પરિવારથી દૂર રહેતા આર્મી જવાનોએ બોર્ડર પર મનાવ્યો તહેવાર


  • Published By :
  • Published Date : 2022-10-27 12:16:30

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. ભાઈદૂજની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાના જવાનો જે ખડપગે રહી દેશની સીમાઓની રક્ષા કરે છે તેમણે પણ ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના LoC ખાતે જવાનોએ ભાઈબીજ મનાવી હતી. દેશના જવાનોએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવડાઓ પ્રગટાવી તેમણે દિવાળી પર્વને મનાવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ મનાવી ભાઈબીજ

પોતાના પરિવારથી દૂર રહી આર્મીના જવાનો દેશની રક્ષા કરે છે. તેઓ સીમા પર છે એટલે જ આપણે પોતાના ઘરમાં રહી દરેક તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરી શકીએ છીએ. ત્યારે સીમા ખાતે દેશના જવાનોએ ભાઈબીજની ઉજવણી કરી હતી. મહિલાઓએ જમ્મુ-કાશ્મીરના જવાનોને તિલક કર્યા હતા. તહેવારની ઉજવણી દરમિયાન દેશના જવાનોના ચહેરા પર અલગ સંતોષ જોવા મળ્યો હતો.

 

જવાનો સાથે PMએ મનાવી હતી દિવાળી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દર વર્ષે આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. લગભગ 9 વર્ષથી તેઓ સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વ મનાવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે કારગીલ બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવી હતી.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.