રાજસ્થાનમાં અશોક ગેહલોતની મુશ્કેલી વધી, હવે મુખ્યમંત્રીની ખુરશી પણ જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:00:12

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચુકેલા અશોક ગેહલોત પહેલા કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાંથી ફેંકાઈ ગયા. હવે તેમના મુખ્યમંત્રી પદ પર પણ તલવાર લટકી રહી છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાનનો દરેક નિર્ણય માનશે, તેમના માટે પદ મહત્વ નથી ધરાવતું. 


અશોક ગેહલોતના સીએમ પદ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે


કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોતે શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ કહ્યું કે રાજસ્થાનમાં જે થયું એ મારા વ્યવહાર વિરૂદ્ધ હતું. ગેહલોતે ગુરૂવારે (29 સપ્ટેમ્બર)એ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગેહલોતે કહ્યું હતું કે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે તેમના મુખ્યમંત્રી પદ પર બની રહેવા વિશે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ મહત્વની મુલાકાતો બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સોનિયા ગાંધી આવતા એક-બે દિવસમાં નિર્ણય કરશે. ત્યાર બાદથી મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ વધી ગયું છે.


પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી


ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના થોડીકવાર બાદ રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ 10 જનપથ પહોંચ્યા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલટે કહ્યું કે રાજસ્થાનના ઘટનાક્રમને લઈને તેમણે પોતાની ભાવનાઓથી કોંગ્રેસ અધ્યક્ષને અવગત કરાવી દીધા છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.