સરકારના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે, ફરી નિર્ભયા જેવી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:09:35


સરકાર હંમેશા મહિલા સુરક્ષાના પોકળ દાવા કરતી રહી છે પણ હકીકત એ છે કે મહિલા ના તો પેહલા સુરક્ષિત હતી ના તો અત્યારે સુરક્ષિત છે. દિવસેને દિવસે ભારતમાં બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની વિકૃત માનસિકતા એવી રીતે સામે આવી રહી છે કે સાંભળીને લોકોનું મન વિચલિત થઈ  જતું હોય છે. દિલ્હીનો ભયાનક નિર્ભયા કેસ હજુ પણ લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી એકવખત નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. રેપ કેપિટલ કહેવાતા દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક મહિલાનું પાંચ શખ્સોએ કારમા અપહરણ કરીને બે દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનો એ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો અને આશ્રમ રોડ પાસે મહિલાને બેભાન અવસ્થામાં ફેંકી દીધી હતી 


પીડિતાની દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

દિલ્લી પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદમાં તેના ભાઈના ઘરે આવી હતી. હાલ મહિલા ગંભીર હોવાથી દિલ્હીની GTB હોસ્પિટલમાં દાખલ છે.


શું પ્રોપર્ટીના કારણે આચર્યું આ કૃત્ય?

ગાઝિયાબાદના SP નિપુન અગ્રવાલે જણાવ્યું કે, આરોપીઓ મહિલાને પહેલાથી ઓળખતા હતા. તેમની વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો. જોકે આ કારણે મહિલા સાથે આ ઘટના બની છે કેમ એ હજુ તપાસનો વિષય છે. હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે .



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.