શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ પર રોકઃ ચૂંટણી પંચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:57:39

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર હાલ રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોત-પોતાના ચૂંટણી ચિહ્ન મામલે દસ્તાવેજો રજૂ કરવાનો સમય આપ્યો હતો. બંને પક્ષ ફ્રી ચિહ્નોમાંથી પોતાની પસંદની પ્રાથમિકતાના આધારે જણાવી શકશે. 


ચૂંટણી પંચની શિવસેનાના ધનુષબાણ પર રોક 

મહારાષ્ટ્ર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આગામી અંધેરીની ચૂંટણી મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપમાં કોણ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણનો ઉપયોગ કરે તે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી પંચને નિર્ણય લેવા માટે સૂચન કર્યું હતું. ત્યારે આજે નિર્ણય લેવાયો છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી પંચે બંને જૂથને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના બંધારણના નિયમો અનુસાર, શીર્ષ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. 


ચૂંટણી પંચે કહ્યું છે કે 25 જૂન, 2022ના ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ ચૂંટણી પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં અમુક ધારાસભ્યો પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે તેવી સૂચના આપી છે. અનિલ દેસાઈએ શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે