શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ પર રોકઃ ચૂંટણી પંચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:57:39

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર હાલ રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોત-પોતાના ચૂંટણી ચિહ્ન મામલે દસ્તાવેજો રજૂ કરવાનો સમય આપ્યો હતો. બંને પક્ષ ફ્રી ચિહ્નોમાંથી પોતાની પસંદની પ્રાથમિકતાના આધારે જણાવી શકશે. 


ચૂંટણી પંચની શિવસેનાના ધનુષબાણ પર રોક 

મહારાષ્ટ્ર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આગામી અંધેરીની ચૂંટણી મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપમાં કોણ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણનો ઉપયોગ કરે તે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી પંચને નિર્ણય લેવા માટે સૂચન કર્યું હતું. ત્યારે આજે નિર્ણય લેવાયો છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી પંચે બંને જૂથને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના બંધારણના નિયમો અનુસાર, શીર્ષ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. 


ચૂંટણી પંચે કહ્યું છે કે 25 જૂન, 2022ના ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ ચૂંટણી પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં અમુક ધારાસભ્યો પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે તેવી સૂચના આપી છે. અનિલ દેસાઈએ શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .