બિહારઃ ચંપારણમાં નવ લોકોને મારનાર વાઘણનું મોત, 3 દિવસમાં ચારનો કર્યો હતો શિકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:09:35

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં નવ લોકોને મારનાર 'નરભક્ષી' વાઘણનું મોત થયું છે.

અગાઉ તેને મારી નાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા. ડીએફઓના જણાવ્યા અનુસાર, વાઘ માનવ વસવાટમાં રહેવા ટેવાયેલો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે પ્રક્રિયા મુજબ વાઘને મારવાના આદેશો જારી કરવામાં આવે છે. જો કે છેલ્લા ત્રણ દિવસમાં વાઘે ચારના જીવ લીધા છે.જે બાદ તંત્ર દ્વારા આ વાઘણને કઈ રીતે કાબુમાં લેવી એની ચર્ચા કરી હતી.હાલ આ વાઘણના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે