પરિવારથી દૂર રહેતા આર્મી જવાનોએ બોર્ડર પર મનાવ્યો તહેવાર


  • Published By :
  • Published Date : 2022-10-27 12:16:30

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. ભાઈદૂજની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાના જવાનો જે ખડપગે રહી દેશની સીમાઓની રક્ષા કરે છે તેમણે પણ ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના LoC ખાતે જવાનોએ ભાઈબીજ મનાવી હતી. દેશના જવાનોએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવડાઓ પ્રગટાવી તેમણે દિવાળી પર્વને મનાવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ મનાવી ભાઈબીજ

પોતાના પરિવારથી દૂર રહી આર્મીના જવાનો દેશની રક્ષા કરે છે. તેઓ સીમા પર છે એટલે જ આપણે પોતાના ઘરમાં રહી દરેક તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરી શકીએ છીએ. ત્યારે સીમા ખાતે દેશના જવાનોએ ભાઈબીજની ઉજવણી કરી હતી. મહિલાઓએ જમ્મુ-કાશ્મીરના જવાનોને તિલક કર્યા હતા. તહેવારની ઉજવણી દરમિયાન દેશના જવાનોના ચહેરા પર અલગ સંતોષ જોવા મળ્યો હતો.

 

જવાનો સાથે PMએ મનાવી હતી દિવાળી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દર વર્ષે આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. લગભગ 9 વર્ષથી તેઓ સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વ મનાવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે કારગીલ બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવી હતી.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે