શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ પર રોકઃ ચૂંટણી પંચ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 21:57:39

ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર હાલ રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોત-પોતાના ચૂંટણી ચિહ્ન મામલે દસ્તાવેજો રજૂ કરવાનો સમય આપ્યો હતો. બંને પક્ષ ફ્રી ચિહ્નોમાંથી પોતાની પસંદની પ્રાથમિકતાના આધારે જણાવી શકશે. 


ચૂંટણી પંચની શિવસેનાના ધનુષબાણ પર રોક 

મહારાષ્ટ્ર વિધાનસભા પેટા ચૂંટણી મામલે આગામી અંધેરીની ચૂંટણી મામલે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ગ્રુપમાં કોણ શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ બાણનો ઉપયોગ કરે તે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. સમગ્ર મામલે ચૂંટણી પંચને નિર્ણય લેવા માટે સૂચન કર્યું હતું. ત્યારે આજે નિર્ણય લેવાયો છે કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર પર રોક લગાવી દેવાઈ છે. ચૂંટણી પંચે બંને જૂથને 10 ઓક્ટોબર બપોરે 1 વાગ્યા સુધી પોતાના ચૂંટણી ચિહ્ન રજૂ કરવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના બંધારણના નિયમો અનુસાર, શીર્ષ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. 


ચૂંટણી પંચે કહ્યું છે કે 25 જૂન, 2022ના ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ ચૂંટણી પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં અમુક ધારાસભ્યો પાર્ટી વિરોધી કામગીરી કરી રહ્યા છે તેવી સૂચના આપી છે. અનિલ દેસાઈએ શિવસેના અને બાલા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.