સરકારના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે, ફરી નિર્ભયા જેવી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:09:35


સરકાર હંમેશા મહિલા સુરક્ષાના પોકળ દાવા કરતી રહી છે પણ હકીકત એ છે કે મહિલા ના તો પેહલા સુરક્ષિત હતી ના તો અત્યારે સુરક્ષિત છે. દિવસેને દિવસે ભારતમાં બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની વિકૃત માનસિકતા એવી રીતે સામે આવી રહી છે કે સાંભળીને લોકોનું મન વિચલિત થઈ  જતું હોય છે. દિલ્હીનો ભયાનક નિર્ભયા કેસ હજુ પણ લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી એકવખત નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. રેપ કેપિટલ કહેવાતા દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક મહિલાનું પાંચ શખ્સોએ કારમા અપહરણ કરીને બે દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનો એ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો અને આશ્રમ રોડ પાસે મહિલાને બેભાન અવસ્થામાં ફેંકી દીધી હતી 


પીડિતાની દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

દિલ્લી પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદમાં તેના ભાઈના ઘરે આવી હતી. હાલ મહિલા ગંભીર હોવાથી દિલ્હીની GTB હોસ્પિટલમાં દાખલ છે.


શું પ્રોપર્ટીના કારણે આચર્યું આ કૃત્ય?

ગાઝિયાબાદના SP નિપુન અગ્રવાલે જણાવ્યું કે, આરોપીઓ મહિલાને પહેલાથી ઓળખતા હતા. તેમની વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો. જોકે આ કારણે મહિલા સાથે આ ઘટના બની છે કેમ એ હજુ તપાસનો વિષય છે. હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે .



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.