રાજસ્થાનમાં અશોક ગેહલોતની મુશ્કેલી વધી, હવે મુખ્યમંત્રીની ખુરશી પણ જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:00:12

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચુકેલા અશોક ગેહલોત પહેલા કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાંથી ફેંકાઈ ગયા. હવે તેમના મુખ્યમંત્રી પદ પર પણ તલવાર લટકી રહી છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાનનો દરેક નિર્ણય માનશે, તેમના માટે પદ મહત્વ નથી ધરાવતું. 


અશોક ગેહલોતના સીએમ પદ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે


કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોતે શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ કહ્યું કે રાજસ્થાનમાં જે થયું એ મારા વ્યવહાર વિરૂદ્ધ હતું. ગેહલોતે ગુરૂવારે (29 સપ્ટેમ્બર)એ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગેહલોતે કહ્યું હતું કે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે તેમના મુખ્યમંત્રી પદ પર બની રહેવા વિશે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ મહત્વની મુલાકાતો બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સોનિયા ગાંધી આવતા એક-બે દિવસમાં નિર્ણય કરશે. ત્યાર બાદથી મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ વધી ગયું છે.


પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી


ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના થોડીકવાર બાદ રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ 10 જનપથ પહોંચ્યા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલટે કહ્યું કે રાજસ્થાનના ઘટનાક્રમને લઈને તેમણે પોતાની ભાવનાઓથી કોંગ્રેસ અધ્યક્ષને અવગત કરાવી દીધા છે.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.