રાજસ્થાનમાં અશોક ગેહલોતની મુશ્કેલી વધી, હવે મુખ્યમંત્રીની ખુરશી પણ જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:00:12

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચુકેલા અશોક ગેહલોત પહેલા કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાંથી ફેંકાઈ ગયા. હવે તેમના મુખ્યમંત્રી પદ પર પણ તલવાર લટકી રહી છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાનનો દરેક નિર્ણય માનશે, તેમના માટે પદ મહત્વ નથી ધરાવતું. 


અશોક ગેહલોતના સીએમ પદ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે


કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોતે શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ કહ્યું કે રાજસ્થાનમાં જે થયું એ મારા વ્યવહાર વિરૂદ્ધ હતું. ગેહલોતે ગુરૂવારે (29 સપ્ટેમ્બર)એ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગેહલોતે કહ્યું હતું કે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે તેમના મુખ્યમંત્રી પદ પર બની રહેવા વિશે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ મહત્વની મુલાકાતો બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સોનિયા ગાંધી આવતા એક-બે દિવસમાં નિર્ણય કરશે. ત્યાર બાદથી મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ વધી ગયું છે.


પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી


ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના થોડીકવાર બાદ રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ 10 જનપથ પહોંચ્યા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલટે કહ્યું કે રાજસ્થાનના ઘટનાક્રમને લઈને તેમણે પોતાની ભાવનાઓથી કોંગ્રેસ અધ્યક્ષને અવગત કરાવી દીધા છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે