પરિવારથી દૂર રહેતા આર્મી જવાનોએ બોર્ડર પર મનાવ્યો તહેવાર


  • Published By :
  • Published Date : 2022-10-27 12:16:30

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. ભાઈદૂજની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ત્યારે ભારતીય સેનાના જવાનો જે ખડપગે રહી દેશની સીમાઓની રક્ષા કરે છે તેમણે પણ ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી. જમ્મુ કાશ્મીરના LoC ખાતે જવાનોએ ભાઈબીજ મનાવી હતી. દેશના જવાનોએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવડાઓ પ્રગટાવી તેમણે દિવાળી પર્વને મનાવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરમાં જવાનોએ મનાવી ભાઈબીજ

પોતાના પરિવારથી દૂર રહી આર્મીના જવાનો દેશની રક્ષા કરે છે. તેઓ સીમા પર છે એટલે જ આપણે પોતાના ઘરમાં રહી દરેક તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરી શકીએ છીએ. ત્યારે સીમા ખાતે દેશના જવાનોએ ભાઈબીજની ઉજવણી કરી હતી. મહિલાઓએ જમ્મુ-કાશ્મીરના જવાનોને તિલક કર્યા હતા. તહેવારની ઉજવણી દરમિયાન દેશના જવાનોના ચહેરા પર અલગ સંતોષ જોવા મળ્યો હતો.

 

જવાનો સાથે PMએ મનાવી હતી દિવાળી

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ દર વર્ષે આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. લગભગ 9 વર્ષથી તેઓ સરહદ પર જવાનો સાથે દિવાળી પર્વ મનાવે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે કારગીલ બોર્ડર પર જવાનો સાથે દિવાળી મનાવી હતી.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .