સરકારના મહિલા સુરક્ષાના દાવા વચ્ચે, ફરી નિર્ભયા જેવી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 17:09:35


સરકાર હંમેશા મહિલા સુરક્ષાના પોકળ દાવા કરતી રહી છે પણ હકીકત એ છે કે મહિલા ના તો પેહલા સુરક્ષિત હતી ના તો અત્યારે સુરક્ષિત છે. દિવસેને દિવસે ભારતમાં બળાત્કારના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોની વિકૃત માનસિકતા એવી રીતે સામે આવી રહી છે કે સાંભળીને લોકોનું મન વિચલિત થઈ  જતું હોય છે. દિલ્હીનો ભયાનક નિર્ભયા કેસ હજુ પણ લોકો ભૂલ્યા નથી ત્યારે ફરી એકવખત નિર્ભયા કેસ જેવી ઘટના સામે આવી છે. રેપ કેપિટલ કહેવાતા દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક મહિલાનું પાંચ શખ્સોએ કારમા અપહરણ કરીને બે દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હેવાનો એ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો અને આશ્રમ રોડ પાસે મહિલાને બેભાન અવસ્થામાં ફેંકી દીધી હતી 


પીડિતાની દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર 

દિલ્લી પોલીસના જણાવ્યાં અનુસાર મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની રહેવાસી છે. તે ગાઝિયાબાદમાં તેના ભાઈના ઘરે આવી હતી. હાલ મહિલા ગંભીર હોવાથી દિલ્હીની GTB હોસ્પિટલમાં દાખલ છે.


શું પ્રોપર્ટીના કારણે આચર્યું આ કૃત્ય?

ગાઝિયાબાદના SP નિપુન અગ્રવાલે જણાવ્યું કે, આરોપીઓ મહિલાને પહેલાથી ઓળખતા હતા. તેમની વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો. જોકે આ કારણે મહિલા સાથે આ ઘટના બની છે કેમ એ હજુ તપાસનો વિષય છે. હાલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે .



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.