BBC ડોક્યુમેન્ટરી જ નહીં અત્યાર સુધી 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-27 15:21:27

ભારતમાં આજકાલ BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધને લી હોબાળો મચ્યો છે. ભારત સરકારે આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મુદ્દે વિરોધ પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. જો કે ભારતમાં આવું પહેલી વખત નથી બન્યું, દેશમાં વિવિધ કારણોથી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેવાનો ઈતિહાસ બહુ જુનો છે. બ્રિટિશ શાસનમાં તો ઠીક આઝાદ ભારતમાં પણ તમામ સરકારોએ તેમની મનસુફી પ્રમાણે પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં અત્યાર સુધીમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


સૌપ્રથમ 1955માં પ્રતિબંધ


ભારતમાં સૌપ્રથમ પ્રતિબંધ કરાયેલી ફિલ્મ સમર ટાઈમ હતી. 1955માં રિલિઝ થયેલી આ ફિલ્મની કથા અનૈતિક વૈવાહિક જીવનને દર્શાવતી હતી. તે જ પ્રમાણે 1959 નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર ફિલ્મ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગોકુલ શંકર પર આરોપ હતો કે તેમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓને રજુ કરવામાં આવી છે. 1973માં પ્રતિબંધિત થયેલી ફિલ્મ 'ગરમ હવા' ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારીત હતી. જેમાં એક મુસ્લિમ પરિવાર વિશે બતાવવામાં આવ્યું હતું.


ઈન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મ આંધી


સૌથી વધુ ચર્ચા 1975માં આવેલી ફિલ્મ આંધીની થાય છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના વૈવાહિક જીવન પર બની હોવાનો આરોપ લગાવી તેના પ્રતિબંધ મુકાયો હતો. જો કે મોરારજી દેસાઈની સરકારે તે પ્રતિબંધ હટાવી દીધો હતો. ગુલઝારની આ ફિલ્મમાં સંજીવ કુમાર, સુચિત્રા સેને અભિનય કર્યો હતો. 


આ છે ભારતમાં પ્રતિબંધિત ફિલ્મો 


ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43 ફિલ્મો પ્રતિબંધનો સામનો કરી ચુકી છે. જોકે, આમાંથી ઘણી એવી ફિલ્મો હતી, જેને પાછળથી લીલી ઝંડી પણ આપવામાં આવી હતી. જે ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં 1955માં સમર ટાઈમ, 1959માં નીલ અક્ષર નીચે, 1963માં ગોકુલ શંકર, 1973માં ગરમ ​​હવા, 1975માં આંધી, 1977માં કિસ્સા કુરસી કા, 1971માં સિક્કિમ, 1979માં ખાક ઔર ખૂન, 1984માં ઈન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ, 1987માં પતિ પરમેશ્વર, 1993માં કુત્રપથિરિકૈ, 1994માં બેન્ડિટ ક્વીન, 1996માં કામસૂત્રઃ અ ટેલ ઑફ લવ, 1996માં ફાયર, 2001માં પંચ, 2003માં હવાયે, 2004માં ધ પિંક મિરર, ફાઈનલ સોલ્યુશન, અને હવા આને દે, 2005માં બ્લેક ફ્રાઈડે, અમુ, વોટર, 2009માં હૈદ અનહદ, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2011માં ધ ગર્લ વિથ ડ્રેગન ટેટૂ, ચત્રક, 2013માં પાપિલો બુદ્ધા, 2014માં ગુર્જર આંદોલન એ ફાઈટ ફોર રાઈટ, 2014માં ફાયર ઝોન, કૌમ ધ હીરે, ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે, 2015માં મૈં હું રજનીકાંત, અનફ્રીડમ, ઈન્ડિયાઝ ડોટર, પત્તા પત્તા દા સિંઘન દા વૈરી, પોર્કલાથિલ ઓરુ પૂ, ધ માસ્ટરમાઇન્ડ ઝિંદા સુક્ખા, ધ પેટેન્ટ હાઉસ, મુત્તુપુલિયા, 2016માં મોહલ્લા અસ્સી, ધરમ યુધ્ધ  મોરચા, 2017માં નીલમ અને તુફાન ફિલ્મોને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. આમાંની ઘણી ફિલ્મોમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું હતું. કેટલીક ફિલ્મોને નગ્નતા અને બીભત્સ કન્ટેન્ટના કારણે  પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.