અરવિંદ કેજરીવાલે ચલણી નોટો પર ભગવાનના ફોટો રાખવાને લઈને PMને પત્ર લખ્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-28 12:40:18

ગુજરાતની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન સવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મેં આજે વડાપ્રધાન મોદીજીને પત્ર લખ્યો છે, જેમાં 130 કરોડ ભારતીયો તરફથી નિવેદન કર્યું છે. કેજરીવાલે પત્રમાં ભારતની ચલણી નોટો પર ગણેશજી અને લક્ષ્મી માતાની તસવીર પ્રિન્ટ કરાવવાની અપીલ કરી છે.


શું લખ્યું કેજરીવાલે પત્રમાં ???


અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે દેશના 130 કરોડ લોકોની ઈચ્છા છે કે ઈન્ડિયન કરન્સી પર એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ ગણેશજીની તસવીર પર હોવી જોઈએ એવી અપીલ કરી છે. અત્યારે દેશની અર્થ વ્યવસ્થા ઘણા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. તેવામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત વિકાસશીલ અને ગરીબ દેશોની યાદીમાં આવે છે. આપણા દેશમાં આજે પણ કેમ આટલા બધા લોકો ગરીબ છે અને કેમ?


એક બાજુ આપણે દરેક દેશવાસીઓએ મળીને મહેનત કરવાની જરૂર છે. જ્યારે બીજી બાજુ ભગવાનના આશીર્વાદ પણ આપણને ફળશે. તેવામાં યોગ્ય નીતિ, ભગવાનના આશીર્વાદ અને મહેનતના સંગમથી તરક્કી થશે.


કેજરીવાલે વધુમાં લખ્યું છેકે લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનની તસવીર ચલણી નોટો પર હોવા મુદ્દે મેં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. મારા આ નિવેદનને સમર્થન પણ મળી રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી લોકો પણ ઈચ્છે છે કે આને તાત્કાલિક ધોરણે લાગૂ કરી દેવાય.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.