બિલ્કીસ બાનો કેસના ત્રણ દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડર કરવા માટે વધુ સમય માંગ્યો


  • Published By :
  • Published Date : 2024-01-18 15:11:06

ગુજરાતના બિલ્કીસ બાનો કેસના દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. આ કેસના 11 દોષિતોમાંથી ત્રણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સતત ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિને રદ કરી હતી અને તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સમયમર્યાદા 21 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ કેસના ત્રણ દોષિતોએ જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોના વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.


કોર્ટે મુક્તિ રદ કરી હતી


8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા દોષિતોની સમયપૂર્વેની મુક્તિને રદ કરી હતી. ત્યારપછી જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને બે સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવા કહ્યું હતું. હવે 11 દોષિતોમાં, ગોવિંદ નાઈએ 4 અઠવાડિયાના એક્સ્ટેન્શનની માંગણી કરી છે, જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે. આ માટે, આ દોષિતોએ અંગત કારણો જણાવ્યા છે.


શું છે સમગ્ર મામલો?


2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાઈ ગયા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયા હતા. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી. ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ ગુજરાતની પંચમહાલ જેલમાં બંધ હતા. ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા 15 ઓગસ્ટ, 2022ના રોજ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.