંમેશા મહિલા સુરક્ષાના પોકળ દાવા કરતી રહી છે પણ હકીકત એ છે કે મહિલા ના તો પેહલા સુરક્ષિત હતી ના તો અત્યારે સુરક્ષિત છે. દિવસેને દિવસે ભારતમાં બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની વિકૃત માનસિકતા એવી રીતે સામે આવી રહી છે કે સાંભળીને લોકોનું મન વિચલિત થઈ  જતું હોય છે. દિલ્હીનો ભયાનક નિર્ભયા કેસ હજુ પણ લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી એકવખત નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. રેપ કેપિટલ કહેવાતા દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક મહિલાનું પાંચ શખ્સોએ કારમા અપહરણ કરીને બે દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનો એ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો અને આશ્રમ રોડ પાસે મહિલાને બેભાન અવસ્થામાં ફેંકી દીધી હતી 


પીડિતાની દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

દિલ્લી પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદમાં તેના ભાઈના ઘરે આવી હતી. હાલ મહિલા ગંભીર હોવાથી દિલ્હીની GTB હોસ્પિટલમાં દાખલ છે.


શું પ્રોપર્ટીના કારણે આચર્યું આ કૃત્ય?

ગાઝિયાબાદના SP નિપુન અગ્રવાલે જણાવ્યું કે, આરોપીઓ મહિલાને પહેલાથી ઓળખતા હતા. તેમની વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો. જોકે આ કારણે મહિલા સાથે આ ઘટના બની છે કેમ એ હજુ તપાસનો વિષય છે. હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે .



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.