BBC ડોક્યુમેન્ટરી જ નહીં અત્યાર સુધી 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-27 15:21:27

ભારતમાં આજકાલ BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધને લી હોબાળો મચ્યો છે. ભારત સરકારે આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મુદ્દે વિરોધ પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. જો કે ભારતમાં આવું પહેલી વખત નથી બન્યું, દેશમાં વિવિધ કારણોથી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવાનો ઈતિહાસ બહુ જુનો છે. બ્રિટિશ શાસનમાં તો ઠીક આઝાદ ભારતમાં પણ તમામ સરકારોએ તેમની મનસુફી પ્રમાણે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં અત્યાર સુધીમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


સૌપ્રથમ 1955માં પ્રતિબંધ


ભારતમાં સૌપ્રથમ પ્રતિબંધ કરાયેલી ફિલ્મ સમર ટાઈમ હતી. 1955માં રિલિઝ થયેલી આ ફિલ્મની કથા અનૈતિક વૈવાહિક જીવનને દર્શાવતી હતી. તે જ પ્રમાણે 1959 નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર ફિલ્મ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગોકુલ શંકર પર આરોપ હતો કે તેમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓને રજુ કરવામાં આવી છે. 1973માં પ્રતિબંધિત થયેલી ફિલ્મ 'ગરમ હવા' ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારીત હતી. જેમાં એક મુસ્લિમ પરિવાર વિશે બતાવવામાં આવ્યું હતું.


ઈન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મ આંધી


સૌથી વધુ ચર્ચા 1975માં આવેલી ફિલ્મ આંધીની થાય છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના વૈવાહિક જીવન પર બની હોવાનો આરોપ લગાવી તેના પ્રતિબંધ મુકાયો હતો. જો કે મોરારજી દેસાઈની સરકારે તે પ્રતિબંધ હટાવી દીધો હતો. ગુલઝારની આ ફિલ્મમાં સંજીવ કુમાર, સુચિત્રા સેને અભિનય કર્યો હતો. 


આ છે ભારતમાં પ્રતિબંધિત ફિલ્મો 


ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43 ફિલ્મો પ્રતિબંધનો સામનો કરી ચુકી છે. જોકે, આમાંથી ઘણી એવી ફિલ્મો હતી, જેને પાછળથી લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. જે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં 1955માં સમર ટાઈમ, 1959માં નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર, 1973માં ગરમ ​​હવા, 1975માં આંધી, 1977માં કિસ્સા કુરસી કા, 1971માં સિક્કિમ, 1979માં ખાક ઔર ખૂન, 1984માં ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ, 1987માં પતિ પરમેશ્વર, 1993માં કુત્રપથિરિકૈ, 1994માં બેન્ડિટ ક્વીન, 1996માં કામસૂત્રઃ અ ટેલ ઑફ લવ, 1996માં ફાયર, 2001માં પંચ, 2003માં હવાયે, 2004માં ધ પિંક મિરર, ફાઈનલ સોલ્યુશન, અને હવા આને દે, 2005માં બ્લેક ફ્રાઈડે, અમુ, વોટર, 2009માં હૈદ અનહદ, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2013માં પાપિલો બુદ્ધા, 2014માં ગુર્જર આંદોલન એ ફાઈટ ફોર રાઈટ, 2014માં ફાયર ઝોન, કૌમ ધ હીરે, ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે, 2015માં મૈં હું રજનીકાંત, અનફ્રીડમ, ઈન્ડિયાઝ ડોટર, પત્તા પત્તા દા સિંઘન દા વૈરી, પોર્કલાથિલ ઓરુ પૂ, ધ માસ્ટરમાઇન્ડ ઝિંદા સુક્ખા, ધ પેટેન્ટ હાઉસ, મુત્તુપુલિયા, 2016માં મોહલ્લા અસ્સી, ધરમ યુધ્ધ  મોરચા, 2017માં નીલમ અને તુફાન ફિલ્મોને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. આમાંની ઘણી ફિલ્મોમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું હતું. કેટલીક ફિલ્મોને નગ્નતા અને બીભત્સ કન્ટેન્ટના કારણે  પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.