જુનાગઢના માર્કેટિંગ યાર્ડના કિસાન ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાની કરાઈ બાદબાકી?


  • Published By :
  • Published Date : 2023-03-20 19:25:46

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહે જૂનાગઢ ગઇકાલે જુનાગઢના મહેમાન બન્યા હતા. તેમણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડ  ખાતે નવનિર્મિત "કિસાન ભવન" નું લોકાર્પણ અને "ઓર્ગેનિક મોલ" નું ભૂમિ પૂજન કર્યું હતું, તે ઉપરાંત જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક બિલ્ડીંગના શિલાન્યાસ કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિ શિબિર અર્થે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ સમગ્ર કાર્યક્રમમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ક્યાંય દેખાયા ન હતા.


રાજેશ ચુડાસમા શા માટે ગેરહાજર?


જુનાગઢમાં આયોજીત આ મહત્વના કાર્યક્રમમાં ગીર-સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા સમગ્ર કાર્યક્રમમાં ક્યાંય જોવા મળ્યા નહોતા. જો કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચણભણ થતી જોવા મળી હતી કે આત્મહત્યા કેસમાં તેમનું નામ સામે આવ્યું હોવાથી તથા આ કાર્યક્રમમાં અમિત શાહ આવતા હોવાથી તેમને દૂર રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે વેરાવળના જાણીતા તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યામાં ડૉ.ચગના પરિવારે સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યો છે. 


રાજેશ ચુડાસમા સામે આરોપ શું છે?


ગીર-સોમનાથના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારે રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને આત્મહત્યાના 36 દિવસ બાદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો હતો. જેમાં ડૉ અતુલ ચગ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો. સાથે જ ચુડાસમાએ નાર્કો કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટની તૈયારી દર્શાવી તો બીજી તરફ અતુલ ચગના મિત્ર જલપન રૂપાપરાએ રાજેશ ચુડાસમાના પત્ર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે રાજેશ ચુડાસમાએ જે પીડીએફ બહાર પાડી તેમાં નારણ ચુડાસમાનો કેમ ઉલ્લેખ નથી. સાંસદ લાઈવ ડિટેક્ટ ટેસ્ટની વાત કરે છે પરંતુ હજી FIR જ નથી થઈ તો લાઈવ ડિટેકટ ટેસ્ટ દૂરની વાત છે..સાથે જ દાવો કર્યો કે નારણ ચુડાસમાના જે બ્લેન્ક ચેક આપ્યા છે તે સાંસદના ઓફિશિયલ કવરમાં હતા.


કાર્યક્રમમાં આ નેતાઓ રહ્યા ઉપસ્થિત


જુનાગઢમાં કિસાન ભવનનું લોકાર્પણ અને જિલ્લા સહકારી બેંકના નવા ભવનનું ખાતમુહૂર્ત આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,ગીર સોમનાથ પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, રાષ્ટ્રીય કૃષિ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, એચ આર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન બીપીનભાઈ પટેલ, સાવજ ડેરીના ચુરમેન દિનેશભાઇ ખટારીયા, પુનિતભાઈ શર્મા, ધવલભાઈ દવે તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને APMC જૂનાગઢના હોદ્દેદારો અને ડિરેક્ટરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.