પરિવારથી દૂર રહેતા આર્મી જવાનોએ બોર્ડર પર મનાવ્યો તહેવાર


  • Published By :
  • Published Date : 2022-10-27 12:16:30

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. ભાઈદૂજની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાના જવાનો જે ખડપગે રહી દેશની સીમાઓની રક્ષા કરે છે તેમણે પણ ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના LoC ખાતે જવાનોએ ભાઈબીજ મનાવી હતી. દેશના જવાનોએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવડાઓ પ્રગટાવી તેમણે દિવાળી પર્વને મનાવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ મનાવી ભાઈબીજ

પોતાના પરિવારથી દૂર રહી આર્મીના જવાનો દેશની રક્ષા કરે છે. તેઓ સીમા પર છે એટલે જ આપણે પોતાના ઘરમાં રહી દરેક તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરી શકીએ છીએ. ત્યારે સીમા ખાતે દેશના જવાનોએ ભાઈબીજની ઉજવણી કરી હતી. મહિલાઓએ જમ્મુ-કાશ્મીરના જવાનોને તિલક કર્યા હતા. તહેવારની ઉજવણી દરમિયાન દેશના જવાનોના ચહેરા પર અલગ સંતોષ જોવા મળ્યો હતો.

 

જવાનો સાથે PMએ મનાવી હતી દિવાળી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દર વર્ષે આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. લગભગ 9 વર્ષથી તેઓ સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વ મનાવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે કારગીલ બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવી હતી.    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.