બિલ્કીસ બાનો કેસના ત્રણ દોષિતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, સરેન્ડર કરવા માટે વધુ સમય માંગ્યો


  • Published By :
  • Published Date : 2024-01-18 15:11:06

ગુજરાતના બિલ્કીસ બાનો કેસના દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. આ કેસના 11 દોષિતોમાંથી ત્રણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સતત ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિને રદ કરી હતી અને તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સમયમર્યાદા 21 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ કેસના ત્રણ દોષિતોએ જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોના વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.


કોર્ટે મુક્તિ રદ કરી હતી


8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા દોષિતોની સમયપૂર્વેની મુક્તિને રદ કરી હતી. ત્યારપછી જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને બે સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવા કહ્યું હતું. હવે 11 દોષિતોમાં, ગોવિંદ નાઈએ 4 અઠવાડિયાના એક્સ્ટેન્શનની માંગણી કરી છે, જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે. આ માટે, આ દોષિતોએ અંગત કારણો જણાવ્યા છે.


શું છે સમગ્ર મામલો?


2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાઈ ગયા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયા હતા. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી. ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ ગુજરાતની પંચમહાલ જેલમાં બંધ હતા. ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા 15 ઓગસ્ટ, 2022ના રોજ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.